SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૩ [તંભ ૧૧ સુરદેવ શ્રાવકના સંબંધમાં એવી વાર્તા છે કે વારાણસી નગરીનો નિવાસી સુરદેવ શ્રાવક એક વખતે પૌષધશાલામાં પોસહ લઈને રહેલો હતો. ત્યાં કોઈ દેવતાએ આવીને કહ્યું કે-“જો તું જૈનઘર્મનો ત્યાગ કરીશ નહીં તો તારા શરીરમાં એક સાથે મહારોગો ઉત્પન્ન કરીશ.” દેવતાનાં આવાં ભયકારી વચનથી તે પોતાની પ્રતિજ્ઞાથી ચલિત થઈ ગયો. પછી શ્રી વીરપ્રભુની પાસે જઈ, તેની આલોચના કરી અને પ્રતિક્રમણ કરી નિર્મળ થઈ સૌઘર્મ દેવલોકે ગયો. ત્યાં ચાર પલ્યોપમનું આયુષ્ય પૂરું કરી મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધિપદને પામશે. આ ભાવશુદ્ધિ જાણવી. શુદ્ધિ વિષે બીજું દ્રષ્ટાંત છે તે નીચે પ્રમાણે કોઈ રાજાએ પોતાની ઉપર શત્રનું સૈન્ય ચડી આવવાથી તેનો નાશ કરવા માટે કોઈ વૈદ્ય પાસેથી વિષ મંગાવ્યું. વૈદ્ય જવના દાણા જેટલું વિષ લઈને રાજા પાસે આવ્યો. રાજા તેટલું જ વિષ જોઈ તેના ઉપર કોપાયમાન થયો. વૈદ્ય બોલ્યો-“મહારાજા! કોપ કરો નહીં, આ સહસ્ત્રઘાતી વિષ છે.” પછી તેની પરીક્ષા કરવા એક મરેલા હાથીનું રૂંવાડું ઉપાડી તેમાં તે મૂક્યું, એટલે તે હાથીનું આખું શરીર વિષમય થઈ ગયું. વૈદ્ય જણાવ્યું કે જે આ હાથીનું ભક્ષણ કરશે અથવા સ્પર્શ કરશે તે સર્વ વિષમય થઈ જશે. રાજાએ પૂછ્યું-“આ વિષ ઉતારવાનું ઔષઘ પણ છે?” વૈદ્ય કહ્યું–હા છે.” પછી તેવા ઔષઘનો એક જવમાત્ર ભાગ મૂકવાથી તે હસ્તી નિર્વિષ થઈ ગયો. આ પ્રમાણે વૈદ્યની જેમ સાઘુએ પણ આલોચનારૂપ ઔષઘ વડે અતિચારરૂપ વિષને ઉતારી શુદ્ધિ કરવી. આ પ્રતિક્રમણના આઠ પર્યાય શ્રી હરિભદ્રસૂરિએ કરેલી શ્રી આવશ્યકસૂત્રની ટીકાને આઘારે (કર્તા કહે છે) મેં લખ્યા છે; તેથી તેને યથાર્થ રીતે જાણીને ક્રિયા કરવી. વ્યાખ્યાન ૧૫૮ ઈર્યાપથિકી પ્રતિક્રમણપૂર્વક પૌષધ प्रतिक्रमणश्रुतस्कंधमिर्यापथिकं तथा । प्रतिक्रम्य क्रियाः सर्वा, विधेयाः पौषधादिकाः॥१॥ ભાવાર્થ-“પ્રતિક્રમણશ્રુતસ્કંઘ જે ઈર્યાપથિક તે પડિક્કમીને પૌષઘ વગેરે સર્વ ક્રિયાઓ કરવી.'' વિશેષાર્થ-ઈર્યાપથિકનું બીજું નામ પ્રતિક્રમણશ્રુતસ્કંઘ એવું છે. તે પડિક્કમીને સર્વ ક્રિયાઓ કરવી. તે વિષે શ્રી વિવાહચૂલિકામાં કહ્યું છે કે “વસ્ત્ર તથા આભૂષણ વગેરે મૂકી દઈ ઇર્યાવહી પડિક્કમવાપૂર્વક મુહપત્તી પડિલેહીને પછી ચાર પ્રકારનો પૌષધ કરે.” શ્રી આવશ્યકચૂર્ણમાં પણ કહ્યું છે કે “ત્યાં ઢટ્ટર નામે શ્રાવક દેહચિંતા કરીને ઉપાશ્રયે આવે છે. આવીને દૂરથી જ ત્રણ નિસીહિ કહી, ગૃહવ્યાપારનો ત્રિવિશે નિષેઘ કરી મોટે સ્વરે ઈર્યાપથિકી પડિક્કમ છે.” તથા શ્રી ભગવતી સૂત્રમાં પણ પુખલી શ્રાવકના અધિકારમાં કહેલું છે, તેથી પોસહ લેતાં પ્રથમ ઈર્યાપથિકી પડિક્કમવી જોઈએ. ઇરિયાવહીમાં પાંચસો ને ત્રેસઠ પ્રકારના જીવોને મિથ્યા દુષ્કૃત અપાય છે. તે જીવોની સંખ્યા આ પ્રમાણે છે–સાત પ્રકારના નારકીના પર્યાય અને અપર્યાપા એમ બે બે ભેદ ગણતાં ચૌદ પ્રકાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002172
Book TitleUpdeshprasad Part 3
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy