SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ 3 ખિંભ ૧૦ ચંપાનગરીમાં જન્મથી સ્ત્રીલંપટ એવો કુમારનંદી નામે એક સોની રહેતો હતો, તે જે કોઈ સ્વરૂપવતી કન્યા વિષે સાંભળે તેને પાંચસો સોનામહોર આપીને પરણતો હતો. એવી રીતે તેને પાંચસો સ્ત્રીઓ થઈ હતી. તે સ્ત્રીઓની સાથે તે એક સ્તંભવાળા મહેલમાં ક્રીડા કરતો હતો. તે સોનીને નાગિલ નામે એક શ્રાવક મિત્ર હતો. એકદા પંચશૈલ દ્વીપની અધિષ્ઠાત્રી બે વ્યંતર દેવીઓ ઇંદ્રની આજ્ઞાથી નંદીશ્વર દ્વીપે જતી હતી. ત્યાં માર્ગમાં તેમનો સ્વામી વિદ્યુમ્ભાળી દેવ ચ્યવી ગયો એટલે હાસા અને પ્રહાસા નામની તે બે દેવીઓ ઊંચા મહેલ ઉપર રહેલા કુમારનંદી સોનીને અત્યંત કામી જોઈ ત્યાં ઊતરી. તે સુંદર દેવીઓને જોઈ કુમારનંદી તત્કાળ મોહ પામ્યો. તેમને આલિંગન કરવાની ઇચ્છાથી તે બોલ્યો કે તમે બન્ને કોણ છો? અને અહીં શા માટે આવ્યા છો?” તેઓ બોલી–“અમે તમારે માટે જ આવેલી છીએ.” આવો ઉત્તર સાંભળી હર્ષિત થઈને સોનીએ પ્રાર્થના કરી, એટલે તેઓ બોલી કે “તમે પંચશૈલ દ્વીપે આવજો, ત્યાં આપણો સંયોગ થશે.” એમ કહી તેઓ ઊડીને આકાશમાર્ગે ચાલી ગઈ. કુમારનંદીએ રાજાને સુવર્ણ આપીને એવો પડહ વગડાવ્યો કે “જે મને પંચશૈલદ્વીપે લઈ જશે તેને એક કોટી દ્રવ્ય મળશે.” એવો પડહ સાંભળી કોઈ વૃદ્ધ ખલાસીએ પડહ છવ્યો અને કોટી દ્રવ્ય લીધું. પછી તેણે વહાણ તૈયાર કર્યું એટલે સોની તેની સાથે વહાણમાં બેસીને ચાલ્યો. વૃદ્ધ ખલાસીએ સમુદ્રમાં ઘણે દૂર ગયા પછી કહ્યું કે–“જો, સમુદ્રને કાંઠે આ વડ જણાય છે તે પંચશૈલ પર્વતમાં ઊગેલો છે, તેથી જ્યારે આ વહાણ તેની નીચે થઈને ચાલે તે વખતે તું તેની શાખાને વળગી રહેજે. રાત્રે ત્યાં ભારંડ પક્ષીઓ આવશે. તેઓ જ્યારે સૂઈ રહે ત્યારે તેમાંથી કોઈના પગ સાથે વસ્ત્ર વડે તારું શરીર બાંધી દ્રઢ મુષ્ટિથી તેને વળગી રહેજે, એટલે પ્રાતઃકાળે તે પક્ષી ઊડીને તને પંચશીલદ્વીપ ઉપર લઈ જશે, પણ જો તું વડની શાખાને વળગીશ નહીં તો આ વહાણની જેમ તું પણ મહા આવર્તમાં પડી વિનાશ પામીશ.” સોનીએ તેના કહ્યા પ્રમાણે કર્યું અને ભારંડપક્ષી તેને પંચશૈલ ઉપર લઈ ગયું. અનુક્રમે તે હાસા અને પ્રહાસાના જોવામાં આવ્યો એટલે સોનીએ ભોગ માટે પ્રાર્થના કરી. દેવીઓ બોલી કે “ભદ્ર! આ અંગથી અમારો સંગ થાય નહીં, તેથી તું અગ્નિમાં પ્રવેશ કરીને અથવા બીજી રીતે નિયાણું બાંધીને મરણ પામે અને આ પંચૌલ દ્વિીપનો સ્વામી થાય તો અમે તારો સંગ કરીએ.” કુમારનંદી વિચારમાં પડ્યો કે “અરે! હું તો ઉભયભ્રષ્ટ થયો.” આમ ચિંતા કરતા એવા તે સોનીને દેવીઓએ પોતાની વિદ્યાના બળથી તેના નગરમાં મૂકી દીધો. દેવાંગનાના અંગથી મોહ પામેલા કુમારનંદીએ ત્યાં પહોંચ્યા પછી તરત જ અગ્નિમાં પડીને મરણ પામવાની તૈયારી કરી. તે વખતે તેના મિત્ર નાગિલ શ્રાવકે કહ્યું-મિત્ર! આમ બાલમરણ કરવું તને યોગ્ય નથી. તેવા મરણથી જીવની દુર્ગતિ થાય છે. એ પ્રમાણે વારતાં છતાં પણ તે નિયાણું બાંધીને અગ્નિશરણ થયો અને પંચશેલ દ્વીપનો સ્વામી બન્યો. તે જોઈને વૈરાગ્ય પામવાથી નાગિલ શ્રાવક દીક્ષા લઈ, મૃત્યુ પામીને અશ્રુત દેવલોકમાં દેવતા થયો. અન્યદા નંદીશ્વર દ્વીપની યાત્રા માટે દેવતાઓ જતા હતા તેમની આગળ ગાયન કરવાની આજ્ઞા થતાં હાસા પ્રહાસા નૃત્ય કરવા આગળ આવી અને પોતાના સ્વામી એટલે કુમારનંદીના જીવ વિદ્યુમ્ભાળી દેવને કહ્યું કે “તમે ઢોલ વગાડો.” તેણે અભિમાનથી ઢોલ વગાડ્યો નહીં, એટલે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002172
Book TitleUpdeshprasad Part 3
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy