SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૮ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૩ [સ્તંભ ૧૧ પશ્ચાત્તાપ વગેરે દાનદોષોથી વર્જિત એવું દાન, એકાંત આત્માને તારવાની બુદ્ધિથી પોતે પોતાને હાથે પાત્ર લઈને આપે અથવા પડખે ઊભા રહી પોતાની સ્રીપ્રમુખ દ્વારા દાન આપે. (ગૃહસ્થને વર્જવા યોગ્ય જે દોષો છે તે પિંડવિશુદ્ધિ વગેરે ગ્રંથોથી જાણી લેવા.) તે પ્રમાણે દાન આપ્યા પછી વંદના કરીને પોતાના ઘરના દ્વાર સુધી અથવા છેટે સુઘી પાછળ જઈને પાછો વળે. જો સાધુનો અભાવ હોય તો વાદળ વિના વૃષ્ટિની જેમ કદી અકસ્માત્ સાધુનું આવવું થાય ત્યારે હર્ષભેર અંબિકા શ્રાવિકા વગેરેની જેમ દાન આપવું. તેની કથા નીચે પ્રમાણે– અંબિકા શ્રાવિકાની કથા ગિરનાર પર્વતની નજીક આવેલા એક શહેરમાં દેવભટ્ટ નામે બ્રાહ્મણ રહેતો હતો. તેને દેવિલા નામે સ્ત્રીથકી સોમભટ્ટ નામે પુત્ર થયો હતો. તેને અંબિકા નામે સ્ત્રી હતી. તે શ્રાવકકુળમાં ઉત્પન્ન થઈ હતી. તેથી તેને સ્વભાવે જ દાનધર્મ ઉપર વિશેષ પ્રીતિ હતી. તે દંપતીને સિદ્ધ અને બુદ્ધ નામે બે પુત્ર થયા હતા. એક વખતે શ્રાદ્ધના દિવસે અંબિકાએ કોઈ માસક્ષપણી સાધુને ભક્તિપૂર્વક આનંદથી અન્ન વહોરાવ્યું. તેને દાન આપતી જોઈ તેની કોઈ પાડોશણ ગાઢ સ્વરથી કહેવા લાગી—અરે! આજે શ્રાદ્ધને દિવસે અંબિકાએ મલિન સાધુને પહેલું દાન આપ્યું; તેથી શ્રાદ્ધનું અન્ન તથા ઘર બન્ને અપવિત્ર કર્યા.' આ પ્રમાણે તે નઠારી પાડોશણ વધારે બડબડવા લાગી. તે જ કારણથી શાસ્ત્રમાં કહ્યું છે કે ‘સારા પાડોશમાં નિવાસ કરવો.’’ જેમ કે– स्वामिवञ्चकलुब्धानामृषिस्त्रीबालघातिनाम् । इच्छन्नात्महितं धीमान्, प्रातिवेश्मकतां त्यजेत् ॥१॥ અર્થ—“સ્વામીને ઠગનાર, લુબ્ધ અને મુનિ, સ્ત્રી તથા બાળકની હત્યા કરનારના પાડોશમાં આત્મહિત ઇચ્છનાર બુદ્ધિમાન પુરુષે રહેવું નહીં.'' હવે અંબિકાની સાસુ જે બહાર ગઈ હતી તે થોડી વારમાં આવી. તેની આગળ પેલી પાડોશણે તે બધી હકીકત કહી દીધી. તે સાંભળી સાસુએ ક્રોધ કરી પોતાના પુત્ર સોમભટ્ટને તે વિષે કહ્યું. સોમભટ્ટ અંબિકા ઉપર ધસી આવ્યો અને બોલ્યો—‘અરે પાપિણી! તેં આ શું કર્યું? હજુ કુળદેવતાની પૂજા કરી નથી તેમ પિતૃઓને પિંડ પણ આપ્યા નથી, તે પહેલાં મલિન સાધુને દાન કેમ આપ્યું? જા, મારા ઘરમાંથી બહાર નીકળ.’ અંબિકા પોતાના બે પુત્ર સિદ્ધ તથા બુદ્ધને લઈ ઘરના બીજા દ્વારથી નીકળી ગઈ. કોઈ ઠેકાણે સ્થાન ન મળવાથી તે નગરની બહાર ચાલી. માર્ગે ચાલતાં થાકી ગયેલા બન્ને પુત્રોને તૃષા લાગી. તેમણે વારંવાર જળ માગવા માંડ્યું, પણ જળ મળ્યું નહીં. આગળ જતાં એક સુકાયેલ સરોવર હતું, તે અંબિકાના શિયળના માહાત્મ્યથી જળ વડે ભરાઈ ગયું અને એક શુષ્ક થયેલ આમ્રવૃક્ષ ફળવાળું થઈ ગયું. અંબિકાએ પુત્રોને જળ પાઈ હાથમાં આમ્રફળ આપ્યાં અને તેની શીતળ છાયા નીચે વિસામો ખાવા બેઠી. અહીં અંબિકાની સાસુ ઘરમાં ગઈ. અંદર જુએ છે તો મુનિને દાન આપવા લીધેલાં પાત્રો સુવર્ણનાં, ભાત મોતીના દાણા અને ભોજન ઉપર શિખા ચડેલી વગેરે જોવામાં આવ્યું. તે જોઈ હર્ષ પામતી તે પુત્રને કહેવા લાગી−‘વત્સ! અંબિકા વધૂ ખરેખરી પતિવ્રતા છે, માટે તેની પાછળ જઈ તેને પાછી લઈ આવ.' સોમભટ્ટ પણ તેનું માહાત્મ્ય પ્રત્યક્ષ જોઈ પશ્ચાત્તાપ કરતો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002172
Book TitleUpdeshprasad Part 3
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy