SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૬ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૩ [સ્તંભ ૧૧ ધ્યાનશુદ્ધિનું લક્ષણ આ પ્રમાણે છે नेत्रद्वंद्वे श्रवणयुगले नासिकाग्रे ललाटे । वक्त्रे नाभौ शिरसि हृदये तालवे भ्रूयुगांते॥ ध्यानस्थानान्यमलमतिभिः कीर्तितान्यत्र देहे । तेष्वेकस्मिन् विगतविषयं चित्तमालंबनीयम् ॥१॥ “બે નેત્રમાં, બે કાનમાં, નાસિકાના અગ્રભાગે, લલાટમાં, મુખ ઉપર, નાભિ ઉપર, મસ્તક ઉપર, હૃદય ઉપર, તાળવે અને બે ભૃકુટિમાં–એટલાં સ્થાનો આ દેહમાં ધ્યાન કરવાનાં વિદ્વાનોએ હેલાં છે. તેમાંથી કોઈ પણ એકની અંદર બીજા વિષયથી દૂર કરીને ચિત્તને જોડી દેવું, અર્થાત્ ચિત્ત વડે તેમાંના કોઈ પણ એક સ્થાનનું આલંબન કરી મનને સ્થિર કરવું.” આ પ્રમાણે ધ્યાનના સ્થાનમાં ચિત્તને સ્થાપન કરી એકાસને પૌષધવ્રત કરીને બેસવું. પૌષઘવ્રતના ફળ વિષે કહેલું છે કે “કંચનમણિનાં પગથિયાવાળું, હજારો સ્તંભ વડે ઉન્નત અને સુવર્ણના તળીઓવાળું દેરાસર કરાવે, તેનાથી પણ તપસંયમનું ફળ અધિક છે.” એક મુહૂર્ત માત્ર સામાયિકમાં “વાળવોદિરો” એ ગાથામાં કહ્યો છે તેટલો લાભ પ્રાપ્ત થાય છે. તે ગાથા અગાઉ સામાયિકના સંબંધમાં કહી ગયા છીએ. તેથી ત્રીશ મુહૂર્તના પ્રમાણવાળા અહોરાત્રના પૌષધથી ત્રીશગણો લાભ બાહ્યવૃત્તિથી થાય છે. તે આ પ્રમાણે–સત્યાવીસસો ને સિત્યોતેર કરોડ, સિત્યોતેર લાખ, સિત્યોતેર હજાર, સાતસો ને સિત્યોતેર અને ૬ (૨૭૭૭૭૭૭૭૭૭૭ ) એટલા પલ્યોપમના દેવગતિના આયુષ્યનો બંઘ એક પૌષઘથી થાય છે. સૂક્ષ્મ રીતે જોતાં તેથી અધિક પણ થાય છે. આવું પૌષઘવ્રત આરાઘના કરનારને મહાશતક શ્રેષ્ઠીની જેમ તાત્કાલિક ફળ આપે છે. તેની કથા આ પ્રમાણે મહાશતક શ્રેષ્ઠીની કથા રાજગૃહી નગરીમાં મહાશતક નામે એક ગૃહસ્થ રહેતો હતો. તેને તે સ્ત્રીઓ હતી. તેમાં રેવતી નામે એક સ્ત્રી બહુ કનિષ્ઠ હતી. તે બાર ગોલની માલિક હતી. બીજી સ્ત્રીઓ એક એક ગોકુલની માલિક હતી. રેવતી બાર કોટિ સુવર્ણની સ્વામિની હતી અને બીજી બાર સ્ત્રીઓ એક એક કોટિ સુવર્ણની સ્વામિની હતી. મહાશતક શેઠ પણ અનેક કોટિ સુવર્ણ અને અનેક ગોકુલનો અધિપતિ હતો. એકદા મહાશતક શેઠે શ્રી વિરપ્રભુની દેશના સાંભળી, પ્રતિબોધ પામી બાર વ્રત અંગીકાર કર્યા. ચૌદ વર્ષ શ્રાવક ઘર્મનું આરાધન કર્યા પછી ઉપાસક પ્રતિમાને વહન કરતાં તે શેઠને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું. રેવતી હમેશાં પોતાની પત્નીઓ ઉપર દ્વેષ રાખતી હતી. અનુક્રમે પોતાની સર્વ શોક્યોને ઝેર વગેરે પ્રયોગથી મારી નાંખીને પોતે સર્વસ્વની માલિક થઈ અને નિત્ય મદ્યમાંસનું સેવન કરવા લાગી. એક વખતે પોતાના શરીરમાં તીવ્ર કામોત્પત્તિ કરવા માટે સેવકની પાસે કોઈ તરતના જન્મેલા બાળકને મંગાવી, તેની હિંસા કરાવીને તેના માંસને સંસ્કાર કરાવી તેણે ભક્ષણ કર્યું અને તે ઉપર મદિરાનું પાન કર્યું; આથી તે અતિશય કામપીડિત થઈ. પછી પૌષધશાળામાં જ્યાં પોતાનો સ્વામી પૌષઘવ્રત લઈને રહેલો છે ત્યાં ગઈ અને પોતાનો કેશપાશ છૂટો મૂકી, સ્તન, સાથલ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002172
Book TitleUpdeshprasad Part 3
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy