SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ શિતલ ૧૧) વ્યાખ્યાન ૧૫૧ પર્વારાધનનો વિધિ चतुर्दश्यष्टमीराकोदिष्टापर्वसु पौषधः । विधेयः सौधस्थेनेत्थं पर्वाण्याराधयेद् गृही ॥१॥ ભાવાર્થ-“ચૌદશ, આઠમ, પૂર્ણિમા અને અમાવાસ્યાદિ પર્વમાં ગૃહસ્થ પૌષઘવ્રત કરવું અને તેમ કરીને પર્વનું આરાઘન કરવું.” વિશેષાર્થ-ચૌદશ, આઠમ, પૂર્ણિમા અને અમાવાસ્યા એ પર્વ કહેવાય છે. તે પર્વમાં ગૃહસ્થ પોસહ કરવો. તે વિષે કહ્યું છે કે-“જો સર્વ દિવસોમાં ઘર્મક્રિયા કરી શકાય તો તેથી વિશેષ લાભ થાય છે; પણ કદી જો સર્વ દિવસોમાં ઘર્મક્રિયા કરી ન શકાય તો પર્વને દિવસે તો અવશ્ય ઘર્મક્રિયા કરવી.” વળી કહ્યું છે કે–“આઠમ, ચૌદશ વગેરે પર્વતિથિઓએ તો સર્વ ચૈત્ય તથા સાધુઓને અવશ્ય વાંદવાં. બીજી તિથિઓએ યથાશક્તિ વાંદવાં.” વાદિવૈતાલ શ્રી શાંતિસૂરિએ રચેલી શ્રી ઉત્તરાધ્યયન સૂત્રની વૃત્તિમાં કહ્યું છે કે सर्वेष्वपि तपोयोगः, प्रशस्तः कालपर्वसु । अष्टम्यां पंचदश्यां च, नियतः पौषधं वसेत् ॥४॥ સર્વ કાળપર્વમાં તપનો યોગ શ્રેષ્ઠ છે, પણ આઠમે અને પૂનમે તો અવશ્ય કરીને પોસહ ગ્રહણ કરવો.” જેમ વિજયાદશમી (દશેરા), દીપોત્સવી (દિવાળી) વગેરે લૌકિક પર્વમાં માણસો પોશાક તથા ખાનપાન વિશેષ રીતે કરે છે તેવી રીતે શ્રાવકે ઘર્મના (પર્વના) દિવસો જરૂર પાળવા. એક માસમાં આઠમ, ચૌદશ વગેરે પર્વના દિવસ છે આવે છે અને એક પખવાડિયામાં ત્રણ આવે છે, તે અવશ્ય કરીને પાળવા. પવણીના સંબંઘમાં કહ્યું છે કે-“બીજ પાળવાથી અણુવ્રત અને મહાવ્રતરૂપ બે પ્રકારનો ઘર્મ આરાધ્યાય છે, પાંચમ પાળવાથી પાંચ જ્ઞાન પમાય છે, આઠમથી આઠ કર્મ ખપે છે, એકાદશીથી એકાદશ અંગ પ્રાપ્ત થાય છે, અને ચૌદશ આરાધ્ય ચૌદ પૂર્વનો લાભ થાય છે.” એ પાંચ પર્વ છે તેમાં પૂર્ણિમા તથા અમાવાસ્યા મેળવવાથી ૭ પર્વ થાય છે. - શ્રી ગૌતમસ્વામીએ પ્રભુને પૂછ્યું કે– ભગવંત! બીજ વગેરે પાંચ પર્વણીએ કરેલ ઘર્માનુષ્ઠાનનું શું ફળ થાય?” પ્રભુએ કહ્યું- હે ગૌતમ! પ્રાયે આ જીવ પર્વણીઓને દિવસે પરભવનું આયુકર્મ ઉપાર્જે છે. એટલે એક ભવમાં આયુષ્ય બાંઘવાનો કાળ એક વખત અને અંતર્મુહૂર્તનો જ હોય છે. દરેક જીવ પોતપોતાના આયુષ્યને પાછલે ત્રીજે ભાગે આગામી ભવનું આયુષ્ય બાંધે છે અને તે કદી પણ ચલાયમાન થતું નથી. જેમ શ્રેણિક રાજાએ પૂર્વે ગર્ભિણી મૃગલીને મારતાં ગર્ભ પડ્યો એથી પોતાના બળનું વર્ણન કરતાં નારકીનું આયુષ્ય બાંધ્યું હતું, તે કોઈ પણ રીતે છૂટી શક્યું નહીં; એ પ્રમાણે સમજવું. ૧ પ્રથમ પૂર્ણિમાએ ચોમાસી પ્રતિક્રમણ થતું હોવાથી તેને પર્વણીમાં ગણેલ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002172
Book TitleUpdeshprasad Part 3
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy