SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૧૫૭] પ્રતિક્રમણના પર્યાય પ૯ ઊતર્યા? હજુ પણ તે મગરની આંખો ઢાંકી દો એટલે તે તમને છોડી દેશે.” તેનાં આવાં વચન સાંભળી પેલા છાત્રે વિચાર્યું કે–“અહો! આ સ્ત્રીની હિંમત તો જુઓ! આ બઘી ચેષ્ટા પ્રત્યક્ષ જોઈને તે વિદ્યાર્થી ઘેર આવ્યો. બીજે દિવસે જ્યારે તે કાગડાને બલિ આપતાં ભય પામવાનો ડોળ કરવા લાગી ત્યારે તે વિદ્યાર્થી બોલ્યો दिवा बिभेति काकेभ्यो, रात्रौ तरति नर्मदाम् । कुतीर्थान्यपि जानासि, जलजंत्वक्षिरोधनम् ॥१॥ “દિવસે કાગડાથી બીએ છે ને રાત્રે નર્મદા તરે છે, સારા અને નઠારા આરા જાણે છે અને જળજંતુની આંખો મીંચવાનો ઉપાય પણ જાણે છે.” આ પ્રમાણે સાંભળી તે સ્ત્રી બોલી–“શું કરીએ? અહીં તારા જેવા યુવાન પુરુષ મારી ઇચ્છા કરતા નથી, તેથી ત્યાં જવું પડે છે. વિદ્યાર્થી બોલ્યો- હું શું કરું? તારા પતિનો મને ભય લાગે છે.” પછી તે સ્ત્રી પોતાના પાઠક પતિને મારી એક પેટીમાં નાંખી તેને મૂકી દેવા વનમાં ગઈ. ત્યાં વનમાં કોઈ વ્યંતરીએ તે પેટી તેના મસ્તક સાથે ખંભિત કરી દીધી. પછી તે વનમાં ભમવા લાગી અને ઉપરથી માંસ તેની ઉપર ગળવા લાગ્યું. આવી અસહ્ય પીડાથી પીડિત અને ક્ષઘાતુર થઈ સતી તે ઘેર ઘેર આત્મનિંદા કરતી કહેવા લાગી કે-“પતિને હણનારી આ નીચ સ્ત્રીને ભિક્ષા આપો.” એવી રીતે તેણે ઘણો કાળ નિર્ગમન કર્યો. એક વખતે કોઈ સાધ્વીને પગે લાગવા જતાં તેના મસ્તક ઉપરથી પેટી પડી ગઈ, એટલે તેણે તત્કાળ ચારિત્ર ગ્રહણ કર્યું. આ દ્રષ્ટાંત ઉપરથી ઉત્તમ પ્રાણીઓએ નિરંતર પોતાનાં દુષ્ટકૃત્યની ગર્તા કરવી જોઈએ. તેમ કરવાથી પાપનો બોજ હળવો બને છે અને આત્મા વિશુદ્ધ બને છે. વ્યાખ્યાન ૧૫૭ પ્રતિક્રમણના પર્યાય (૮) પ્રતિક્રમણનું આઠમું પર્યાયનામ શુદ્ધિ છે. શુદ્ધિનો અર્થ નિર્મળ કરવું એવો થાય છે. તેના પણ પ્રશસ્ત અને અપ્રશસ્ત એવા બે ભેદ છે. જ્ઞાનાદિકની શુદ્ધિ તે પ્રશસ્ત અને અજ્ઞાન અથવા ક્રોઘાદિકની સ્પષ્ટતા તે અપ્રશસ્ત. તેમાં પણ ક્રોઘાદિ રૂપ મળને દૂર કરી આત્માને નિર્મળ કરવો એ પ્રશસ્ત શુદ્ધિ છે. શુદ્ધિ વિષે વસ્ત્રનું અને વૈદ્યનું એમ બે દ્રષ્ટાંત છે, તે નીચે પ્રમાણે - શ્રેણિકરાજાએ બે વસ્ત્ર કોઈ રજકને ઘોવા માટે આપ્યાં હતાં. તેવામાં કૌમુદી મહોત્સવ આવતાં તે રજકે પોતાની બે સ્ત્રીઓને તે પહેરાવ્યાં. શ્રેણિકરાજાએ મહોત્સવમાં તે વસ્ત્રો જોવાથી ઓળખ્યાં, એટલે એંઘાણી રાખવા માટે તે વસ્ત્ર ઉપર તાંબૂલ છાંટ્યું. રજકે તે તાંબૂલના ડાઘને ખારા વગેરેથી દૂર કરી પ્રાતઃકાળે તે વસ્ત્ર રાજા પાસે જઈને આપ્યાં. રાજાએ રજકને પૂછ્યું-“આ વસ્ત્રની શુદ્ધિ વિષે જે બન્યું હોય તે યથાર્થ કહે.” એટલે રજકે યથાર્થ કહી દીધું; તેથી રાજાએ તેનો સત્કાર કર્યો. આ દ્રવ્યશુદ્ધિ જાણવી. એ પ્રમાણે સાધુ અને શ્રાવકે જે અતિચાર લાગ્યા હોય તેની ઉપાસકદશાંગ સૂત્રમાં કહેલ સુરદેવ તથા ચુલ્લશતક શ્રાવકની જેમ તત્કાળ શુદ્ધિ કરવી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002172
Book TitleUpdeshprasad Part 3
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy