SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ પ૪ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ 3 [સ્તંભ ૧૧ પ્રતિલેખન કર્યા પછી તરત જ સૂર્ય ઊગે.” ઉત્સર્ગથી બતાવેલા ઉક્તકાળે પ્રતિક્રમણ ક્રિયા કરવાથી યોગ્ય સમયે કૃષિ કરનારા ખેડૂતની જેમ મોટું ફળ પ્રાપ્ત થાય છે. અપવાદથી તો યોગશાસ્ત્રની વૃત્તિમાં લખે છે કે “દેવની પ્રતિક્રમણ મધ્યાહ્ન પછી અર્ધ રાત્રિ સુધી થઈ શકે છે અને રાઈ પ્રતિક્રમણ અર્ધ રાત્રિથી માંડી મધ્યાહ્ન સુધી થઈ શકે છે.” આ પ્રતિક્રમણ શબ્દના ભદ્રબાહુ વગેરે સૂરિઓએ આઠ પર્યાય કહેલા છે. તેનાં નામ આગળ કહેવામાં આવશે. તે આઠ પર્યાય નિશ્ચયપૂર્વક ઘારી રાખીને તેવું પ્રતિક્રમણ પૌષઘવ્રતમાં શ્રાવકે હર્ષથી કરવું. તે વિષે ચૂલની પિતા શ્રાવકની કથા સાતમા અંગ શ્રી ઉપાસક દશાંગ સૂત્રથી જાણી લેવી. તે વિષે કહ્યું છે કે “જે પ્રતિક્રમણયુક્ત પોસહ કરે છે તે ગૃહસ્થને ધન્ય છે અને ચૂલનીપિતાની જેમ જે પાળે છે તેને વિશેષ ઘન્ય છે.” હવે પ્રતિક્રમણનાં આઠ પર્યાયનામ કહે છે. ૧ પ્રતિક્રમણ, ૨ પ્રતિચરણા, ૩ પરિહરણા, ૪ વારણા, ૫ નિવૃત્તિ, ૬ નિંદા, ૭ ગર્તા અને ૮ શોધિ. (૧) પ્રતિક્રમણ એ પહેલું પર્યાયનામ આ પ્રમાણે સિદ્ધ થાય છે. પ્રતિક્રમણ એ શબ્દમાં પ્રતિ એ ઉપસર્ગ પ્રતીપ (ઊલટું) વગેરે અર્થમાં પ્રવર્તે છે. ક્રમણ એ શબ્દમાં ક્રમ્ એ ઘાતુ પાદવિક્ષેપ એટલે ડગલાં ભરવાં એ અર્થમાં છે; તેને અનટુ પ્રત્યય આવવાથી પ્રતિક્રમણ એ શબ્દ સિદ્ધ થાય , છે. તેનો અર્થ એવો થાય છે કે પ્રતિ એટલે પાછું અને ક્રમણ એટલે પગલું ભરવું તે પ્રતિક્રમણ. તેનો આશય એવો છે કે શુભ યોગમાંથી અશુભ યોગમાં ગયેલાએ પાછું શુભ યોગમાં આવવું તે પ્રતિક્રમણ. તેનો ભાવાર્થ નીચેના દ્રષ્ટાંત ઉપરથી જાણી શકાય તેમ છે. તે દ્રષ્ટાંત આ પ્રમાણે કોઈ રાજાએ પોતાના શહેરની બહાર મહેલ બાંઘવાની ઇચ્છાથી કોઈ એક ક્ષેત્રની ભૂમિને અસ્થિપ્રમુખ શલ્ય કાઢી, શુદ્ધ કરાવી તે ઉપર મહેલ માટે દોરી છંટાવી. પછી ત્યાં રક્ષકોને રાખીને તેમને રાજાએ એવી આજ્ઞા કરી કે “જો કોઈ પણ માણસ આ ભૂમિમાં પ્રવેશ કરે તો તેને તમારે મારી નાખવો, પણ જો તે તરત તે જ પગલે પાછો ફરે તો તેને છોડી મૂકવો.” આવી આજ્ઞા કરી રાજા શહેરમાં આવ્યો. અન્યદા કોઈ બે ગામડીઆ માણસ તે ભૂમિમાં પેસી ગયા. તરત જ પેલા રક્ષકોએ તેમને જોઈને પૂછ્યું-“અરે! તમે અહીં કેમ પેઠા? એટલે તેમાંથી એક માણસ જે વૃષ્ટ હતો તે બોલ્યો–એમાં શો દોષ છે” તેમ બોલતાં જ તેને રાજસેવકે મારી નાખ્યો. તે જોઈ બીજો માણસ ભય પામ્યો; એટલે તે તત્કાળ રક્ષકની આજ્ઞા પ્રમાણે તે જ પગલે પાછો વળ્યો, તેથી તે સુખી થયો. આ પ્રમાણેના દ્રષ્ટાંતથી દ્રવ્ય પ્રતિક્રમણ સમજવું. હવે ભાવ પ્રતિક્રમણ ઉપર તે દ્રષ્ટાંતનો ઉપનય ઘટાવે છે–જે રાજા તે શ્રી તીર્થકર સમજવા. મહેલ કરવાનું સ્થળ તે સંયમ સમજવું. જે બે ગામડીઆ માણસ તે કુસાધુ સમજવા કે જેઓ રાગદ્વેષને આધીન થયેલા હતા. તે બન્નેમાં જે પ્રમાદના દોષથી અસંયમને પ્રાપ્ત થયા છતાં પાછો વળ્યો તે શુભ ફળને પામ્યો અને યાવત્ તે નિર્વાણ સુખને ભાગી થયો અને જે પાછો ન વળ્યો તે દુઃખનો ભાગી થયો. આ પ્રમાણે ઉપનયરૂપ દ્રષ્ટાંતથી પ્રતિક્રમણ શબ્દનો અર્થ જાણી લેવો. (૨) બીજું પર્યાયનામ “પ્રતિચરણા' છે તેનો શબ્દાર્થ એવો છે કે પ્રતિ એટલે વારંવાર તે તે ભાવમાં ચરણં–ગમન–સેવન એટલે ગમન કરવું વા સેવન કરવું તે પ્રતિચરણા કહેવાય છે. તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002172
Book TitleUpdeshprasad Part 3
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy