SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭ વ્યાખ્યાન ૧૫૧] પર્વારાઘનનો વિધિ અન્યમતિના શાસ્ત્રમાં પણ પર્વના દિવસોમાં સ્નાનમૈથુનાદિનો નિષેધ કરેલો છે. વિષ્ણુપુરાણમાં કહ્યું છે કે चतुर्दश्यष्टमी चैव, अमावास्या च पूर्णिमा । पर्वाण्येतानि राजेंद्र! रविसंक्रांति पर्व च ॥१॥ तैलस्त्रीमांससंभोगी, पर्वस्वेतेषु वै पुमान् । વિમૂત્રમોનનું નામ, પ્રથાતિ નરવં મૃતઃારા. હે રાજેંદ્ર! ચૌદશ, આઠમ, અમાવાસ્યા, પૂર્ણિમા અને સૂર્યની સંક્રાંતિના દિવસો એ પર્વણીઓ છે. તે દિવસે તૈલ ચોળીને સ્નાન, સ્ત્રી સેવા અને માંસનો ભોગ કરે તો તે પુરુષ મૃત્યુ પામ્યા પછી વિમૂત્રભોજન નામના નરકમાં જાય છે” અવસરે કરેલું ઘર્મકાર્ય મોટા ફળને આપે છે, તેથી મુખ્ય રીતે પર્વના દિવસોમાં અહોરાત્રનો પોસહ કરવો. જો તે કરવા અશક્ત હોય તો રાત્રિપૌષઘ કરવો. આ પ્રમાણે પર્વની આરાઘના શ્રાવકે કરવી જોઈએ. તે ઉપર પૃથ્વીપાલ રાજાનું દ્રષ્ટાંત છે તે આ પ્રમાણે પૃથ્વીપાલ રાજાની કથા ક્ષિતિપ્રતિષ્ઠિત નગરમાં અનુપમ રૂપવાલો પૃથ્વીપાલ રાજા હતો. તે એક વખતે વનમાં મૃગયા રમવા ગયો. ત્યાં કોઈ એક વૃક્ષ ઉપર મયૂર પક્ષીને જોઈ ઘનુષ્ય ઉપર બાણ ચડાવ્યું અને તેના પ્રાણ લેવા માટે બાણ છોડ્યું. બાણ લાગવાથી મયૂરપક્ષી તત્કાળ પૃથ્વી ઉપર પડ્યો. તેને પૃથ્વી પર તરફડતો અને આક્રંદ કરતો જોઈ રાજાને વિચાર આવ્યો કે “અરે! આ જીવને મેં તેના ક્રીડારસમાંથી અકસ્માતુ વિરસ કર્યો. તેની જેમ મારાથી અધિક બળવાળો કોઈ નર કે વ્યાધ્ર આવી મને ઘણા પ્રહાર કરીને વેદના ઉપજાવે તો તે વખતે તેને કોણ નિવારે? માટે મારા જેવા પાપીને ધિક્કાર છે.” આમ વિચારી પૃથ્વી પર તરફડતા મયૂર પક્ષી પાસે જઈ રાજાએ તેને ખૂંપેલું તીર હળવેથી કાઢી નાખ્યું અને તે મોરને પ્રેમથી પંપાળી તેની ક્ષમા માંગવા લાગ્યો. વેદનામાં પણ રાજાએ તેને નમ્ર વચન કહ્યાં, તેથી કાંઈક શુભ ધ્યાનમાં તત્પર થયેલો તે મયૂર ક્ષણવારમાં મૃત્યુ પામ્યો અને વિશાલપુર નગરમાં મનુષ્યપણે અવતર્યો. પૃથ્વીપાલ રાજાએ ત્યાંથી આગળ ચાલતાં માર્ગમાં દ્રવ્યથી એક શિલાપટ્ટ ઉપર બેઠેલા અને ભાવથી અધ્યાત્મરૂપ શિલાપટ્ટ ઉપર બેઠેલા કોઈ મુનિરાજને દીઠા, એટલે તે તેમની પાસે મુગટ સહિત જઈને બેઠો. તે સમયે મુનિ બોલ્યા धर्मस्य जननी जीव-दया मान्या सुरैरपि । तस्मात्तद्वैरिणी हिंसां नाद्रियते सुधीर्नरः॥१॥ “ઘર્મની માતા જીવદયા છે જે દેવતાને પણ માનવા યોગ્ય છે, તેથી ઉત્તમ બુદ્ધિમાન પુરુષો જીવદયાની વૈરિણી હિંસાનો આદર કરતા નથી.” આ શ્લોક સાંભળી રાજાએ વિચાર્યું કે–મેં જે દુષ્કૃત્ય કર્યું છે તે આ મુનિએ દીઠું નથી તો પણ તેમણે કહી દીધું. વળી એમણે કહેલો ઘર્મ પણ ૧ જે નરકમાં વિણ અને મૂત્રનું જ ભોજન કરવું પડે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002172
Book TitleUpdeshprasad Part 3
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy