SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫ વ્યાખ્યાન ૧૪૮] અગિયાર વાર્ષિક ઘર્મકૃત્યો ગુરુમહારાજ તેનો ઉત્તર આપે છે કે-“હે શિષ્ય! તારે એકાંતે એમ જાણવું નહીં કે સ્ત્રીઓ જ દોષથી ભરેલી છે. કેટલાક પુરુષો પણ તેવા હોય છે. અક્કાઈ રાઠોડ જેવા મહાક્રૂર આશયવાળા, નાસ્તિક અને દેવગુરુને પણ ઠગનારા ઘણા પુરુષો જોવામાં આવે છે. તેવી રીતે કેટલીક સ્ત્રીઓમાં પણ ઘણા દોષ જોવામાં આવે છે, તથાપિ કેટલીક સ્ત્રીઓમાં ઘણા ગુણ પણ હોય છે. જેવી કે સુલસા, રેવતી, કલાવતી, મદનરેખા વગેરે. કેટલીક શ્રાવિકાઓ એવી ઉત્તમ હતી કે જેમની શ્રી તીર્થકરોએ પણ પ્રશંસા કરેલી છે, તેથી તેવી શ્રાવિકાઓનું માતાની જેમ, બહેનની જેમ અને પોતાની પુત્રીની જેમ વાત્સલ્ય કરવું તે યુક્ત છે. વઘારે કહેવાથી સર્યું. આટલું બસ છે.” (૩) યાત્રા-પ્રત્યેક વર્ષ જઘન્યથી એકેક પણ યાત્રા કરવી. યાત્રા ત્રણ પ્રકારની કહી છે अष्टाह्निकाभिधामेकां, रथयात्रामथापरां । तृतीया तीर्थयात्रा चे-त्याहुर्यात्रास्त्रिधा बुधाः॥१॥ “એક અઠ્ઠાઈઉત્સવ યાત્રા, બીજી રથયાત્રા અને ત્રીજી તીર્થયાત્રા. એમ ત્રણ પ્રકારની યાત્રા પંડિતજનો કહે છે.” સર્વ અઠ્ઠાઈ પર્વોમાં સર્વ ચૈત્યપૂજા વગેરે મહાન ઉત્સવ કરવો તે પ્રથમ યાત્રા. બીજી રથયાત્રા તે કુમારપાળ રાજાએ આ પ્રમાણે કરેલી હતી ચૈત્ર માસની શુક્લ અષ્ટમીએ ચોથે પહોરે મહા સંપત્તિયુક્ત તેમજ હર્ષ સહિત મળેલા લોકોએ કરેલા જય જય શબ્દ સાથે શ્રી જિનેશ્વરનો સુવર્ણરથ તૈયાર કરવામાં આવ્યો. તે રથ ચાલતો ત્યારે મેરુપર્વત જેવો શોભતો હતો. તે રથની ઉપર સુવર્ણના મોટા દંડવાળી ધ્વજા હતી. અંદર છત્ર હતું અને બાજુમાં રહેલી ચામરની શ્રેણીઓથી તે દીપતો હતો. તેવા રથમાં સ્નાન વિલેપન કરી પુષ્પ ચડાવીને શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા સ્થાપના કરી. પછી તે રથ સમસ્ત મહાજને કુમારપાળ રાજાના રાજદ્વાર પાસે મોટી ઋદ્ધિ સહિત લાવીને સ્થાપિત કર્યો. તે વખતે વાજિંત્રોના શબ્દો દશે દિશાઓને પૂરી રહ્યા હતા અને મનોહર તાનમાનથી સ્ત્રીઓનો સમૂહ નૃત્ય કરતો હતો. પછી તે રથને વાજતે ગાજતે સામંત તથા પ્રધાનો રાજમંદિરમાં લઈ ગયા. ત્યાં કુમારપાળે રથમાં રહેલી પ્રતિમાની પટવસ્ત્ર તથા સુવર્ણનાં અલંકારાદિક વડે પોતે જાતે પૂજા કરી અને વિવિધ પ્રકારનાં નૃત્ય કરાવ્યાં. પછી તે રાત્રિ ત્યાં નિર્ગમન કરી, પ્રભાતે રાજા રથ સહિત નગરની બહાર નીકળ્યા. ત્યાં ધ્વજા સહિત વસ્ત્રનો મનોહર તંબુ રચેલો હતો તેના મંડપમાં રથ રાખ્યો. ત્યાં રાજાએ રથમાં રહેલી જિનપ્રતિમાની પૂજા રચી અને ચતુર્વિધ સંઘની સમક્ષ પોતે જ આરતી ઉતારી. પછી હાથી જોડેલા તે રથને આ નગરમાં ફેરવી ઠામે ઠામે મંડપમાં વિસ્તારવાળી રચના કરાવી તે ઉત્સવને દીપાવ્યો.” આ પ્રમાણે રથયાત્રા જાણવી. હવે ત્રીજી તીર્થયાત્રા તે તીર્થોની યાત્રા કરવી. શ્રી શત્રુંજય, રેવતાચલ અને સમેતશિખર વગેરે તીર્થો છે. તેમ જ શ્રી તીર્થકરનાં જન્મ, દીક્ષા, જ્ઞાન, નિર્વાણ અને વિહારની ભૂમિઓ પણ તીર્થ ગણાય છે. ઘણા ભવ્ય પ્રાણીઓને શુભ ભાવના સંપાદક થઈને ભવસાગરથી તારે છે, તેથી તે તીર્થ કહેવાય છે. તેવા તીર્થોમાં દર્શનાદિની શુદ્ધિને માટે વિધિપૂર્વક યાત્રા કરવી. જેમ શ્રી સિદ્ધસેન દિવાકર વડે પ્રતિબોધ પમાડાયેલા વિક્રમાદિત્યે શ્રી શત્રુંજયની યાત્રાર્થે સંઘ કાઢ્યો હતો. તે સંઘમાં એક સો ને ઓગણોતેર સુવર્ણનાં અને પાંચસો ચંદન તથા હાથીદાંત વગેરેનાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002172
Book TitleUpdeshprasad Part 3
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy