SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૧૬૧] પૌષઘવ્રતનું ફળ ૬૫ કહો.’ નારદે કહ્યું–‘મેં સાગરચંદ્રમાં સુરૂપ જોયું અને નભસેનમાં કુરૂપ જોયું.' તે . સાંભળતાં જ કમલામેલા સાગરચંદ્રની રાગી થઈ અને હમેશાં તેનું જ ધ્યાન કરવા લાગી. એક વખતે શાંબકુમાર સાગરચંદ્રને ચિંતાસાગરમાં મગ્ન થયેલ જોઈ તેની પછવાડે આવી બે હાથ વડે તેની આંખો બંધ કરી ઊભો રહ્યો. સાગરચંદ્રે કહ્યું-‘કોણ કમલામેલા?” શાંબે કહ્યું–‘હું તો કમલામેળક છું, અર્થાત્ કમલાને મેળવી આપનાર છું.' સ્વર ઉપરથી શાંબને ઓળખી સાગરચંદ્રે કહ્યું-‘ભદ્ર! એ વાત સત્ય છે; કમલપત્ર સમાન દીર્ઘ લોચનવાળી એ કમલામેલાને તું જ મેળવી આપીશ. એ કાર્યમાં તારા સિવાય બીજો કોઈ સમર્થ નથી.' પછી શાંબકુમારે તેમ કરવા વચનથી બંધાઈ ગયેલ હોવાથી તેણે પ્રધુમ્ર પાસેથી વચનના છળ વડે પ્રજ્ઞપ્તિ વિદ્યા માગી લીઘી. પછી જ્યારે કમલામેલાના લગ્નનો દિવસ આવ્યો ત્યારે શાંબે તેનું પ્રજ્ઞતિ વિદ્યા વડે આકર્ષણ કર્યું અને ઘણા યાદવો સહિત તે કન્યાને ઉદ્યાનમાં લઈ ગયો. ત્યાં સાગરચંદ્રની સાથે તેનું પાણિગ્રહણ કરાવ્યું. કન્યાના પિતાના અને શ્વસુરના પક્ષવાળાઓ તેની શોધ કરવા લાગ્યા. શોધ કરતાં તેમણે ‘તેને કોઈ વિદ્યાધર હરી ગયો છે અને ઉદ્યાનમાં છે’ એમ જાણ્યું; એટલે તેઓએ કૃષ્ણની પાસે આવી ફરિયાદ કરી. કૃષ્ણ ક્રોધાયમાન થઈને સૈન્ય સહિત ઉદ્યાનમાં આવ્યા. ત્યાં શાંબે વૈક્રિયલબ્ધિથી અનેક રૂપ કરીને કૃષ્ણની સાથે મોટું યુદ્ધ કર્યું. છેવટે શાંબ મૂળરૂપ કરીને કૃષ્ણને ચરણે પડ્યો અને બધી વાત કરી. પછી કૃષ્ણે એ કન્યા સાગરચંદ્રને આપી. ત્યારથી નભસેન સાગરચંદ્ર ઉપર દ્વેષ રાખી તેનાં છળ શોધવા લાગ્યો. અન્યદા સાગરચંદ્રે શ્રીનેમિપ્રભુની પાસે શ્રાવકના વ્રત અંગીકાર કર્યા અને વૈરાગ્યવંત થયો. એકદા પર્વદિવસે તે પૌષધવ્રત લઈ સ્મશાનમાં કાયોત્સર્ગ ધ્યાનમાં રહ્યો હતો, તેવામાં દૈવયોગે નભસેન ફરતો ફરતો ત્યાં આવી ચડ્યો. તેણે સાગરચંદ્રને દીઠો. એટલે તત્કાળ તે પાપીએ અંગારાથી ભરેલી એક ઠીબ તેના માથા ઉપર મૂકી. આ ઉપસર્ગ સહન કરતાં સાગરચંદ્રની કાયા બળી ગઈ પણ તે શુભધ્યાન ચૂક્યો નહીં. મૃત્યુ પામીને તે આઠમા દેવલોકમાં દેવતા થયો. “ભાવનારૂપ જળથી સિંચન થયેલા તેના હૃદયમાં દુષ્કૃતરૂપ અગ્નિ પેસી શક્યો નહીં; તેથી ધર્મરૂપ સમુદ્રના કલ્લોલ વડે વૃદ્ધિ પામતો સાગરચંદ્ર આઠમા દેવલોકમાં દેવ સંબંધી સુખ પામ્યો.’ - વ્યાખ્યાન ૧૬૧ પૌષધવ્રતનું ફળ विधेयः सर्वपापानां, मथनायैव ઔષધઃ । સંઘઃ તત્વસૌ શુછ્યા, મહાશતશ્રેષ્ઠિવત્ શા ભાવાર્થ-‘સર્વ પાપનું મથન કરવાને માટે પૌષઘવ્રત અવશ્ય કરવા યોગ્ય છે. એ વ્રત શુદ્ધિ વડે ક૨વાથી મહાશતક શ્રેષ્ઠીની જેમ તત્કાળ ફળે છે.’’ વિશેષાર્થ–પૌષધ સર્વ પાપાસ્રવનો નિરોધ કરવાના હેતુભૂત છે. તે વ્રત બરાબર પાળવાથી અગિયાર વ્રત સારી રીતે પાળેલાં ગણાય છે. તે પૌષધ જો શુદ્ધિ સહિત એટલે યોગશુદ્ધિ, ક્રિયાશુદ્ધિ અને ધ્યાનશુદ્ઘિ વગેરે યુક્ત કરવામાં આવે તો તત્કાળ ફળ આપે છે. ભાગ ૩-૫] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002172
Book TitleUpdeshprasad Part 3
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy