SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ પર શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૩ [સ્તંભ ૧૧ સ્વામી! એક ક્ષણમાત્ર પણ તમારો વિરહ અમને કોટીકલ્પ જેવો થાય છે, તેથી તમે પૌષધ લો ત્યારે આઠ પહોર સુધીનો તમારો વિરહ અમે સહન કરી શકીશું નહીં, માટે જો અમારા અંગના સુખની અભિલાષા હોય તો પર્વે પૌષધ કરવાનું છોડી દો.’’ રાજા બોલ્યો-‘પ્રાણાંતે પણ હું એ છોડીશ નહીં. સાંસારિક સુખમાં શું મહત્ત્વ છે? ઇંદ્રાદિકનું પદ મળવું સુલભ છે, પણ ધર્મ પ્રાપ્ત થવો એ અત્યંત દુર્લભ છે.’’ તે બન્ને બોલી—“હે સ્વામી! ત્યારે તમે અમને પાણિગ્રહણ વખતે જે વચન આપ્યું હતું તે વચન ગયું?’ રાજા બોલ્યો—‘પ્રિયાઓ! ઘન તથા રાજ્યાદિ સર્વ તમારા વચનથી છોડી દઉં, પણ ધર્મ તો છોડીશ નહીં, કેમ કે તે તો આત્માનો ખજાનો છે.’’ તે બોલી ‘‘પ્રિય! તમારું વચન જવાથી તમારા વચનની સાથે અમે અમારું અંગ ચિતામાં ભસ્મ કરીશું.'' રાજા ક્રોધ કરી બોલ્યો—“અરે! જરૂર તમે ચંડાલ કુલમાં ઉત્પન્ન થયેલી લાગો છો; કેમકે જે કુલવાન હોય તે ધર્મને વિષે અંતરાય કરે નહીં. તમે ચિતામાં પ્રવેશ કરવાનું શા માટે સ્વીકારો છો? બીજું જે ગમે તે માગી લો, હું આપવા તૈયાર છું.” તે બન્ને બોલી—‘પ્રાણનાથ! અમે અત્યંત સ્નેહથી અમારા સ્વામીને તપસ્યાથી કાયક્લેશ ન થાઓ એવા ઇરાદાથી આ પ્રમાણે કહ્યું હતું, તેમાં તમારે ક્રોધ કરવાનો અવસર નથી. બાકી તો પિતાના વચનનું ઉલ્લંઘન કરીને નીકળેલી અમો બન્નેના પૂર્વકર્મના સંબંધથી તમે પતિ થયા છો અને તમે શ્રી જિનેશ્વર ભગવંતની સમક્ષ અમારું વાક્ય અન્યથા કરવું નહીં એવી પ્રતિજ્ઞા લીધેલી છે, તેથી અમે હમેશાં અભંગસુખ માગીએ છીએ. અન્યથા તો અમે બાલ્યાવસ્થાથી પાળેલા શીલથી ને પિતાના રાજ્યથી બન્નેથી ભ્રષ્ટ થઈ; તો હવે તમારા રાજ્યાદિકને અમે શું કરીએ? હવે જો અમારાં વચનથી તમે પર્વનો ભંગ કરી શકો તેમ ન હો તો આ જિનગૃહ પાડી નાખો.’ આ વચન સાંભળતાં જ રાજાને મૂર્છા આવી અને તે પૃથ્વી પર પડી ગયો. જ્યારે સેવકોએ શીતળ ઉપચારથી તેને સચેત કર્યો ત્યારે તે બોલ્યો−અરે અધમ સ્ત્રીઓ ! મેં મોહને વશ થઈ મણિની શંકાએ કાચનો કટકો લીધો. હવે જે થયું તે ખરું, પણ તમે એક ધર્મના લોપ સિવાય બીજું જે જોઈએ તે યથેચ્છ રીતે માગી લો, કે જે આપીને હું મારા વાક્યદાનનો અટ્ટણી થાઉં.” તે વિદ્યાધરીઓ બોલી–‘જો તમારે વાક્ય પાળવાનું પ્રયોજન હોય તો તમારા પુત્રનું મસ્તક છેદીને આપો.’’ રાજા બોલ્યો‘ભદ્રે ! પારકા જીવને કેમ માગો છો? એ પુત્ર તો મારા દેહથી ઉત્પન્ન થયો છે, તો મારું જ મસ્તક ગ્રહણ કરો.’’ આ પ્રમાણે કહી રાજાએ વેગથી પોતાના મસ્તક ઉપર ખડ્ગનો પ્રહાર કર્યો. એટલે તેઓએ ખડ્ગની ઘારા સ્તંભિત કરી દીઘી. રાજા નવું નવું ખડ્ગ લઈ કંઠ ઉપર પ્રહાર કરવા લાગ્યો. તેવામાં તે બન્ને અંતર્ધ્યાન થઈ ગઈ. રાજા વિસ્મય પામી વિચાર કરવા લાગ્યો કે—“અહો! આ શું થયું?’’ તેવામાં તે બન્નેએ પ્રગટ થઈ પુષ્પવૃષ્ટિ કરીને પૂર્વનું સર્વ વૃત્તાંત કહી સંભળાવ્યું અને કહ્યું કે‘તમારા મહિમાથી અમારું મિથ્યાત્વ નાશ પામ્યું છે.’ ઇત્યાદિ પ્રશંસા કરી સ્વર્ગમાં જઈને ઇંદ્રની સભામાં પણ તેમણે સૂર્યયશાની પ્રશંસા કરી. અન્યદા સૂર્યયશા અરિસાભુવનમાં પોતાના પિતાની જેમ કેવલજ્ઞાન પામી મોક્ષે ગયા. એમની વિશેષ હકીકત જાણવી હોય તો શત્રુંજય માહાત્મ્યમાંથી જાણી લેવી. અમે તો જેવું સાંભળ્યું તેવું અહીં લખેલું છે. “પાક્ષિક વગેરે તિથિમાં કરેલો પૌષધધર્મ સૂર્યયશા રાજાની જેમ આ લોક અને પરલોકમાં સુખ આપે છે અને તેથી પ્રાણી નિષ્કલંક કાંતિનો સંચય કરે છે.’’ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002172
Book TitleUpdeshprasad Part 3
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy