SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ પ3 વ્યાખ્યાન ૧૫૩] પ્રતિક્રમણના પર્યાયો વ્યાખ્યાન ૧૫૩ પ્રતિક્રમણના પર્યાયો પૌષઘમાં પ્રતિક્રમણ કરવું જોઈએ તે વિષે કહે છે पर्यायाः सन्ति ये चाष्टौ, निर्धार्य सूरिभिः कृताः । प्रतिक्रमणशब्दस्य, कार्यं तत्पौषधे मुदा ॥१॥ ભાવાર્થ-“સૂરિમહારાજાઓએ વિચારીને કરેલા એવા જે પ્રતિક્રમણ’ શબ્દના આઠ પર્યાય છે તે પ્રતિક્રમણ શ્રાવકે પૌષઘવ્રતમાં હર્ષથી કરવું.” વિશેષાર્થ–“તિ એટલે પાછું, મUT એટલે ચાલવું. અર્થાત્ પાપથી પાછા ઓસરવું તેનું નામ “પ્રતિક્રમણ' કહેવાય છે. કહ્યું છે કે स्वस्थानाद्यत्परस्थानं, प्रमादस्य वशाद् गतः । तत्रैव क्रमणं भूयः, प्रतिक्रमणमुच्यते ॥१॥ ભાવાર્થ-“પ્રમાદને વશ થયા થકા જે પોતાના સ્થાનથી પરસ્થાન પ્રત્યે જવાયું હોય, ત્યાંથી પાછા ફરી વાર ત્યાં જ (પોતાના સ્થાનમાં જ) ક્રમણ-ગમન કરવું તે “પ્રતિક્રમણ” કહેવાય છે.” અથવા પ્રતિકૂળ એવું ક્રમણ એટલે રાગાદિકથી વિરુદ્ધ ગમન કરવું તે “પ્રતિક્રમણ' કહેવાય છે. તે વિષે કહ્યું છે કે क्षायोपशमिकाद्भावादौदयिकस्य वशं गतः । तत्रापि च स एवार्थं, प्रतिकूलगमात् स्मृतः॥ ભાવાર્થ-“ક્ષાયોપશમિક ભાવથી ઔદયિક ભાવમાં ગયેલાનું જે પાછું પ્રતિકૂલ ગમન થવું, અર્થાત્ ક્ષયોપશમ ભાવમાં આવવું તેથી પણ એ અર્થ સિદ્ધ થાય છે.” અહીં કોઈ શંકા કરે કે “પ્રતિક્રમણ તો અતીત–પૂર્વકાળના પાપને પડિકમવારૂપ છે. કહ્યું છે કે–“અતીત કાળ સંબંઘી હું પ્રતિક્રમું , વર્તમાન કાળે સંવરું છું અને અનાગત કાળે પાપ ન કરવાનું પચખાણ કરું છું, એટલે નવું પાપ ન કરવાનું પ્રત્યાખ્યાન કરું છું.” તો અહીં ત્રણે કાળનું પ્રતિક્રમણ કેમ કહ્યું?” તેના સમાઘાનમાં કહે છે-“અહીં પ્રતિક્રમણ શબ્દ સામાન્યથી માત્ર અશુભ યોગની નિવૃત્તિ એ અર્થમાં છે; તેથી અતીત કાળ સંબંધી પાપની નિંદા દ્વારા અશુભ યોગની નિવૃત્તિ, વર્તમાન કાળે સંવર દ્વારા અશુભ યોગની નિવૃત્તિ અને અનાગત કાળ સંબંધી પ્રત્યાખાન દ્વારા અશુભ યોગની નિવૃત્તિ સમજવી.” પ્રતિક્રમણ દૈવસિક વગેરે પાંચ પ્રકારનું પ્રસિદ્ધ છે. તેમાં ઉત્સર્ગે દૈવસિક પ્રતિક્રમણનો કાળ આ પ્રમાણે કહેલો છે. જ્યારે સૂર્ય અડઘો આથમતો હોય તે વખતે ગીતાર્થ પ્રતિક્રમણ સૂત્ર (શ્રમણ સૂત્ર૧) કહે. આ વચન પ્રમાણે દૈવસિક પ્રતિક્રમણનો કાળ સમજવો. પ્રતિક્રમણ સંપૂર્ણ થાય તે વખતે બે ત્રણ તારા આકાશમાં ઊગેલા દેખાય, એમ પણ કહેલું છે. રાત્રિપ્રતિક્રમણનો કાળ આ પ્રમાણે કહેલો છે–“આવશ્યક કરવાને સમયે આચાર્યો નિદ્રાનો મોક્ષ કરે છે અર્થાત્ નિદ્રા તજી દે છે. પછી પ્રતિક્રમણની ક્રિયા એવે વખતે શરૂ કરે છે કે પ્રભાતે ૧ શ્રાવકે અહીં વંદિત્તા સૂત્ર સમજવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002172
Book TitleUpdeshprasad Part 3
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy