SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૩ [સ્તંભ ૧૦ દેવાલયો હતો. શ્રી સિદ્ધસેન વગેરે પાંચ હજાર આચાર્યો હતો, તેમ જ ચૌદ મુગટબંઘ રાજાઓ, સિત્તેર લાખ શ્રાવકોનાં કુટુંબ, એક કોટી દશ લાખ અને નવ હજાર ગાડાંઓ, અઢાર લાખ ઘોડાઓ, છોંતેરસો હાથીઓ અને તેના પ્રમાણમાં ઊંટ અને બળદો વગેરે પણ હતા. કુમારપાળ રાજાના સંઘમાં સુવર્ણ રત્નમય અઢારસો ને ચુમોતેર દેવાલયો હતાં. આભૂ સંઘપતિના સંઘમાં સાતસો જિનમંદિર હતાં અને તેની યાત્રામાં બાર કરોડ સોનૈયાનો ખર્ચ થયો હતો. સાહુકાર પેથડને તીર્થનું દર્શન થતાં અગિયાર લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો. તેના સંઘમાં બાવન દેવાલય અને સાત લાખ મનુષ્યો હતાં. મંત્રી વસ્તુપાળની સાડાબાર યાત્રા પ્રસિદ્ધ છે. (૪) સ્નાત્ર મહોત્સવ-ચૈત્યમાં પર્વ દિવસે સ્નાત્રમહોત્સવ પણ ભારે ઠાઠમાઠથી કરવો જોઈએ. જો પ્રત્યેક પર્વ દિવસે તેવો મહોત્સવ કરવાને અશક્ત હોય તો તેણે પ્રત્યેક વર્ષે એક વાર તો મહોત્સવ જરૂર કરવો. એમ સંભળાય છે કે શાહ પેથડ શ્રાવકે શ્રી રૈવતગિરિ ઉપર સ્નાત્ર મહોત્સવમાં છપ્પન ઘડી પ્રમાણ સુવર્ણ વડે ઇંદ્રમાળા પહેરી હતી અને શત્રુંજયથી ગિરનાર પર્વત એક સુવર્ણનો ધ્વજ ચડાવ્યો હતો. તે પછી તેના પુત્ર શાહ ઝાંઝણે રેશમી વસ્ત્રનો તેવો ધ્વજ ચડાવ્યો હતો. (૫) દેવદ્રવ્યની વૃદ્ધિ-દેવદ્રવ્યની વૃદ્ધિ માટે પ્રતિવર્ષે માળા પહેરવી યોગ્ય છે; તેમાં ઇંદ્રમાળા અથવા બીજી માળા પણ ગ્રહણ કરવી. એક વખતે રૈવતગિરિ ઉપર શ્વેતાંબરી અને દિગંબરી સંઘ વચ્ચે વિવાદ થતાં વૃદ્ધ પુરુષોએ એવો ઠરાવ કર્યો કે “જે ઇંદ્રમાળા પહેરે તેનું આ તીર્થ.” તે સમયે સાહકાર પેથડે છપ્પન ઘડી સુવર્ણ વડે ઇંદ્રમાળા પહેરી અને ચાર ઘડી સુવર્ણ યાચકોને દાનમાં આપી તીર્થને પોતાનું કર્યું. એવી રીતે શુભ વિધિ વડે પ્રતિ વર્ષે દેવદ્રવ્યની વૃદ્ધિ કરવી. (૬) મહાપૂજા પ્રત્યેક વર્ષે વા પ્રતિપર્વે ચૈત્યમાં મહાપૂજા કરવી. (૭) રાત્રિજાગરણ-પ્રતિવર્ષ રાત્રિજાગરણ કરવું. તે તીર્થદર્શન સમયે, કલ્યાણકના દિવસોએ અને ગુરુના નિર્વાણાદિ પ્રસંગે કરવું. તેમાં શ્રી વીતરાગનાં ગુણગાન અને નૃત્ય વગેરે ઉત્સવો કરવા. (૮) સિદ્ધાંતપૂજા-પ્રતિદિવસે શ્રુતજ્ઞાનની ભક્તિ કરવી. જો પ્રતિદિવસ કરવા અશક્તિ હોય તો પ્રતિમાસે કે પ્રતિવર્ષે તેવી ભક્તિ અવશ્ય કરવી. (૯) ઉદ્યાપન-નવપદ સંબંધી એટલે સિદ્ધચક્ર સંબંધી તથા એકાદશી, પંચમી અને રોહિણી વગેરે જ્ઞાન, દર્શન અને ચારિત્રાદિના આરાઘનભૂત વિવિઘ તપ સંબંઘી ઉદ્યાપન (ઉજમણાં) કરવાં. જઘન્યથી દર વર્ષ એક એક ઉદ્યાપન વિધિ પ્રમાણે કરવું. કહ્યું છે કે उद्यापनं यत्तपसः समर्थने, तच्चैत्यमौलौ कलशाधिरोपणं । फलोपरोपोऽक्षयपात्रमस्तके, तांबूलदानं कृतभोजनोपरि ॥१॥ “તપસ્યાનું જે ઉદ્યાપન કરવું તે જિનમંદિર ઉપર કળશ ચડાવવો, અક્ષયપાત્ર ઉપર ફળ આરોપવું અને ભોજન કરાવીને તાંબૂલ આપવું તેના જેવું છે.” સર્વત્ર શુક્લ પંચમી વગેરે વિવિઘ તપના ઉજમણામાં ઉપવાસની સંખ્યાના પ્રમાણમાં નાણું (દ્રવ્ય), વર્તુલિકા, નાળિયેર અને મોદક વગેરે વિવિઘ વસ્તુ મૂકી શાસ્ત્રસંપ્રદાય પ્રમાણે ઉદ્યાપન કરવું. (૧૦) તીર્થપ્રભાવના-તીર્થની પ્રભાવના નિમિત્તે શ્રી ગુરુમહારાજનો પ્રવેશોત્સવ તથા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002172
Book TitleUpdeshprasad Part 3
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy