SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૧૫૪] પ્રતિક્રમણના પર્યાય પપ પ્રતિચરણા અપ્રશસ્ત અને પ્રશસ્ત એવા બે ભેદવાળી છે. તેમાં મિથ્યાત્વાદિકનું સેવન તે અપ્રશસ્ત પ્રતિચરણા અને ત્રણ રત્ન-જ્ઞાન, દર્શન ને ચારિત્ર–નું સેવન તે પ્રશસ્ત પ્રતિચરણા. તે વિષે એક દ્રષ્ટાંત છે તે નીચે પ્રમાણે– કોઈ વણિક પોતાની સ્ત્રીને “તું આ રત્નાદિકથી ભરેલા મહેલની સંભાળ રાખજે” એમ કહી દેશાંતર ગયો. તે સ્ત્રી પોતાના શરીરની વિભૂષા વગેરેમાં જ તલ્લીન રહી, તેથી તેણે મહેલની બિલકુલ સંભાળ રાખી નહીં. દેવયોગે મહેલની એક દિવાલમાં પીપળાનો અંકુર ફૂટ્યો અને તે એટલો બધો વૃદ્ધિ પામ્યો કે જેથી તે દિવાલ તૂટી જવાથી આખો મહેલ વિશીર્ણ થઈ ગયો; તો પણ તે સ્ત્રીએ તેની સારવાર કરી નહીં. કેટલેક દહાડે પેલો વણિક ઘેર આવ્યો; એટલે મહેલની તેવી સ્થિતિ જોઈને તેણે પેલી સ્ત્રીને ઘરમાંથી કાઢી મૂકી. પછી મહેલ પડાવીને નવો કરાવ્યો અને બીજી સ્ત્રી પરણ્યો. કેટલેક દિવસે પાછો અગાઉ પ્રમાણે તે નવી સ્ત્રીને તે મહેલની ભલામણ કરીને વિદેશ ગયો. તે સ્ત્રી ત્રિકાલ મહેલની સંભાળ રાખવા લાગી. પેલો વણિક વિદેશથી આવી મહેલને સારો રાખેલો જોઈ ખુશી થયો અને તે સ્ત્રીને પોતાના સર્વસ્વની માલિક કરી. આ દ્રવ્ય પ્રતિચરણા જાણવી. ભાવથી તેનો ઉપનય એવો છે કે–વણિકને સ્થાને ગુરુમહારાજ સમજવા. જે મહેલ તે સંયમ સમજવું કે જે નિત્ય સંભાળ લેવા યોગ્ય છે. વણિકરૂપ ગુરુની આજ્ઞા પ્રમાણે જે સાધુ સાતાદિ ગારવમાં લીન થયો થકી કુંડરીકની જેમ તે સંયમરૂપ મહેલની બરાબર સંભાળ રાખતો નથી તે વણિકની પ્રથમ સ્ત્રીની જેમ દુઃખી થાય છે અને જે સાઘુ તે સંયમરૂપ પ્રાસાદને બરાબર જાળવી રાખે છે તે બીજી સ્ત્રીની જેમ નિર્વાણ સુખનો ભોગી થાય છે. વ્યાખ્યાન ૧૫૪ પ્રતિક્રમણના પર્યાય (૩) પરિહરણ એટલે સર્વ પ્રકારે વર્જવું તે. વર્જન અપ્રશસ્ત અને પ્રશસ્ત એમ બે પ્રકારે છે. જ્ઞાનાદિકનું ત્યજવું તે અપ્રશસ્ત અને ક્રોધાદિકનું ત્યજવું તે પ્રશસ્ત. આ પ્રતિક્રમણનું ત્રીજું પર્યાયનામ છે. તે વિષે દૂઘની કાવડનું દ્રષ્ટાંત છે તે નીચે પ્રમાણે– કોઈ એક કુલપુત્ર હતો. તેને બે બહેનો હતી. તે બન્ને બહેનોને એક એક યુવાન પુત્ર હતો. તે બન્ને મામાની પુત્રીને પરણવા માટે એક સાથે આવ્યા. મામાએ તેમને કહ્યું, “તમારા બન્નેમાં જે દક્ષ હશે તેને હું મારી પુત્રી આપીશ.” પછી તેણે તેઓને ગોકુલ (નેહડા) માંથી દૂઘ લાવવા માટે બે કાવડ આપીને મોકલ્યા. તેઓ ત્યાંથી દૂધ વડે બે બે ઘડા ભરીને પાછા વળ્યા. પાછા આવવાના બે માર્ગ હતા, તેમાં એક સરલ માર્ગ હતો તે ઘણો લાંબો હતો અને બીજો વિષમ હતો તે ટૂંકો હતો. બન્નેમાંથી એક જણ લાંબા અને પર્વતાદિક વિનાના સરલ માર્ગે ચાલ્યો તે દૂઘના કુંભ ભાંગ્યા વગર ક્ષેમકુશલ આવ્યો અને બીજો લાભ લેવાને ઉત્સુક થઈ નજીકના વિકટ માર્ગે ચાલ્યો, તે દૂઘના ઘડા ભાંગીને આવ્યો. મામાએ કુશળક્ષેમ આવેલા ભાણેજને પોતાની પુત્રી આપી. આ દ્રવ્યપરિહરણા સમજવી. ભાવથી તેનો ઉપનય આ પ્રમાણે છે-કુલપુત્રને સ્થાને જિનેશ્વર ભગવંત સમજવા. દૂઘ તે ચારિત્ર, કન્યા તે મુક્તિ અને ગોકુલને સ્થાને માનુષ જન્મ સમજવો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002172
Book TitleUpdeshprasad Part 3
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy