SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ 3 [સ્તંભ ૧૧ એક વખતે સૌધર્મેદ્રે પોતાની સભામાં બેઠાબેઠા અવધિજ્ઞાન વડે સૂર્યયશાનું પર્વ સંબંઘી ધર્મારાધનમાં સ્થિરપણું જાણી વારંવાર મન વડે જ તેની પ્રશંસા કરી મસ્તક ધુણાવ્યું. તે જોઈ ઇંદ્રની આગળ રંભા, ઉર્વશી વગેરે ગંધર્વાઓ મધુર ગાન, તાન અને હાવભાવપૂર્વક નૃત્ય કરતી હતી તેમણે ઇંદ્રને પૂછ્યું–‘હે સ્વામી! મર્ત્યલોકના જરાથી જર્જરિત એવા મનુષ્યના મસ્તકની જેમ તમે મસ્તક કેમ ઘુણાવ્યું? અમારા કળાકૌશલ્યમાં કે વાજિંત્રના તાલમાં ભૂલ પડવાથી તો તેમ નથી થયું? હે દેવ! આખી સભાને થયેલો આ સંદેહ ઇષ્ટવાક્ય વડે દૂર કરી અમારા મનને શલ્યરહિત કરો.’’ ઇંદ્ર બોલ્યા—“મર્ત્યલોકમાં ભરતચક્રીના જ્યેષ્ઠ પુત્ર સૂર્યયશાની એવી ધર્મદૃઢતા છે કે તેવી બીજા કોઈમાં જણાતી નથી; પરંતુ તેવા ગુણીજનને જ તે ઘટે છે. તેની ધર્મદૃઢતા જોઈને મેં અહીં બેઠા ભાવથી વંદના કરવારૂપે માથું નમાવ્યું છે, પણ માથું ધુણાવ્યું નથી. કહ્યું છે કે—‘દિગ્ગજ, કૂર્મ, કુલપર્વત અને શેષનાગે ઘારણ કરી રાખેલી આ પૃથ્વી કદી ચલાયમાન થાય, પણ નિર્મળ અને દૃઢ હૃદયવાળા પુરુષો જે અંગીકાર કરે તેને યુગાંતે પણ છોડતા નથી.’ વળી એ સૂર્યયશાના પરિચયથી બીજા પણ ઘણા જીવો પર્વના આરાઘનમાં તત્પર થયા છે. કહ્યું છે કે– सुंदरजणसंसग्गी, सीलदरिद्दं कुणइ सिलढुं । जह मेरुगिरि विलग्गं, तणंपि कणगत्तणमुवेइ ॥ १॥ શીલ રહિત એવો માણસ હોય પણ જો ઉત્તમ જનનો સંસર્ગ કરે તો તે શીલવાળો થાય છે. જેમ મેરુપર્વત ઉપર ઊગેલું ઘાસ પણ સુવર્ણપણાને પામે છે તેમ.'’ આ પ્રમાણે સૌધર્મ ઇંદ્રે કરેલું તેનું વર્ણન સાંભળીને રંભા અને ઉર્વશી બોલી–‘હે સ્વામી! ઘાન્યના કીડા અને માત્ર અન્ન ઉપર જીવનારા મનુષ્યની આટલી બધી પ્રશંસા શું કરો છો? જ્યાં સુધી તેમણે અમારું મુખ જોયું નથી ત્યાં સુધી જ તેમની ધર્મ વિષે દૃઢતા છે.’ આ પ્રમાણે કહી તે બન્ને પ્રતિજ્ઞા લઈને મર્ત્યલોકમાં આવી અને શક્રાવતાર નામના જિનમંદિરમાં જઈને હાથમાં વીણા લઈ મધુર સ્વરે જિનેશ્વર ભગવંતના ગુણોનું ગાન કરવા લાગી. તેમણે સપ્ત સ્વરમય એવું સંગીત ગાયું કે જે સાંભળી પોતાની જાતિના સ્વરની ભ્રાંતિથી પક્ષીઓ પણ ત્યાં સાંભળવા આવ્યાં. કહ્યું કે—‘‘મયૂર ષડ્ઝ સ્વર બોલે છે, કૂકડો ઋષભ સ્વર વહે છે, હંસ ગાંધાર સ્વર ઉચ્ચારે છે, ગવૈલક મધ્યમ સ્વર બોલે છે, વસંતઋતુમાં પુષ્પ વિકસ્વર થવાને સમયે કોકિલા પંચમ સ્વર બોલે છે, સારસ ધૈવત બોલે છે અને હાથી સાતમો નિષાદ સ્વર બોલે છે.’ એવી રીતે જુદી જુદી પક્ષીઓની જાતિમાં રહેલા સ્વરો તેમના કલાકૌશલ્યથી એકી સાથે પ્રગટ થઈ ગયા. તે કેમ બન્યું? તેના ઉત્તરમાં સ્વરોની ઉત્પત્તિના સ્થાન બતાવે છે. ‘કંઠમાંથી ષડ્જ સ્વર ઉત્પન્ન થાય છે, હૃદયમાંથી ઋષભ ઉદ્ભવે છે, નાસિકામાંથી ગાંધાર પ્રગટે છે, નાભિમાંથી મધ્યમ થાય છે, ઉરસ્થળ અને કંઠમાંથી પંચમ થાય છે, લલાટમાંથી ધૈવત થાય છે અને સર્વ સંઘિમાંથી નિષાદ ઉદ્ભવે છે. આ પ્રમાણે સાતે સ્વરોની ઉત્પત્તિ છે.’’ ૫૦ શ્રી આદીશ્વરનો પૌત્ર સૂર્યયશા રાજા પાક્ષિક પૌષધ પૂર્ણ કરીને પ્રાતઃકાલે પરિવાર સહિત પ્રભુને નમવા માટે શક્રાવતાર ચૈત્યે આવ્યો. દૂરથી તીર્થને જોઈ વાહનમાંથી ઊતર્યો અને છત્ર, ચામર અને મુગટ દૂર મૂકી ઉપાનહ (જોડા) રહિત ચરણ વડે ચાલવા લાગ્યો. તે વખતે દૂર ચૈત્યમાં થતા સંગીતને સાંભળતાં જ અશ્વ, હસ્તી, પાયદલ અને બીજા રાજા પ્રમુખ સર્વે સૂર્યયશા રાજાને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002172
Book TitleUpdeshprasad Part 3
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy