SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ર શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ 3 [સ્તંભ ૧૦ વિચારી તેણે કહ્યું- હે પાચક! આજે પૂછવાનો શો હેતુ છે?” પાચક બોલ્યો-“સ્વામી! આજે પર્યુષણ પર્વ છે, તેથી મારા સ્વામી ઉદયન રાજાએ ઉપવાસ કર્યો છે, એટલે તમારે માટે જ આજે રસોઈ કરવાની છે.” ચંડપ્રદ્યોત બોલ્યો- હે પાચક! તે પર્વદિવસની વાત યાદ અપાવી તે સારું કર્યું, મારે પણ આજે ઉપવાસ છે.” રસોઇયાએ તે વાત ઉદયન રાજાને કરી, એટલે રાજાએ વિચાર્યું કે ચંડપ્રદ્યોત ઉપવાસી હોવાથી મારો સાઘર્મી થયો, તેથી તે જો બંદીખાને હોય તો મારું પર્યુષણ પર્વ શુદ્ધ ન ગણાય.” આવું વિચારી તેણે ચંડપ્રદ્યોતને બંદીખાનામાંથી બહાર કઢાવી ખમાવ્યો અને તેના લલાટમાં કરેલા અક્ષરોને ઢાંકવા માટે સુવર્ણ રત્નમય પટ્ટ બંઘાવી તેને અવંતિદેશ પાછો આપ્યો. પછી ચંડપ્રદ્યોત પોતાને સ્થાને ગયો. - વર્ષાકાલ વીત્યા પછી ઉદયન રાજા પોતાની નગરીમાં આવ્યો. તેણે મૂળ પ્રતિમાની પૂજાના નિર્વાહ માટે બાર હજાર ગામ આપ્યાં અને પ્રભાવતી દેવની આજ્ઞાથી તે નવી મૂર્તિની ભાવથી પૂજા કરવા લાગ્યો. એક વખતે રાજા પોતાના પૌષધાગારમાં પોસહ લઈને રહ્યો. મધ્ય રાત્રે શુભ ધ્યાન ધ્યાતાં તેના મનમાં આવો શુભ અધ્યવસાય ઉત્પન્ન થયો કે “જે રાજા વગેરેએ શ્રી વીર પ્રભુની પાસે દીક્ષા અને બીજા સમ્યક્ત્વાદિ વ્રત લીધેલાં છે તેઓને ઘન્ય છે, તેઓ વંદન કરવા યોગ્ય છે. જો પ્રભુ અહીં પઘારીને મને પવિત્ર કરે તો હું પણ તેમના ચરણકમળમાં દીક્ષા લઈને કૃતાર્થ થાઉં.” ભગવંત તેના આવા અધ્યવસાય જાણીને ત્યાં પધાર્યા. ઉદયન રાજા કોણિક રાજાની જેમ મોટા ઉત્સવ સાથે તેમને વંદન કરવા નીકળ્યો. વિધિપૂર્વક પ્રભુની દેશના સાંભળી ઘેર આવ્યો. ઘેર આવીને વિચાર્યું કે “અહો! આ રાજ્ય અંતે નરક આપનારું છે, તેથી તે મારા પુત્ર અભિચિને તો ન આપવું.” આવું વિચારી પોતાના ભાણેજ કેશીને રાજ્ય આપ્યું. પછી કેશી રાજાએ જેનો નિષ્ક્રમણ મહોત્સવ કરેલો છે એવા ઉદયન રાજાએ ભગવંત પાસે દીક્ષા લીધી. વ્રત લેવાના દિવસથી જ તીવ્ર તપસ્યા કરીને ઉદયન રાજર્ષિએ પોતાના દેહને શોષવી નાખ્યો. - નિરંતર નીરસ આહાર કરવાથી અન્યદા તે રાજર્ષિને વ્યાધિ ઉત્પન્ન થયો. તે કોઈ વૈદ્યના જોવામાં આવતાં વૈદ્ય કહ્યું કે “તમે દઘિનું ભક્ષણ કરી તમારા દેહની રક્ષા કરો.” મુનિ સ્વદેહમાં નિઃસ્પૃહ હતા, તે છતાં દથિ લેવા માટે ગવેષણા કરવા લાગ્યા. અન્યદા વિહાર કરતાં કરતાં વીતભયનગર આવી ચડ્યા. ત્યાં મંત્રીએ મુનિ પરના દ્વેષથી કેશી રાજાને જણાવ્યું કે “હે રાજ! આ તમારા મામા તપસ્યાથી કંટાળી તમારું રાજ્ય લેવા આવ્યા છે, માટે તેમનો વિશ્વાસ કરશો નહીં.' કેશીએ કહ્યું કે–“આ રાજ્ય તેમનું જ છે, ભલે સુખેથી લે.” મંત્રી બોલ્યો–“રાજ્ય કોઈનું આપ્યું મળતું નથી, પુણ્યથી મળે છે; તો પુણ્યથી મળેલું રાજ્ય શા માટે પાછું આપવું? તેથી હે રાજા! એ મુનિને કોઈ પ્રકારે વિષ આપો.” મંત્રીની પ્રેરણાથી કેશીએ પોતાના ઉપકારી મામાને કોઈ પશુપાલિકા (ગોવાલણી) પાસે વિષસંયુક્ત દધિ અપાવ્યું. તે વિષ સંહરી લઈ કોઈ દેવતાએ ઉદયન મુનિને જણાવ્યું કે “તમને વિષસંયુક્ત દધિ મળશે, માટે તમે દધિ ખાશો નહીં અને દધિની સ્પૃહા પણ કરશો નહીં.” મુનિએ તે દિવસથી દહીં ખાવું છોડી દીધું, એટલે રોગ વઘવા લાગ્યો; તેથી પુનઃ રોગ દૂર કરવા દધિ લીધું. પેલા દેવતાએ પાછું વિષ હરી લીધું. એમ ત્રણ વખત દેવતાએ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002172
Book TitleUpdeshprasad Part 3
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy