SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૩ [સ્તંભ ૧૦ (૧) સંઘપૂજા–પ્રતિવર્ષ જઘન્યપણે એક વાર પણ સંઘપૂજા કરવી. સંઘપૂજા એટલે સાધુસાધ્વીને નિર્દોષ આહાર તથા પુસ્તકાદિનું દાન આપવું અને શ્રાવક-શ્રાવિકાને યથાશક્તિ ભક્તિપૂર્વક પહેરામણી વગેરે કરવું. સંઘપૂજા ઉત્કૃષ્ટ, મધ્યમ અને જઘન્ય એમ ત્રણ પ્રકારની છે. સર્વ દર્શન તથા સર્વ સંઘને પહેરામણી કરવી તે ઉત્કૃષ્ટ સંઘપૂજા, સૂત્રની નોકારવાળીઓ આપવી તે જઘન્ય સંઘપૂજા અને બાકીની સર્વ પ્રકારની મધ્યમ સંઘપૂજા જાણવી. જો અધિક ખર્ચ કરવાને અશક્ત હોય તો છેવટે તેણે સાધુ સાધ્વીને સૂત્રની આંટી, મુહપત્તી વગેરે અને બે ત્રણ શ્રાવક શ્રાવિકાને સોપારી પ્રમુખ આપીને પણ પ્રતિવર્ષ સંઘપૂજારૂપ કૃત્ય ભક્તિ વડે સફળ કરવું. અતિ નિર્ધન હોય તેને પુણિયાશ્રાવકની જેમ તેવી રીતે ભક્તિ કરવાથી પણ સંઘપૂજાનું મોટું ફળ પ્રાપ્ત થાય છે. તે વિષે કહ્યું છે કે– संपत्ती नियमः शक्तौ, सहनं यौवने व्रतं । दारिऽ दानमप्यल्पं, महालाभाय जायते ॥४॥ સંપત્તિમાં નિયમ, શક્તિ છતાં સહનશીલતા, યૌવનાવસ્થામાં વ્રત અને દરિયાવસ્થામાં અલ્પ પણ દાન-એ મહાલાભને અર્થે થાય છે.” (૨) સાધર્મિક ભક્તિ-પ્રતિવર્ષ સાઘર્મીઓને નિમંત્રણ કરી, વિશિષ્ટ આસને બેસાડી વસ્ત્રાદિકનું દાન કરવું અને જો કોઈ સહઘર્મી આપત્તિમાં આવી પડ્યો હોય તો તેને પોતાનું ઘન ખર્ચીને ઉદ્ધાર કરવો. કહ્યું છે કે, न कयं दीणुद्धरणं, न कयं साहमिआण वच्छल्लं । हिअयंमि वीयराओ, न धारिओ हारिओ जम्मो ॥ જે પ્રાણીએ દીનજનોનો ઉદ્ધાર કર્યો નહીં, સાઘર્મીનું વાત્સલ્ય કર્યું નહીં, અને હૃદયમાં શ્રી વીતરાગપ્રભુને ઘાર્યા નહીં, તે પોતાને જન્મ હારી ગયો છે એમ સમજવું.” શ્રાવકના જેવી શ્રાવિકાની પણ ભક્તિ કરવી, ન્યૂનાધિક કરવી નહીં. શ્રાવિકા પણ જ્ઞાન, દર્શન, ચારિત્રવાળી સુશીલા હોય તો તે સઘવા હોય કે વિઘવા હોય તેને સાઘર્મી તરીકે માનવી. અહીં શિષ્ય પ્રશ્ન કરે છે કે-“હે ગુરુમહારાજ! લૌકિકમાં ને લોકોત્તરમાં સ્ત્રીઓને તો દોષવાળી કહેલી છે. કહ્યું છે કે अनृतं साहसं माया, मूर्खत्वमतिलोभता । अशौचं निर्दयत्वं च, स्त्रीणां दोषाः स्वभावजाः॥१॥ અસત્ય, સાહસ, કપટ, મૂર્ખતા, અતિલોભ, અપવિત્રપણું અને નિર્દયપણું–એટલા તો સ્ત્રીઓમાં સ્વાભાવિક દોષ હોય છે.” એ વિષે સુકુમાલિકા, સૂરિકાંતા, કપિલા, અભયા, નુપૂરપંડિતા અને નાગશ્રી પ્રમુખનાં દ્રષ્ટાંતો પોતાની મેળે જાણી લેવાં. સિદ્ધાંતમાં પણ કહ્યું છે કે, अणंताओ पावरासीओ, जया उदयमागया ।। तया इत्थितणं पत्तं, सम्मं जाणाहि गोयमा !॥१॥ હે ગૌતમ! જ્યારે અનંતી પાપની રાશિઓ ઉદયમાં આવે ત્યારે સ્ત્રીપણું પ્રાપ્ત થાય છે, એમ સમ્યક્ પ્રકારે જાણવું.” તે વિષે રસાધ્વીનો સંબંધ જાણવો. આ પ્રમાણે સર્વત્ર સ્ત્રીઓની નિંદા દ્રષ્ટિએ પડે છે, તો તેવી સ્ત્રીઓનું દાન, માન અને વાત્સલ્ય કરવું કેમ ઘટે?” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002172
Book TitleUpdeshprasad Part 3
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy