SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ પક શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૩ [તંભ ૧૧ સમ ને વિષમ બે માર્ગ તે સ્થવિરકલ્પ ને જિનકલ્પ સમજવા. તેમાં વિષમ માર્ગે ચાલનાર એટલે જિનકલ્પી થવા ઇચ્છનાર સાધુ સહસ્ત્રમલ્લ દિગંબરની જેમ ચારિત્રરૂપ દૂઘને રાખી શક્તા નથી અને તેથી તે પોતાનું વાંછિત મેળવી શકતા નથી; તેમને મુક્તિ દુષ્માપ્ય છે. જે સ્થવિરકલ્પી છે તે હળવે હળવે સુગમ માર્ગે ચાલી ચારિત્રરૂપ દૂઘનું રક્ષણ કરી પ્રાંતે સિદ્ધિને પ્રાપ્ત કરે છે. વ્યાખ્યાન ૧૫૫ પ્રતિક્રમણના પર્યાય (૪) પ્રતિક્રમણનું ચોથું પર્યાયી નામ ધારણા છે. જેમાં નિવારવામાં આવે તે વારણા કહેવાય છે. તે ઉપર એક દ્રષ્ટાંત છે તે નીચે પ્રમાણે કોઈ એક રાજાએ શત્રુરાજાનું સૈન્ય પોતા પર ચડી આવતું જાણીને તળાવ વગેરે જળાશયો તથા પુષ્પ, ફળ વગેરે સર્વ વસ્તુઓમાં ઝેર ભેળવી દીધું. આ ખબર શત્રુ રાજાને પડી, એટલે તેણે ઘોષણા કરાવીને બથા સૈન્યને તે રાજ્યની સર્વ વસ્તુનો ઉપભોગ કરતાં નિવાર્યું, તથાપિ જેમણે પોતાના રાજાનું વાક્ય માન્યું નહીં તેઓ વિષપ્રયોગથી મૃત્યુ પામ્યા અને જેઓએ તેનું વાક્ય માન્યું તેઓ સુખી થયા. ઉપરના દ્રષ્ટાંતનો ઉપનય આ પ્રમાણે છે કે વિષસમાન વિષયો જાણવા. નિવારનાર રાજાને ગુરુ સમાન જાણવો. તેના સૈનિકો તે ભવ્ય પ્રાણીઓ સમજવા. જેઓ ગુરુવાક્યથી વિષયથી વિમુખ રહ્યા તેઓ તરી ગયા અને જેઓએ ગુરુવાક્યનો અનાદર કર્યો તેઓ દુઃખી થયા. (૫) પ્રતિક્રમણનું પાંચમું પર્યાયનામ નિવૃત્તિ છે. તે પ્રશસ્ત અને અપ્રશસ્ત એમ બે પ્રકારે છે. સમિતિ અને ગુતિ વગેરેથી નિવૃત્તિ તે અપ્રશસ્ત અને પ્રમાદ વગેરેથી નિવૃત્તિ તે પ્રશસ્ત જાણવી. તે ઉપર એક દ્રષ્ટાંત છે તે નીચે પ્રમાણે કોઈ એક નગરમાં ત્યાંના રાજાની પુત્રી અને કોઈ ચિત્રકારની પુત્રી બન્ને સખીઓ હતી. તે બન્નેએ એવો સંકેત કર્યો કે આપણે એક જ પતિને વરવું. એકદા કોઈ પુરુષ મઘુર ગાયન કરતો હતો, તે સાંભળી તે બન્ને સખીઓ તેના ઉપર મોહ પામી તેની સાથે ચાલી. માર્ગે જતાં રાજપુત્રીએ એક ગાથા સાંભળી. તેનો ભાવાર્થ એવો હતો કે “હે આમ્રવૃક્ષ! આ કરેણના વૃક્ષ તો આજે ભલે પ્રફુલ્લિત થાય, પણ તારે આ અધિક માસમાં પ્રફુલ્લિત થવું ઘટે નહીં, કારણ કે જે નીચ હોય તે જ આડંબર કરે છે, ઉત્તમ હોય તે અકાળે આડંબર કરતાં નથી. તે સાંભળી રાજપુત્રીએ વિચાર્યું કે-“આ ગાથામાં વસંતે આમ્રવૃક્ષને ઉપાલંભ આપેલો છે કે કરેણના વૃક્ષો અધમ છે તે તો પ્રફુલ્લિત થાય, પણ હે આમ્ર! તારે આ અધિક માસમાં પ્રફુલ્લિત થવું ન ઘટે; કારણ કે તું ઉત્તમ વૃક્ષ છે. તેં શું અધિક માસની ઘોષણા સાંભળી નથી? આ ઉપરથી મારે વિચારવા યોગ્ય છે કે આ ચિતારાની પુત્રી તો આવી રીતે જેવાતેવા પુરુષની સંગાથે ચાલી જાય, પણ તને રાજપુત્રીને તેમ કરવું ઘટે છે? નથી ઘટતું.” આમ વિચારીને “હું મારાં આભૂષણનો ડાબલો ભૂલી ગઈ છું તે લઈ આવું' એમ કહી પાછી વળી અને પોતાના પિતાના પ્રસાદથી કોઈ રાજપુત્રને પરણીને સુખી થઈ અને ચિત્રકારની પુત્રી પેલા ઘૂર્ત ગાયકને વરીને પરિણામે દુઃખી થઈ. આનો ઉપનય એવો છે કે તે કન્યાઓને સ્થાને મુનિઓ જાણવા. જે ધૂર્ત ગાયક તે વિષયો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002172
Book TitleUpdeshprasad Part 3
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy