SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૧૫૫] પ્રતિક્રમણના પર્યાય પ૭ સમજવા. ગાથા સંભળાવનાર તે ઉપાધ્યાય સમજવા. તે સાંભળીને ઉપદેશનું તત્ત્વ સમજી અસંયમથી નિવૃત્ત થનારા મુનિ રાજપુત્રીની જેમ સુગતિનું ભાજન થાય છે અને બીજા તેથી વિપરીત વર્તનારા દુર્ગતિનું ભાજન થાય છે. (૬) પ્રતિક્રમણનું છઠું પર્યાયનામ નિંદા છે; એટલે આત્માની સાક્ષીએ આત્માની નિંદા કરવી છે. તેના પ્રશસ્ત અને અપ્રશસ્ત એવા બે પ્રકાર છે. અસંયમાદિકની નિંદા તે પ્રશસ્ત છે અને સંયમાદિકની નિંદા તે અપ્રશસ્ત છે. તે ઉપર એક દ્રષ્ટાંત છે, તે નીચે પ્રમાણે કોઈ રાજાએ પોતાનું સભાસ્થાન ચિત્ર વગરનું હોવાથી તેને ચિત્રિત કરવા માટે કેટલાક ચિત્રકારોને બોલાવીને તેની દિવાલો સરખે ભાગે વહેંચી આપી. તે ચિત્રકારોમાં એક વૃદ્ધ ચિત્રકાર હતો. તેની પુત્રી તેને માટે હમેશાં ત્યાં ભાત લાવતી હતી. એક વખતે તે માર્ગે આવતી હતી ત્યાં રાજા તોફાની ઘોડા ઉપર બેસીને રાજમાર્ગે ચાલ્યો જતો હતો, તેથી ભય પામીને તે મહા મુશ્કેલીએ બચીને પોતાના પિતાની પાસે આવી. તેને આવેલી દીઠી એટલે તેના પિતા દેહચિંતા માટે ગયો, તેવામાં રાજા ત્યાં જ ચિત્રો જોવા આવ્યો. તે ચિત્રમાં મયૂરનું પીણું ચીતરેલ તેને ભ્રાંતિથી સત્ય જાણી લેવા ગયો, એટલે તેના હાથનો નખ ભાંગ્યો. તે જોઈ તે ચિત્રકારની પુત્રી બોલી–“મૂર્ણરૂપ માંચાનો ચોથો પાયો હવે મળ્યો.” તે સાંભળી રાજાએ તેને પૂછ્યું–તે શી રીતે?” ચિત્રકારની પુત્રી બોલી–પ્રથમ પાયો ચૌટામાં તોફાની ઘોડો દોડાવનાર, બીજો પાયો મારો પિતા કે જે ભોજન જોઈને દેહચિંતાએ ગયો, ત્રીજો પાયો આ ચીતરેલા મયૂરપીંછને ભ્રમથી પકડનાર તમે અને ચોથો પાયો આ ગામનો રાજા કે જેણે યુવાન, વૃદ્ધ અને બાળક સર્વ ચિત્રકારોને દિવાલના સરખા ભાગ વહેંચી આપ્યા છે. તે સાંભળી રાજા તેની બુદ્ધિ જોઈ હર્ષ પામ્યો અને તે ચિત્રકારની પુત્રીને પરણ્યો. એકદા રાજા તેના વાસગૃહમાં રાત્રે સૂતો હતો. તે વખતે રાજાની આજ્ઞાથી દાસીએ રાણીને કોઈ વાર્તા કહેવા જણાવ્યું. રાજા કાંઈક નિદ્રિત થયા, એટલે રાણીએ વાર્તા શરૂ કરી કોઈ ગૃહસ્થને એક પુત્રી હતી. તેને વરવા માટે તેના માતા, પિતા અને ભાઈએ વચન આપેલા જુદા જુદા ત્રણ વરો એક સાથે આવ્યા. દૈવયોગે તે પુત્રી રાત્રે સર્પના દંશથી મૃત્યુ પામી. ત્યારે પેલા ત્રણ વરમાંથી એક વર તો તેની સાથે બળી મૂઓ, બીજો વર તેની પાછળ સદા ઉપવાસ કરી સ્મશાનમાં જ બેઠો અને ત્રીજાએ કોઈ દેવતાનું આરાધન કરી સંજીવની વિદ્યા મેળવીને તેને પાછી સજીવન કરી. આટલી કથા કહીને રાણીએ પૂછ્યું- હે દાસી! કહે, તે કન્યા કોને આપવી યોગ્ય?” દાસી બોલી–તે તમે જ કહો.' રાણીએ કહ્યું “આજે તો મને નિદ્રા આવે છે, તેથી હું સૂઈ જઈશ, આવતી કાલે કહીશ.” રાજા જાગતો હતો તે તેની વાર્તાના ઉત્તરમાં આસક્ત થઈ ગયો, તેથી બીજે દિવસે પણ તે જ રાણીને વારો આપ્યો. યોગ્ય અવસરે દાસીએ ગઈ કાલની વાર્તાનો ઉત્તર પૂછો; એટલે રાણી બોલી–“જે સાથે બળી મૂઓ ને પાછો સાથે જીવતો થયો તે તો તેનો ભાઈ થાય, જેણે તેને જિવાડી તે તેનો પિતા થાય અને જે ઉપવાસ કરીને ત્યાં જ રહ્યો તે તેનો પતિ થાય.” દાસીએ બીજી વાર્તા કહેવા કહ્યું, એટલે રાણી બોલી–“એક હાથના પ્રમાણવાળા પ્રાસાદમાં ચાર હાથના દેવ રહેલા છે.' દાસી બોલી – તે કેવી રીતે સંભવે? રાણીએ કહ્યું–તે કાલે કહીશ.” તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002172
Book TitleUpdeshprasad Part 3
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy