SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૧૪૯] ત્રીજું શિક્ષાવ્રત–પૌષથોપવાસ ૪૧ તુલ્ય છે, તેથી ચંડપ્રદ્યોત રાજા મારા પતિ થાઓ.” આવું ચિંતવતાં જ પેલી દેવીએ ચંડપ્રદ્યોત રાજા પાસે જઈને તેની આગળ દેવદત્તાના રૂપનું વર્ણન કર્યું એટલે તેણે તેની માગણી કરવા માટે પોતાના દૂતને તેની પાસે મોકલ્યો. દૂતે ત્યાં જઈને દેવદત્તાની પ્રાર્થના કરી, એટલે દેવદત્તાએ કહ્યું કે “રાજા અહીં આવશે ત્યારે અમારા બન્નેનું વાંછિત પૂર્ણ થશે.” દૂતે તે વાત ચંડપ્રદ્યોત રાજાને જણાવી, એટલે ચંડપ્રદ્યોત રાજા અનિલવેગ નામના હાથી ઉપર બેસી તે જ રાત્રે ત્યાં આવ્યો. ઉદ્યાનમાં તેઓ બન્ને એકઠા થયા. રાજા બોલ્યો કે “હે પ્રિયા! તમે અવંતિનગરીમાં ચાલો.' કુન્જા બોલી કે “આ જિનપ્રતિમા વિના હું જીવી શકું નહીં; તેથી આ પ્રતિમા જેવી જ બીજી પ્રતિમા કરાવીને તમે અહીં લાવો, એટલે તે પ્રતિમા અહીં રાખીને આ પ્રતિમા આપણે સાથે લઈ જઈશું.અવંતિપતિએ તે વાત કબૂલ કરી અને પોતાના નગરમાં જઈ જાતિવંત ચંદન કાષ્ઠની શ્રી વીરપ્રભુની તેવી જ મૂર્તિ કરાવી; તેમ જ પાંચસો મુનિઓના પરિવારવાળા કપિલ મુનિની પ્રાર્થના કરીને તે મૂર્તિની વાસક્ષેપપૂર્વક પ્રતિષ્ઠા કરાવી. પછી વિધિપૂર્વક તે મૂર્તિ સાથે લઈ, હાથી ઉપર ચડીને ચંડપ્રદ્યોત વીતભયપુરે ગયો અને તે સુંદર મૂર્તિ દેવદત્તા દાસીને આપી. તે ચૈત્યગૃહમાં તે નવીન મૂર્તિ સ્થાપી મૂલમૂર્તિ ત્યાંથી લઈને તે ચંડપ્રદ્યોતની સાથે અવંતિએ આનંદથી આવી. અહીં ઉદયન રાજા પ્રાતઃકાળે દેવાલયમાં દર્શન કરવા ગયો. જિનેશ્વરને નમીને સન્મુખ જોયું તો તેમના પર ચડાવેલી પુષ્પમાળા પ્લાન થયેલી જોઈ. તે જોતાં જ રાજા ચિંતવવા લાગ્યો કે પ્રતિમા જરૂર બીજી લાગે છે; જો અસલ મૂર્તિ હોય તો તેની માળા પ્લાન થાય નહીં. વળી સ્તંભ ઉપર રહેલી દેવતાની પૂતળી જેવી દાસી પણ અહીં જોવામાં આવતી નથી. વળી ગ્રીષ્મ ઋતુમાં દુર્લભ એવો મરુદેશના જળ જેવો હાથીનો મદ આ સ્થાને પડેલો જોવામાં આવે છે; તેથી જરૂર અહીં ચંડપ્રદ્યોત રાજા અનિલવેગ હાથી ઉપર ચડીને આવ્યો હશે એમ જણાય છે અને પ્રતિમા તથા દાસીને લઈ ગયો સંભવે છે. આમ ચિંતવતાં ઉદયન રાજાને ઘણો કોપ ચડ્યો તેથી તત્કાળ દશ મુગટબંઘ રાજાઓને સાથે લઈ મોટા સૈન્ય સાથે તેણે અવંતિ ઉપર ચડાઈ કરી. બન્નેની વચ્ચે પરસ્પર મોટો સંગ્રામ થયો. છેવટે ઉદયને બાણો વડે ચંડપ્રદ્યોત રાજાને હાથી ઉપરથી નીચે પાડી હાથ વડે પકડીને બાંધી લીધો અને તેના લલાટ ઉપર તપાવેલા લોઢાની શલાકાથી “આ મારી દાસીનો પતિ છે.' એવા અક્ષરો લખ્યા. પછી તેને બંદીખાને નખાવીને ઉદયન રાજા પ્રદ્યોતના દરબારમાં જ્યાં જિનાલય હતું ત્યાં ગયો. ત્યાં મૂળ પ્રતિમાજીને જોઈ, નમી, સ્તુતિ કરીને ત્યાંથી ઉપાડવા ઉપક્રમ કર્યો, પણ પ્રતિમા તે સ્થાનથી ચલિત થઈ નહીં. ત્યારે રાજાએ કહ્યું કે “હે નાથ! મેં શો અપરાઘ કર્યો છે કે જેથી તમે મારી સાથે આવતા નથી?” તે સમયે તેનો અધિષ્ઠાયક દેવ બોલ્યો-“હે રાજા! તારું નગર રજની વૃષ્ટિથી સ્થલરૂપ થઈ જવાનું છે, તેથી હું ત્યાં આવીશ નહીં, માટે તું શોક ન કરીશ.” તે સાંભળી ઉદયન રાજા અવંતિથી પાછો ફર્યો. માર્ગે ચાલતાં અંતરાલે ચાતુર્માસ આવ્યો, એટલે રાજાએ તે સ્થાને છાવણી નાખી. દશ રાજાઓના જુદા જુદા પડાવ હોવાથી તે સ્થાને દશપુર નગર વસ્યું. અન્યદા પર્યુષણ પર્વ આવતાં ઉદયન રાજાએ પોસહ લીઘો હતો તેથી તે દિવસે રસોઇયાએ ચંડપ્રદ્યોતને પૂછ્યું કે “આજે તમે શું જમશો?” તે સાંભળી અવંતિપતિ લોભ પામી વિચારમાં પડ્યો કે “કોઈ દિવસ નહીં ને આજે રસોઇયો મને જમવાનું પૂછે છે તેથી તેનું કાંઈક કારણ હશે!” આવું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002172
Book TitleUpdeshprasad Part 3
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy