SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫. વ્યાખ્યાન ૧૫૦] પૌષઘવ્રતનું સ્વરૂપ શંખ શ્રાવકની કથા શ્રાવસ્તી નગરીમાં શંખ અને પુખલી નામે બે શ્રાવક રહેતા હતા. તેઓ શ્રી વીર ભગવંતને નમી પાછા વળ્યા ત્યારે શંખે પુખલીને કહ્યું કે “તમે સારું ભોજન વગેરે તૈયાર કરાવો, તે જમીને પછી આપણે પાક્ષિક પોસહ લઈને રહીશું.” પુખલીને આમ કહ્યા પછી શંખે ઘેર આવીને વિચાર્યું કે-“આજે તો જમ્યા વગર જ પૌષઘવ્રત કરવું ઠીક છે, કારણ કે તેનું ફળ મોટું છે.” આમ વિચારી પોતાની ભાર્યાને કહી પૌષઘશાલામાં જઈને એકાકીપણે શરીર ઉપરથી અલંકારાદિ ઉતારી, શરીરસત્કારનો ત્યાગ કરી, પૌષઘ લઈ દર્ભના સંથારા ઉપર બેસી, શુભ ધ્યાન ધ્યાવવા લાગ્યો. અહીં પુખલી શ્રાવકે ભોજનાદિ સર્વ તૈયાર કરાવ્યું. ભોજન તૈયાર થયું એટલે તે શંખને આમંત્રણ કરવા ગયો. શંખની સ્ત્રી ઉત્પલા પુખલી શ્રાવકને આવતાં જોઈ ઊભી થઈ અને તેનું સન્માન કર્યું. પછી તે સ્ત્રીના કહેવા પ્રમાણે શંખ શ્રાવક પૌષધશાલામાં છે એમ જાણી પુખલી ત્યાં આવ્યો અને ઈર્યાપથિકી પડિક્કમીને ભોજન માટે શંખને નિમંત્રણ કર્યું. શંખે કહ્યું- “મારે તેમાંથી કાંઈ કલ્પતું નથી, તમે તમારી ઇચ્છાથી જેમ ગમે તેમ કરો. તે ભોજનાદિ ક્રિયા મારી આજ્ઞાથી કાંઈ કરવાની નથી.” તે સાંભળી પુખલી શ્રાવક પાછો ફર્યો અને તે વૃત્તાંત બીજાઓને જણાવ્યું. અહીં શંખ શ્રાવક રાત્રે ઘર્મજાગરણમાં ચિંતવવા લાગ્યો કે-હું તમને–શ્રી વીરપ્રભુને નમીને પછી પૌષઘ પૂર્ણ કરીશ અર્થાત્ પછી પારીશ.' પ્રભાત થતાં તે શ્રી વિરપ્રભુ પાસે જઈ નમીને બેઠો, એટલામાં ત્યાં પુખલી શ્રાવક પણ આવ્યો. તે પ્રભુને નમીને શંખને ઠપકો આપવા લાગ્યો કે “હે શંખ! તમે ગઈ કાલે સારું કામ કર્યું નહીં. તે સમયે ભગવંતે કહ્યું- હે પુખલી! તમે શંખની નિંદા કરો નહીં. એ ગઈ રાત્રે સુદક્ષ જાગરિકાથી જાગેલો છે.” તે અવસરે શ્રી ગૌતમસ્વામીએ પ્રશ્ન કર્યો કે “સ્વામી! જાગરિકા કેટલા પ્રકારની છે?” પ્રભુ બોલ્યા- “ગૌતમ! જાગરિકા ત્રણ પ્રકારની છે. પહેલી બુદ્ધ જાગરિકા, તે કેવળી ભગવંતને હોય છે. બીજી અબુદ્ધ જાગરિકા, તે છvસ્થ અનગારી (મુનિ)ને હોય છે, અને ત્રીજી સુદક્ષ જાગરિકા, તે શ્રમણોપાસક (શ્રાવક)ને હોય છે.” પછી શંખે ક્રોધાદિકનું ફળ પૂછ્યું, એટલે પ્રભુ બોલ્યા-“હે શંખ! ક્રોઘ માન વગેરે કષાયો આયુષ્ય કર્મ સિવાયના સાત કર્મની શિથિલ બંધનવાળી પ્રકૃતિઓને દૃઢ બંધનવાળી કરે છે.” તે સાંભળી પુખલી વગેરે શ્રાવકો શંખને વારંવાર ખમાવવા લાગ્યા. શંખ શ્રાવક પૌષધ વગેરે વ્રતો પાળી સૌઘર્મ દેવલોકે અરુણાભ વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયો. ત્યાં ચાર પલ્યોપમનું આયુષ્ય ભોગવી મહાવિદેહ ક્ષેત્રને વિષે જન્મ લઈ મોક્ષે જશે. આ સર્વ કથા શ્રી વિવાહપ્રજ્ઞતિ (ભગવતી) સૂત્રના બારમાં શતકમાંથી લખેલ છે. પાંચમા અંગમાં શ્રી જિનેશ્વર ભગવંતે પણ શંખ શ્રાવકનું ચાર પ્રકારવાળું ઉત્કૃષ્ટ પૌષઘ વ્રત વખાણેલું છે; તેથી તે વ્રત પર્વના દિવસોએ હર્ષપૂર્વક વિશેષે ઘારણ કરવું.” इत्युपदेशप्रासादवृत्तौ व्याख्यानहेतवे । पंचदशभिरस्राभिः स्तंभोऽयं दशमो मतः॥१॥ દશમ સ્તંભ સમાપ્ત || ૧ સારી રીતે ઘર્મધ્યાનમાં પ્રવર્તેલો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002172
Book TitleUpdeshprasad Part 3
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy