SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ४४ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૩ [તંભ ૧૦ રાત્રિએ આઠે પહોર બ્રહ્મચર્ય પાળવું તે સર્વથી બ્રહ્મચર્ય પોસહ જાણવો. (૪) અવ્યાપાર પોસહ પણ દેશથી અને સર્વથી એમ બે પ્રકારે છે. અમુક વ્યાપાર હું નહીં કરું એમ ઘારવું તે દેશથી અને હળ, ગાડાં, ઘર વગેરે સર્વ પ્રકારનો વ્યાપાર છોડી દેવો તે સર્વથી અવ્યાપાર પોસહ જાણવો.” અહીં જો દેશથી પૌષધ કરે તો સામાયિક કરે વા ન પણ કરે, પણ જો સર્વથી પોસહ કરે તો સામાયિક અવશ્ય કરે. જો ન કરે તો તેનું ફળ ન મળે. સર્વથી પોસહ ચૈત્યગૃહમાં, સાઘુની સમીપે અથવા ઘરે કે પૌષધશાળામાં જઈને કરવો. ત્યાં જઈ, આભૂષણાદિ દૂર કરી, પોસહ અંગીકાર કરીને પુસ્તક વાંચવા અથવા શુભ ધ્યાન ધ્યાવવું. શ્રાવકપ્રજ્ઞતિની વૃત્તિમાં પણ એ સર્વ કહેલું છે. તેમ જ પૌષઘસૂત્રમાં પણ “હરેમિ ભંતે! પોસહં હારપોસહં તેતો સવ્યો ” - ઇત્યાદિ ચારે ભેદથી પોસહ કહેલ છે. અહીં પોષઘ શબ્દનો અર્થ નિયમ કરીએ તો જ તેનો અર્થ બરાબર બંધબેસતો થાય છે. તે આહાર વગેરે ચારે પ્રકારના પોસહના દેશથી તથા સર્વથી મળી આઠ ભાંગાના એક બે વગેરે સંયોગી ભાંગા ગણતાં એંશી ભાંગા થાય છે. તેમાં હાલ આહારપોસહ બે પ્રકારે કરવામાં આવે છે, કારણ કે નિર્દોષ આહાર લેવામાં સામાયિકની સાથે વિરોઘ જોવામાં આવતો નથી; તેમ જ સાઘુ અને ઉપઘાન વહન કરનાર શ્રાવકો પણ આહાર ગ્રહણ કરે છે. બાકીના ત્રણ પોસઠ તો સર્વથી જ ગ્રહણ કરવા; કેમ કે જો સર્વથી ન લે તો “સવિઝનો પવરવામિ' એવો પાઠ સંભવે નહીં. અહીં કોઈ શંકા કરે કે નિર્દોષ દેહસત્કાર અને નિર્દોષ વ્યાપાર કરવામાં શો દોષ છે? તેના ઉત્તરમાં કહેવાનું કે તે બન્ને ક્રિયા દેહની શોભાના તથા લોભાદિકના હેતુભૂત છે અને સામાયિકમાં તે બન્ને (દેહવિભૂષા અને લોભ)નો નિષેધ કરેલો છે અને સમર્થપણાને અભાવે ઘર્મક્રિયાનો નિર્વાહ કરવા માટે સાધુની જેમ આહાર તો સ્વીકારવા યોગ્ય છે. તે વિષે શ્રી મહાનિશીથ સૂત્રમાં કહેલું છે કે “જો દેશથી આહારપોસહ કર્યો હોય તો ગુરુની સમક્ષ પચખાણ પારી “વિસ્મહી’ કહીને ઉપાશ્રયમાંથી નીકળે અને ઈર્યાસમિતિ વડે ઘરે જઈ, ઇરિયાવહી પડિક્કમી, ગમણાગમણે આલોવી, ચૈત્યવંદન કરે. પછી સંડાસા પ્રમાજી કટાસણા ઉપર બેસે. પાત્રને પ્રમાઈ યોગ્ય ભોજન પીરસાવે. પીરસ્યા પછી નવકાર ભણી, પચખાણ સંભારી, વદન પ્રમાજી સબડકા કે બચકા બોલાવ્યા સિવાય, વિલંબ કર્યા વગર, છાંડ્યા (એઠું મૂક્યા) સિવાય, મન, વચન અને કાયગતિએ યુક્ત થઈ સાધુની પેઠે ભોજન કરે. ભોજન કર્યા પછી પ્રાસુક જળ વડે મુખશુદ્ધિ કરી નવકાર સંભારીને ઊઠે. પછી ચૈત્યવંદન કરી, પચખાણ ઘારી પુનઃ પૌષથશાલામાં આવે અને સ્વાધ્યાય ધ્યાન કરે.” શ્રાદ્ધપ્રતિક્રમણની ચૂર્ણમાં પણ આ પ્રમાણે કહ્યું છે, પણ આ સામાયિક અને પૌષઘની એકત્રતાની અપેક્ષાએ છે; કારણ કે મુહૂર્ત માત્રના સામાયિકમાં તો અશન કરવું સર્વથા નિષિદ્ધ છે. પૌષઘને આશ્રયીને શ્રી નિશીથ ભાષ્યમાં એમ પણ કહેવું છે કે “દિકૃદંપ સો મુંને” “તેને ઉદ્દેશીને કર્યું હોય તો પણ પૌષઘવાળો શ્રાવક ખાય.” નિશીથ ચૂર્ણમાં પણ કહ્યું છે કે “જેને ઉદ્દેશીને કરેલું હોય તે સામાયિક કર્યા છતાં પણ ખાય.” નિર્વિવાદ વૃત્તિએ તો સર્વ આહાર વગેરેનો ત્યાગ કરવો એ જ સર્વોત્કૃષ્ટ પૌષધ છે. તે શંખ શ્રાવકની જેમ કરવો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002172
Book TitleUpdeshprasad Part 3
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy