SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૧૫૦] પૌષઘવ્રતનું સ્વરૂપ ૪૩ વિષ હરણ કર્યું. એક વખતે દેવતા પ્રમાદથી વિષ હરી શક્યો નહીં એટલે મુનિએ વિષ સહિત દધિનું ભોજન કર્યું, તેથી વિશ્વની અસર શરીરમાં વ્યાપી ગઈ. તે જાણી મુનિએ અનશન અંગીકાર કર્યું. ત્રીશ દિવસ અનશન પાળી, કેવલજ્ઞાન ઉત્પન્ન કરી, મૃત્યુ પામીને ઉદયન રાજર્ષિ મોક્ષે ગયા. તે પછી પેલા દેવતાએ ક્રોઘ કરીને કેશીરાજાના વીતભયનગરને રજની વૃષ્ટિવડે પૂરી દીધું. અહીં પિતાએ વ્રત લીધા પછી તેના પુત્ર અભિચિએ ચિંતવ્યું કે “અહો! મારા પિતાએ મને છોડી પોતાના ભાણેજને રાજ્ય આપ્યું, તેથી પિતાના એવા વિવેકને ધિક્કાર છે!' આમ વિચારી કેશીની સેવા કરવી તજી દઈને પિતાએ કરેલા અપમાનથી કંટાળી અભિચિ કોણિક રાજા પાસે આવ્યો. ત્યાં શ્રી વીર ભગવંતની વાણીથી પ્રતિબોધ પામી શ્રાવકઘર્મ પાળવા લાગ્યો, પરંતુ પોતાના પિતા ઉદયન સાથેનું વૈર તર્યું નહીં. અંતકાલે પાક્ષિક અનશન લઈ પૂર્વોક્ત પાપ આલોવ્યા વગર મૃત્યુ પામીને ભુવનપતિ દેવતા થયો. ત્યાં એક પલ્યોપમનું આયુષ્ય ભોગવી, ત્યાંથી એવીને અભિચિનો જીવ મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્ય થઈ મોક્ષે જશે. શ્રી વીર પ્રભુના નિર્વાણથી સોળસો ને ઓગણોતેર વર્ષ જ્યારે જશે ત્યારે કુમારપાળ રાજા તે પ્રતિમાને ઘૂળના દટ્ટણમાંથી બહાર કાઢશે અને પૂર્વની જેમ તેની પૂજા કરશે. જેમ ઉદયન રાજાએ પર્વના દિવસોએ સર્વ સાવદ્ય કર્મ છોડી નિષ્કામ ભક્તિ વડે શુભ યોગ સંયુક્ત ઘર્મ ગ્રહણ કર્યો હતો, તેવી રીતે વ્રતઘારી ગૃહસ્થોએ પણ નિરિચ્છભાવે ઘર્મ ગ્રહણ કરવો.” વ્યાખ્યાન ૧૫૦ પૌષધવ્રતનું સ્વરૂપ पोषं धर्मस्य धत्ते यत्तद्भवेत्पौषधव्रतम् । तच्चतुर्धा समाख्यातं, आहारपौषधादिकम् ॥१॥ ભાવાર્થ-“જેથી ઘર્મની પુષ્ટિ થાય તે પૌષઘવ્રત કહેવાય છે. તે આહારપૌષધ વગેરે ચાર ભેદવાળું છે.” વિશેષાર્થ-“પુષ્ય પુષ્ટી” પુષ્ય ઘાતુનો અર્થ પુષ્ટિ કરવી એવો થાય છે. “ઘર્મસ્ય પોષ– પુષ્ટ ઘારયતીતિ પૌષઘમ ” ઘર્મની પુષ્ટિને ઘારણ કરે તે પૌષઘ કહેવાય છે. તે અષ્ટમી વગેરે પર્વ દિવસોનું નિયમિત અનુષ્ઠાન છે. તેના ચાર પ્રકાર કહેલા છે. તે પ્રત્યેકના પણ બે બે પ્રકાર છે. તે વિષે શ્રી આવશ્યક નિર્યુક્તિની વૃત્તિમાં તથા તેની ચૂર્ણમાં પણ આ પ્રમાણે પાઠ છે– (૧)આહારપોસહ બે પ્રકારે છે, દેશથી અને સર્વથી. અમુક વિગઇનો ત્યાગ કરવો અથવા આંબેલ કે એકાસણું કરવું તે દેશથી આહારપોસહ કહેવાય છે અને રાત્રિદિવસના મળીને આઠે પહોર ચાર પ્રકારના આહારનો ત્યાગ કરવો તે સર્વથી આહારપોસહ કહેવાય છે. (૨) શરીરસત્કાર પોસહ પણ દેશથી અને સર્વથી એમ બે પ્રકારે છે. અમુક સ્નાનવિલેપન ન કરવું તે દેશથી અને સ્નાન, મર્દન, વિલેપન તથા પુષ્પાદિકનો તદ્દન ત્યાગ કરવો તે સર્વથી શરીરસત્કાર પોસહ જાણવો. (૩) બ્રહ્મચર્ય પોસહ પણ દેશથી અને સર્વથી એમ બે પ્રકારે છે. દિવસે અથવા રાત્રિએ મૈથુનનો ત્યાગ કરવો, અથવા એક વાર, બે વાર વગેરે પરિમાણ બાંઘવું તે દેશથી અને દિવસે અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002172
Book TitleUpdeshprasad Part 3
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy