SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૩ [સ્તંભ ૧૦ બોલી–પ્રાણેશ! આ શું થયું?” રાજાએ તેના આગ્રહથી યથાર્થ વાત કહી બતાવી, એટલે તે બોલી કે “આ અનિષ્ટ દર્શનથી મારું આયુષ્ય અલ્પ જણાય છે. વળી એક વખતે રાણીએ દેવપૂજાને યોગ્ય શ્વેત વસ્ત્ર દાસી પાસે મંગાવ્યાં. ભાવી વિઘને લીધે રાણીએ તે વસ્ત્ર રાતાં દીઠાં. તે પૂજાને અયોગ્ય જાણી ક્રોઘથી રાણીએ દર્પણ વડે દાસી ઉપર પ્રહાર કર્યો. દાસી મરણ પામી. પછી તે જ વસ્ત્રને શ્વેત જોઈ રાણીએ ચિંતવ્યું કે “મને ધિક્કાર છે, મારું પ્રથમ વ્રત ખંડિત થયું. આ પાપનો ક્ષય કરવા માટે હું દીક્ષા લઉં. પૂજાનાં વસ્ત્રનો વર્ણ વિપર્યય જોવાથી જરૂર હવે મારું આયુષ્ય અલ્પ જ છે.” પછી સ્વામીની આજ્ઞાથી તે વ્રત લેવામાં ઉત્સુક થઈ. તે સમયે રાજાએ કહ્યું–દેવી, તમે દેવપણું પામો તો મને આવીને પ્રતિબોઘ કરજો.' પ્રભાવતી રાણી ચારિત્ર લઈ સારી રીતે પાળી છેવટે અનશન કરીને સૌઘર્મ દેવલોકે દેવતા થઈ. અહીં રાણીએ દીક્ષા લીધા પછી દેવદત્તા નામે કુબ્બા દાસી પેલી મૂર્તિની પૂજા દરરોજ કરવા લાગી. ' હવે દેવ થયેલ પ્રભાવતી તાપસનું રૂપ ઘારણ કરી રાજાની સભામાં આવી દરરોજ એક દિવ્ય અમૃતફળની રાજાને ભેટ ઘરવા લાગ્યો. રાજા તે ફળના સ્વાદથી મોહ પામી ગયો. તેથી એક દિવસ તેણે તાપસને કહ્યું કે “હે મુનિ! આવાં ફળ કયા સ્થાનમાં ઉત્પન્ન થાય છે? તે સ્થાન મને બતાવો.” તાપસે કહ્યું કે “મારા આશ્રમે આવો તો બતાવું.” રાજા વેગથી તે તાપસની સાથે ચાલ્યો. દેવતાએ આગળ જઈ તેવાં દિવ્ય ફળથી ભરપૂર એક આરામ (ઉદ્યાન) વિકુવ્ય. રાજાએ તે જોઈને વિચાર્યું કે હું આ તાપસનો ભક્ત છું; તેથી તેઓ મારી ફળ ખાવાની ઇચ્છા પૂરી થવા દેશે, મને રોકશે નહીં.” આવું વિચારી રાજા વાનરની જેમ ફળો લેવા દોડ્યો, એટલે અનેક તાપસો દોડી આવી ક્રોધથી લાકડીઓ વડે તેને મારવા લાગ્યા, તેથી રાજા તસ્કરની જેમ ત્યાંથી ભાગ્યો. નાસતાં નાસતાં માર્ગમાં સાઘુઓને જોયા; એટલે રાજાએ તેમનું શરણ લીધું. સાઘુઓએ તેને આશ્વાસન આપ્યું, એટલે રાજા વિચાર કરવા લાગ્યો કે અહો! ક્રૂર તાપસોએ મને છેતર્યો. તેવામાં તેને બોઘ કરવા માટે આવેલા પ્રભાવતી દેવે પ્રત્યક્ષ થઈ પોતે વિદુર્વેલું સ્વરૂપ કહી બતાવ્યું અને સ્વસ્થાને ગયો. રાજા જૈન ઘર્મમાં એકચિત્તવાળો થઈ પોતાના નગર તરફ જવા ચાલ્યો, ત્યાં તો તેણે પોતાને રાજસભામાં બેઠેલો જોયો. હવે તે અરસામાં ગાંઘાર નામે એક શ્રાવક શાશ્વત પ્રતિમાને વાંદવાની ઇચ્છાએ વૈતાઢ્યગિરિના મૂળમાં જઈ તપ કરતો હતો. તેની ઉપર શાસનદેવી સંતુષ્ટ થઈ, એટલે તેનું વાંછિત તેણે પૂર્ણ કર્યું. ઉપરાંત તેણે પ્રસન્ન થઈને એકસો આઠ વાંછિતદાયક ગુટિકા તેને આપી. તેમાંથી એક ગુટિકા મુખમાં નાંખી તેણે ચિંતવ્યું કે “હું વીતભય નગરમાં દેવાધિદેવની મૂર્તિને વાંદવા જાઉં.” એમ ચિંતવતાં જ તે મૂર્તિની નજીક દેવતાએ તેને પહોંચાડ્યો. તેની પૂજા કરીને તે ત્યાં સુખે રહ્યો. અન્યદા તે બુદ્ધિમાન ગાંધાર શ્રાવકે પોતાનું મૃત્યુ નજીક જાણી પોતાની સાઘર્મી દેવદત્તા નામની કુન્જા દાસીને તે ગુટિકાઓ આપી અને પોતે દીક્ષા લીધી. દેવદત્તા સુંદર રૂપની ઇચ્છા રાખતી હતી, તેથી તેણે એક ગુટિકા મુખમાં રાખીને દિવ્ય રૂ૫નું ચિંતવન કર્યું, એટલે તે તત્કાળ દિવ્ય આકૃતિવાળી થઈ ગઈ, તેથી રાજાએ તેનું નામ સુવર્ણીગુલી પાડ્યું. પુનઃ તેણે એક ગુટિકા મુખમાં રાખીને ચિંતવ્યું કે “યોગ્ય વર મળ્યા સિવાય આ રૂપ વૃથા છે અને આ રાજા તો મારા પિતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002172
Book TitleUpdeshprasad Part 3
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy