SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૧પ૨] પર્વની આરાધના છોડી સત્વર ત્યાં દોડી ગયા. કહ્યું છે કે “જે સુખી જનને સુખનું છે, દુખીજવને વિનોદરૂપ છે, શ્રવણ અને હૃદયને હરનાર છે, કામદેવનો અગ્ર દૂત છે, નવનવા રસનો કરનાર છે અને નાયિકાને વલ્લભ છે, એવો પાંચમો ઉપવેદ “નાદ” આ જગતમાં જય પામે છે.” પછી રાજા પણ અનુક્રમે ત્યાં આવ્યા અને જિનેશ્વર ભગવંતને નમીને બહાર આવ્યા. તે સમયે આ બન્ને અપ્સરાઓનું સંગીત, સ્મિત, નૃત્ય, વેષ, લાવણ્ય અને અનુપમ રૂપ તેના જોવામાં આવ્યું. પોતાની કાંતિથી સૂર્યના બિંબનો પણ તિરસ્કાર કરતી તે બાલાનું વિશેષ વર્ણન શું કરવું! ઇદ્ર પણ તેના રૂપ ગુણને જોઈને અસંખ્યકાળે પણ તૃતિ પામતો નથી. આવું ઉત્તમ તેમનું સૌંદર્ય જોઈ રાજા મંડળની બહાર દ્રવ્યથી ભૂમિ પર અને ભાવથી તેમના ગુણોની સ્તુતિમાં સ્થિત થયો. પછી તે સુંદરીઓનાં અવસરોચિત કરેલાં નૃત્યગીતરૂપ અમૃતરસનું કર્ણપુટ વડે પાન કરી, પોતાના મંત્રીને મુખે તેમના જાતિ કુળ પુછાવ્યાં. તે અપ્સરાઓ બોલી–“અમે બન્ને વિદ્યાધરોની પુત્રીઓ છીએ. અદ્યાપિ કુમારિકા છીએ. અમારી સદ્ગશ અને અમારા વચન પ્રમાણે વર્તનાર પતિને શોધવા અમે બન્ને તીર્થે તીર્થો અને નગરે નગરે પર્યટન કરીએ છીએ, પણ અમને હજુ સુધી તેવો યોગ્ય પતિ જોવામાં આવ્યો નથી; તેથી હવે અમે સ્વસ્થાને જઈશું.” ત્યારે મંત્રી બોલ્યો-“આ અમારા સ્વામી સૂર્યયશા કે જે મરુદેવીના પુત્ર ઋષભદેવ પ્રભુના પૌત્ર થાય છે તેના જેવો કોઈ ત્રિભુવનમાં નથી. તેની સાથે જ તમે વિવાહ કરો અને તમારા વિરહના દાહને શાંત કરો. અમારા સ્વામી સત્ય પ્રતિજ્ઞાવાળા અને સુજ્ઞ છે. તે રાજા કદી પણ તમારા બન્નેના વાક્યનું ઉલ્લંઘન કરશે નહીં.” મંત્રીનાં આવાં વચન સાંભળી તે બોલી–તે અમારું વાક્ય ઉલ્લંઘન કરશે નહીં તેનું કોણ સાક્ષી?” મંત્રી બોલ્યો– તે વિષે હું જામીન છું.” ત્યારે તે બોલી કે વચન આપો.” પછી રાજાએ વચન આપ્યું અને શ્રી યુગાદીશ પ્રભુની સમક્ષ તે બન્નેનું પાણિગ્રહણ કરી તે બન્નેને લઈને રાજા ઘરે આવ્યો. તે વિદ્યાઘરીઓ સુંદરાવાસમાં સુખે રહેવા લાગી અને રાજા પણ હમેશાં અભિનવ કલાના અવલોકન વડે પ્રસન્ન થવા લાગ્યો. એકદા તેમની સાથે રાજા પોતાના સુંદરાવાસમાં બેઠો હતો તેવામાં માર્ગે થતી પડદની ઘોષણા તેમના સાંભળવામાં આવી. તે સાંભળી વિદ્યાધરીઓએ રાજાને પૂછ્યું-“સ્વામી! આ શેનો ધ્વનિ સંભળાય છે?” રાજા બોલ્યો-“સુંદરીઓ! આવતી કાલે અષ્ટમીનો પર્વ દિવસ છે; તેથી તે દિવસે અનેક પ્રકારના દળણ, ખંડન, પેષણ, રંઘન, અબ્રહ્મસેવન, જ્ઞાતિભોજન, તિલ તથા એરંડી વગેરેનું પાલન, રાત્રિભોજન, વૃક્ષછેદન, ભૂમિવિદારણ, ઇંટ તથા ચૂનો પકાવવા માટે અગ્નિ-પ્રવાલન, વાક્ષાલન, વાસી ભોજનનું રાખવું, શાળિ તથા ચણા સેકવા અને શાકપત્ર ખરીદવા વગેરે કોઈ જાતના પાપવ્યાપાર કોઈ કરશે નહીં તેમ કરાવશે પણ નહીં. બાલક સિવાય સર્વ લોકો પ્રાયે ઉપવાસ કરશે. તેઓ તેમજ દશ હજાર રાજાઓ જેઓ કાલે પૌષઘ લેનારા છે તેઓ હમેશાં સુખમગ્ર હોવાથી પર્વ દિવસને શી રીતે જાણી શકે? તેથી પર્વને આગલે દિવસે એટલે સાતમ, તેરસ વગેરે તિથિએ મારી આજ્ઞાથી હમેશાં પડહની ઉદ્ઘોષણા થાય છે અને હું પણ પર્વ દિવસે પૌષધ ગ્રહણ કરું છું.” કર્ણમાં સીસા રેડવા જેવાં રાજાનાં વચનો સાંભળી તે બન્ને વિદ્યાઘરીઓ મૂચ્છ પામી ગઈ પછી રાજાએ શીતલ જલ તથા ચંદનના સિંચનથી તેમને સજ્જ કરી એટલે તેઓ બોલી–“હે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002172
Book TitleUpdeshprasad Part 3
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy