SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૩ [સ્તંભ ૧૧ શ્રેષ્ઠ જ છે.” આવી બુદ્ધિ રાજાને ઉત્પન્ન થઈ, તેથી મુનિરાજે વિશેષ ઘર્મદેશના આપી. પછી તે પૂજ્યપાદ મુનિની પાસે શ્રાવકવ્રત અંગીકાર કરીને તે પોતાના નગરમાં આવ્યો અને પોતાના ઘરમાં રહેલા મચ્છજાલ વગેરે હિંસાનાં તમામ અધિકરણો બાળી નખાવ્યાં. પર્વને દિવસે તૈલી (ઘાંચી) તલ પીલે નહી અને ઘોબી વસ્ત્ર ઘોડે નહીં, તેવી સર્વત્ર પ્રવૃત્તિ કરાવી. એ પ્રકારે પર્વનો મહિમા કરવાથી અનેક જીવો ઘર્મને પ્રાપ્ત થયા. ઘણા કાળ પર્યત એ પ્રમાણે ઘર્મ આચરી પૃથ્વીપાળ રાજા મૃત્યુ પામીને વિશાલપુર નગરમાં શાળિભદ્ર શેઠની જેવો સુનંદ નામે વ્યાપારી થયો. તે જન્મમાં પણ નાની વયમાં જ પૂર્વના અભ્યાસથી તે જૈનધર્મ પામ્યો અને સર્વ પર્વ દિવસોમાં પૌષઘવ્રત કરવા લાગ્યો. હવે પેલો મયૂરનો જીવ જે વિશાલપુરમાં ઉત્પન્ન થયો હતો તે ત્યાંના રાજાનો સેવક થયો હતો. એકદા આ સુનંદ વ્યાપારી તેના જોવામાં આવ્યો, તેને જોતાં જ તેના અંતઃકરણમાં કોપ ઉત્પન્ન થયો, તેથી તે તેને મારી નાખવાની ઇચ્છા કરવા લાગ્યો. એક સમયે રાજાની રાણીના વક્ષસ્થલનો અમૂલ્ય હાર છાની રીતે ચોરી લઈ પર્વદિવસે પોસહ કરીને એકલા બેઠેલા સુનંદ શ્રાવકના કંઠમાં તેણે કપટથી પહેરાવી દીધો અને પછી તે રાજાની પાસે આવીને બેઠો. અહીં રાણી પોતાનો હાર ગુમ થયેલો જાણી શોક કરવા લાગી અને ખાનપાનાદિ પણ તજી દીઘાં. રાજાએ પોતાના હજારો સેવકોને પુરમાં લોકોના ઘરમાં તપાસ કરવા મોકલ્યા. એ વખતે પેલો મયૂરનો જીવ રાજાના બીજા સેવકોને સાથે લઈ પૌષધશાલામાં ગયો અને ત્યાં પોસહ લઈને બેઠેલા સુનંદના કંઠમાં તે હાર બતાવ્યો. રાજસેવકો સુનંદને પકડી રાજાની પાસે લાવ્યા. રાજાએ તેને પૂછ્યું; પણ તેણે સાવદ્ય ઉત્તર આપ્યો નહીં. રાજાએ તેને મારી નાખવા માટે વઘસ્થાને મોકલ્યો. રાજાની આજ્ઞા લઈને પેલો મયૂરનો જીવ હાથમાં ખગ લઈ તેને મારવા આવ્યો, પરંતુ તેના શરીર ઉપર વિકરાળ ખગનો ઘા કરતાં ખર્ગના હજારો કટકા થઈ ગયા. સુનંદે પૂર્વભવમાં હિંસાના અધિકરણો ભાંગી નાખ્યા હતા અને બાળી નાખ્યા હતા, તે પુણ્યથી આ ભવમાં તે ખગના સહસ્ત્ર કટકો સ્વયમેવ થઈ ગયા. બીજા સેવકોના શસ્ત્રો પણ નષ્ટ થઈ ગયાં, તેથી સર્વ રાજસેવકો શસ્ત્ર રહિત થઈ મનમાં ભય પામતા સતા રાજાની પાસે આવ્યા અને એ વૃત્તાંત રાજાને જણાવ્યો. રાજા વિસ્મય પામી દ્વેષ રહિત થઈ ત્યાં આવ્યો એટલે પેલા સેવકે રાજાને કહ્યું કે-“સ્વામી! આ ધૂર્ત વણિકે મંત્રને પ્રયોગથી તમારા સેવકોને બહુ દુઃખી કર્યા છે, તેથી તે અવશ્ય વઘ કરવાને લાયક છે.” તે સાંભળી રાજા બોલ્યો-“આવતી કાલે તે સર્વ કરવામાં આવશે, અત્યારે તો તેને છોડી દો અને તેને ઠેકાણે મૂકી આવો.” બીજે દિવસે સુનંદ પૌષધ પારી રાજાની પાસે ગયો અને કહ્યું કે-“હે સ્વામી! અમે શ્રાવક છીએ, તેથી ચોરી કરીએ નહીં, બાકી ઘર્મના પસાયથી આવા હાર મારે ઘેર ઘણા છે, તે જોવા આપ પધારો.” રાજા તરત જ તેને ઘેર ગયો. ત્યાં તેના ઘરની સંપત્તિ જોઈ ચક્તિ થઈ ગયો. પછી તે શ્રાવકને રાજાએ પૂછ્યું કે–ત્યારે આ કેમ બન્યું?' શ્રાવક બોલ્યો-“હું શ્રાવક જૈન છું, તેથી બીજાની હિંસા કરું નહીં ને કરાવું પણ નહીં.” રાજાએ કહ્યું કે તમે કાલે કેમ કાંઈ બોલ્યા નહીં?” સુનંદે કહ્યું કે-“આઠમ વગેરે પર્વના દિવસે પોસહ લઈને રહેલા અમારે સાવદ્ય બોલવું કલ્યું નહીં.” આ પ્રમાણેનો તેનો નિયમ અને તેમાં દ્રઢતા જાણી રાજાએ તેની બહુ પ્રશંસા કરી અને પ્રસન્ન થઈને પોતાના મહેલમાં આવ્યો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002172
Book TitleUpdeshprasad Part 3
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy