SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૧૬૨] ચોથું શિક્ષાવ્રત-અતિથિસંવિભાગ ૬૭ ઉદર, જઘન અને દાંત વગેરે અંગને કાંઈક દર્શાવતી સતી નિર્લજ્જ થઈને કામક્રીડાતુરપણે કહેવા લાગી—“હે સ્વામી! આ પૌષઘવ્રત છોડી દો; મારી સાથે કામક્રીડા કરો. ઘર્મનું ફળ ભોગનો સંયોગ અને તેનો અવિયોગ જ છે.” આ પ્રમાણે અનુકૂળ ઉપસર્ગ થતાં પણ જેનું મન અચલ છે એવા શ્રેષ્ઠીએ કહ્યું-“હે પાપિણી!ઘર્મના ફળને અઘર્મમાં કેમ જોડે છે? અહીંથી દૂર જા. વળી સાંભળ, તું આજથી સાતમે દિવસે મૃત્યુ પામી પહેલી નરકમાં ચોરાશી હજાર વર્ષને આઉખે ઉત્પન્ન થઈશ.” આ પ્રમાણે સાંભળી તે વિલખી થઈને પોતાને સ્થાને ચાલી ગઈ અને સાત દિવસ પછી મરણ પામીને પહેલી નરકમાં ઉત્પન્ન થઈ. મહાશતક શ્રેષ્ઠી વિશ વર્ષ સુધી શ્રાવકઘર્મ પાળી, પ્રાંતે સંખના કરી મૃત્યુ પામીને સૌઘર્મ દેવલોકે દેવતા થયો. આ કથા વર્ધમાનદેશનામાંથી વિસ્તારથી જાણી લેવી. “મહાશતક શ્રેષ્ઠીએ પૌષઘાદિ વ્રત કરવા વડે ત્રીજું જ્ઞાન પ્રાપ્ત કરી આ જન્મમાં જ તેનું શુભ ફળ પ્રાપ્ત કર્યું અને બીજા જન્મમાં પ્રથમ દેવલોકને પ્રાપ્ત કરી, અનુક્રમે કેવળજ્ઞાન મેળવી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈ મોક્ષરૂપ ફળને પામશે.” વ્યાખ્યાન ૧૬૨ ચોથું શિક્ષાવ્રત-અતિથિસંવિભાગ सदा चान्नादि संप्राप्ते, साधूनां दानपूर्वकम् । भुज्यते यत्तदतिथि-संविभागाभिधं व्रतम् ॥१॥ ભાવાર્થ-“હમેશાં અન્નાદિકની સામગ્રી પ્રાપ્ત થતાં જે ગૃહસ્થ સાધુઓને દાન દેવાપૂર્વક તેનો ઉપભોગ કરે તે અતિથિસંવિભાગ નામે ચોથું શિક્ષાવ્રત છે.” વિશેષાર્થ-અતિથિનું સ્વરૂપ આ પ્રમાણે– तिथिपर्वोत्सवाः सर्वे, त्यक्ता येन महात्मना । अतिथिं तं विजानीयाच्छेषमभ्यागतं विदुः॥४॥ “જે મહાત્માએ તિથિ, પર્વ, ઉત્સવ વગેરે સર્વનો ત્યાગ કરેલો હોય તે અતિથિ કહેવાય છે; બાકીના અભ્યાગત કહેવાય છે.” એવા અતિથિને “સમ્' એટલે આઘાકર્માદિ બેતાળીશ દોષથી રહિત, “વિ’ એટલે વિશિષ્ટ એવો “મા” એટલે પશ્ચાતુકર્મ (પાછું ફરી કરવું ન પડે) વગેરે દોષ ટાળીને અન્નનો અંશ જે આપવો તે સંવિભાગ કહેવાય છે; તે નામનું વ્રત તે અતિથિસંવિભાગ નામે વ્રત કહેવાય છે. તેનો વિધિ શ્રી આવશ્યકનિર્યુક્તિની વૃત્તિમાં આ પ્રમાણે કહેલ છે કે સમાચારીયુક્ત શ્રાવકે તો ચોક્કસપણે પોસહ પારી, સાધુને અન્નદાન આપીને પછી પચખાણ પારવું. બીજાઓ માટે એવો નિયમ નથી, તેથી તે દાન આપીને પચખાણ પારે અથવા પચખાણ પારીને પછી દાન આપે.” શ્રાવક જ્યારે ભોજનની વેળા થાય ત્યારે ભક્તિપૂર્વક સાધુને નિમંત્રણ કરી તેમને લઈને ઘેર આવે અને જો મુનિ સ્વેચ્છાએ ઘેર આવ્યા હોય તો તેમને જોતાં જ તેમની સામે જવા વગેરે વિનય કરે. પછી બાલ, વૃદ્ધ, તપસ્વી કે ગ્લાન વગેરે મુનિને વિનય સહિત અને સ્પર્ધા, મહત્તા, મત્સર, સ્નેહ, લ, ભય, દાક્ષિણ્ય, પ્રત્યુપકારની ઇચ્છા, માયા, વિલંબ, અનાદર અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002172
Book TitleUpdeshprasad Part 3
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy