SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૧૪૯] ત્રીજું શિક્ષાવ્રત–પૌષઘોપવાસ પ્રભાવના વગેરે જઘન્યપણે પણ પ્રતિવર્ષ એક એક વાર કરવાં. તેમાં શ્રી ગુરુના પ્રવેશોત્સવમાં સર્વ પ્રકારના મોટા આડંબર સાથે ચતુર્વિધ સંઘે સન્મુખ જવું અને શ્રીગુરુનો તથા સંઘનો સત્કાર યથાશક્તિ કરવો. તે પ્રસંગે શ્રી ઉવવાઈ સૂત્રમાં શ્રી વીરપ્રભુને વાંદવા જતાં કોણિક રાજાએ કરેલો મહોત્સવ જેવો વર્ણવ્યો છે તેવો મહોત્સવ કરવો; અથવા પરદેશી રાજા, ઉદાયન રાજા અને દશાર્ણભદ્ર રાજાના જેવો મહોત્સવ કરવો. સાહુકાર પેથડે શ્રી ધર્મધોષસૂરિના પ્રવેશોત્સવમાં સત્યાવીશ હજાર ટંક દ્રવ્યનો ખર્ચ કર્યો હતો. આ સંબંધમાં સંવેગી સાધુનો પ્રવેશોત્સવ કરવો અનુચિત છે એમ ન કહેવું, કારણ કે વ્યવહારભાષ્યમાં સાધુના પ્રતિમા વહનના અધિકા૨માં કહ્યું છે કે—‘સાધુ સંપૂર્ણ પદ્મિમા વહી રહ્યા પછી એકાએક નગરમાં પ્રવેશ ન કરે, પણ નજીકમાં આવીને કોઈ સાધુ કે શ્રાવકને પોતાના દર્શન આપે અથવા સંદેશો પહોંચાડે, જેથી નગરનો રાજા, મંત્રી કે ગ્રામાધિકારી મહોત્સવપૂર્વક પ્રવેશ કરાવે; તેને અભાવે શ્રાવકનો સંઘ પ્રવેશોત્સવાદિ બહુમાન કરે.' કારણ કે શાસનની પ્રભાવના કરવાથી તીર્થંકરપણાની પ્રાપ્તિરૂપ ફળ થાય છે. (૧૧) પ્રાયશ્ચિત્ત-ગુરુનો યોગ હોય તો જઘન્યપણે પ્રતિવર્ષ એક વાર તો જરૂર ગુરુ પાસે આલોચના કરવી. કહ્યું છે કે “જંબૂદ્વીપમાં જેટલાં વેલુઓનાં રજકણ છે તે બધાં રત્ન થઈ જાય અને તેટલાં રત્ન કોઈ પ્રાણી સાત ક્ષેત્રમાં આપે તો પણ આલોયણા કર્યા વિના એક દિવસના પાપથી પણ છુટાતું નથી.’’ વળી કહ્યું છે કે ‘‘જંબુદ્વીપમાં જેટલા પર્વતો છે તે બધા સુવર્ણના થઈ જાય અને તેને કોઈ સાત ક્ષેત્રમાં આપે તો પણ આલોયણા કર્યા વિના એક દિવસના પાપથી પણ છુટાતું નથી.’’ ત્યારે આલોયણા વિના ઘણા દિવસોનાં ઉપાર્જિત પાપની હાનિ તો કેવી રીતે થાય? તેથી વિધિપૂર્વક આલોચના કરીને ગુરુ જે પ્રાયશ્ચિત્ત આપે તે પ્રમાણે જો કરે તો તે જ ભવે પણ પ્રાણી શુદ્ધ થાય છે. જો એમ ન હોય તો દૃઢપ્રહારી વગેરેની તે જ ભવે સિદ્ધિ કેમ થાય? ‘‘વિવેકી શ્રાવકો પ્રતિવર્ષ ઉપર કહેલી અગિયાર કરણી કરે છે, અને તે વડે થયેલી પુણ્યની પુષ્ટિથી તેઓ કૃતાર્થ થઈને જિનધર્મમાં ત૫૨૫ણે આત્મકલ્યાણને પ્રાપ્ત કરે છે.’’ વ્યાખ્યાન ૧૪૯ ત્રીજું શિક્ષાવ્રત–પૌષધોપવાસ હવે તૃતીય શિક્ષાવ્રત પૌષઘોપવાસ વિષે કહે છે. વાર્ષિક અગિયાર ધર્મકૃત્યો કરનાર શ્રાવકે પર્વદિવસે પૌષધ અવશ્ય કરવો જોઈએ ये पौषधोपवासेन तिष्ठंति पर्ववासरे । अंतिम इव राजर्षिर्धन्यास्ते गृहिणोऽपि हि ॥१॥ ભાવાર્થ—જે પર્વદિવસે પોસહપૂર્વક ઉપવાસ કરીને રહે છે તે ગૃહસ્થ છતાં પણ છેલ્લા રાજર્ષિની જેમ ધન્ય છે.’’ ૩૭ છેલ્લા ઉદયન રાજર્ષિની કથા સિંધુસૌવીર દેશમાં વીતભયાદિ ૩૬૩ નગરનો અધિપતિ ઉદયન નામે રાજા હતો. તેને પ્રભાવતી નામે પટરાણી હતી અને અભિચિ નામે પુત્ર અને કેશી નામે ભાણેજ હતો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002172
Book TitleUpdeshprasad Part 3
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy