SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૧૫૧] પર્વારાઘનનો વિધિ ૪૯ અન્યદા સુનંદ શ્રાવકે ગૃહનો ભાર પોતાના પુત્ર ઉપર નાખી દીક્ષા લીધી અને શુભ ધ્યાન વડે કેવલજ્ઞાન પામી ફરી વિહાર કરતા તે જ નગરમાં આવ્યા. રાજા પરિવાર સહિત તેમને વાંદવા ગયો. વાંદીને પાસે બેઠો. ત્યાં પેલો મયૂરનો જીવ રાજસેવક તેની ઉપર કોપ કરી દુષ્ટ ધ્યાન ઘરવા લાગ્યો. તે સમયે જ્ઞાની મુનિ તેને ઉદ્દેશીને નીચેનો શ્લોક બોલ્યા __ मयूरः प्राग्भवेऽभूत्त्वं मन्मुक्तबाणतो हतः । सांप्रतं मानुजं लब्ध्वा, मुश्च दौष्ट्यं भवप्रदम् ॥१॥ “તું પૂર્વભવે મયૂર હતો અને મારા મૂકેલા બાણથી મરણ પામ્યો હતો. હવે તું મનુષ્યજન્મ પામ્યો છે તો સંસારને આપનારી દુષ્ટતા છોડી દે.” આ શ્લોક સાંભળી તેને જાતિસ્મરણ જ્ઞાન થયું, તેથી પ્રતિબોઘ પામીને તેણે દીક્ષા ગ્રહણ કરી અને પોતે પૂર્વે કરેલો સર્વ દંભ જણાવી દીધો. | વિશાલનગરનો રાજા પણ કેવલજ્ઞાનીના ઉપદેશથી પૌષઘવ્રત વડે પર્વના દિવસોની આરાઘના કરવા લાગ્યો. કેવલી ભગવંતે અન્યત્ર વિહાર કર્યો. પછી અનુક્રમે મોક્ષને પ્રાપ્ત થયા. જે પ્રાણી હર્ષપૂર્વક પૌષઘવ્રત વડે સર્વ પર્વોની આરાધના કરે છે અને ચિત્તમાંથી ઘર્મપર્વોને તજતો નથી તે સર્વ સંપત્તિઓ વડે યુક્ત થાય છે. વ્યાખ્યાન ૧૫૨ પર્વની આરાધના सर्वारंभपरित्यागात्पाक्षिकादिषु पर्वसु । विधेयः पौषधोऽजस्रमिव सूर्ययशा नृपः॥१॥ ભાવાર્થ-“પાક્ષિક (ચતુર્દશી) પર્વ વગેરેમાં સર્વ આરંભનો ત્યાગ કરી સૂર્યયશા રાજાની જેમ હિંમેશા પૌષઘવ્રત અંગીકાર કરવું.” સૂર્યપશાનું વૃત્તાંત ઉપર કહેલા શ્લોકનો સંબંઘ શ્રી ઋષભદેવ પ્રભુના રાજ્યની સ્થિતિના સમયનો છે. પૂર્વે ઇંદ્રની આજ્ઞાથી ભગવંતની રાયસ્થિતિને અર્થે કુબેરે એક રાત્રિ અને દિવસમાં વિનીતા નામે બાર યોજન લાંબી અને નવ યોજન વિસ્તારવાળી નગરી બનાવી હતી. તેની ફરતો સુવર્ણનો કિલ્લો રચ્યો હતો. તેની મધ્યે ભગવંતને માટે એકવીશ અટારી (માળ)નું એક મંદિર કર્યું હતું. તે નગરમાં ભરતચક્રીની પછી તેના સવા કરોડ પુત્રોમાં મોટો સૂર્યયશા નામે પુત્ર રાજ્ય કરતો હતો. તેને સવાલક્ષ પુત્ર હતા અને દશ હજાર મુગટબદ્ધ રાજાઓનો તે અધિપતિ હતો. તે પોતાનું વિશાલ રાજ્ય નીતિથી પાળતો હતો અને દરરોજ પ્રાતઃકાળમાં પોતાની સેનાસહિત શક્રાવતાર નામના શ્રી ઋષભદેવ પ્રભુના પ્રાસાદે સ્તવ-સ્તુતિ મંગલ કરતો હતો. તેમ જ પાક્ષિક વગેરે પર્વને દિવસે દશ હજાર રાજાઓ અને બીજા સ્વજનોથી પરવય સતો તે પરિપૂર્ણ (આઠ પહોરનો અને ચારે પ્રકારનો સર્વથી) પૌષઘ કરતો હતો. તે દિવસે પોતે કાંઈ આરંભ કરતો નહીં તેમ બીજાની પાસે કરાવતો પણ નહીં. . ભાગ ૩–ો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002172
Book TitleUpdeshprasad Part 3
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy