SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ પ૮ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૩ [સ્તંભ ૧૧ જાણવાના કૌતુકથી રાજાએ તેને ત્રીજે દિવસે પણ વારો આપ્યો. રાત્રે રાણીએ ઉત્તર આપ્યો કે “એક હાથના દેવાલયમાં ચાર હાથના દેવ રહે તે ચતુર્ભુજ દેવ સમજવા. ચાર હાથ ઊંચા સમજવા નહીં.” આ પ્રમાણે નવી નવી વાર્તાઓ કહીને તે ચતુર રાણીએ રાજાને છ માસ સુધી પોતાના વાસગૃહમાં બોલાવ્યા. આથી તેની સપત્નીઓ ઈર્ષા વડે તેનાં છિદ્રો જોવા લાગી. નવી રાણી હમેશાં સંધ્યાકાળે પોતાના ઓરડામાં પેસી પોતાની પૂર્વાવસ્થાના પોતાના પિતા તરફથી મળેલાં લૂગડાં પોતે પહેરતી અને રાજ્યના વસ્ત્રાભૂષણ આગળ મૂકી પોતાના આત્માની નિંદા કરતી કે “હે જીવ! આ તારી મૂળ સંપત્તિ છે, તું એક કારીગરની પુત્રી છે, તને રાજાએ સ્વીકારી તેથી તું ગર્વ કરીશ નહીં.” આ પ્રમાણે કરતી તેની સપત્નીઓના જોવામાં આવતાં તેઓએ રાજાને કહ્યું–‘તમારી નવી રાણી હમેશાં કાંઈક કામણ કરે છે.” રાજાએ એકાંતે રહી તે સર્વ જોયું અને સાંભળ્યું તેથી તે ઘણો ખુશી થયો અને તેને પોતાની પટ્ટરાણી કરી. આ વાર્તાનો ભાવાર્થ એવો છે કે મુનિએ આત્મનિંદા કરવી. સાગરચંદ્રાચાર્ય વગેરેની જેમ ગર્વ કરવો નહીં. એવો ગર્વ કરનારા સાગરચંદ્ર મુનિને કાલિકાચાર્યે ઘણે કષ્ટ પ્રતિબોધ્યા હતા. વ્યાખ્યાન ૧૫૬ પ્રતિક્રમણના પર્યાય (૭) પ્રતિક્રમણનું સાતમું પર્યાયનામ ગર્તા છે, તે પણ પૂર્વની જેમ પ્રશસ્ત અને અપ્રશસ્ત એવા બે ભેદવાળું છે. તેમાં દ્રવ્યગર્લા વિષે એક દૃષ્ટાંત છે. તે નીચે પ્રમાણે કોઈ વૃદ્ધ ઉપાધ્યાયને તરુણ સ્ત્રી હતી. તે નર્મદા નદીની સામેના તટ ઉપર રહેનારા કોઈ ગોવાળીઆની સાથે આસક્ત થઈ હતી, તેથી હમેશાં રાત્રે ઘડા વડે નર્મદા ઊતરીને તે ગોપની પાસે જતી હતી. તે કુલટા એવી માયાવી હતી કે દિવસે હું કાગડાના શબ્દથી ભય પામું છું' એમ પોતાના વૃદ્ધ પતિને કહેતી હતી; તેથી વૃદ્ધ ઉપાધ્યાય જ્યારે તે સ્ત્રી દિવસે કાગડાને બલિ આપતી ત્યારે તેની રક્ષા માટે પોતાના વિદ્યાર્થીઓને મોકલતા હતા. કોઈ વાર પાઠકજી તેને કહેતા કે અમુક પુરુષને બોલાવ, ત્યારે તે કહેતી કે હું અન્ય પુરુષ સાથે બોલી જાણતી નથી; એટલે પાઠકજી પોતે તે પુરુષને બોલાવતા. તે સ્ત્રીની આવી ચેષ્ટા જોઈ કોઈ એક ચતુર વિદ્યાર્થીએ વિચાર્યું કે સરલતાનું લક્ષણ આટલું બધું હોય નહીં, માટે આ સ્ત્રી જરૂર વધારે પડતો ડોળ કરે છે. કહ્યું છે કે अत्याचारमनाचारमत्यार्जवमनार्जवम् । अतिशौचमशौचं च, षड्विधं कूटलक्षणम् ॥१॥ જ્યાં અતિઆચાર બતાવવામાં આવતો હોય ત્યાં અનાચાર હોય છે, જ્યાં અતિસરલતા બતાવવામાં આવતી હોય ત્યાં સરલતા હોતી નથી અને જ્યાં અતિપવિત્રતા બતાવવામાં આવે છે ત્યાં પવિત્રતા હોતી નથી; એટલે અતિઆચાર, અનાચાર, અતિસરલતા, અસરલતા, અતિપવિત્રતા અને અપવિત્રતા એ છયે કૂટ (માઠાં અથવા ખોટાં) લક્ષણ છે.” આ પ્રમાણે વિચારી તે વિદ્યાર્થી તેની ચર્ચા જોવા લાગ્યો. એક વખતે તે સ્ત્રી રાત્રે નર્મદા ઊતરતી હતી, તેવામાં નઠારે આરે ઊતરતા ચોર લોકોને મગરે પકડ્યા. તે જોઈ તે સ્ત્રીએ કહ્યું-“અરે પુરુષો! તમે એવે નઠારે આરે શા માટે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002172
Book TitleUpdeshprasad Part 3
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy