SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૧૪૮] અગિયાર વાર્ષિક ઘર્મકૃત્યો વખતે મુસલમાનો, કાઝીઓ, મુલ્લાંઓએ મળી બાદશાહને કહ્યું કે–“હે અકબર બાદશાહ! તું હમેશાં કાફર એવા શ્વેતાંબરીનો સંગ કરે છે તેથી આ કિલ્લો લેવાતો નથી એમ જણાય છે.” બાદશાહે આ વૃત્તાંત ગુરુને જણાવ્યો. ગુરુ બોલ્યા- “જે દિવસે કિલ્લો લેવાની તમારી ઇચ્છા થાય તે દિવસે કિલ્લો લઈએ પણ તમારે બધું સૈન્ય છાવણીમાં રાખવું અને આપણે બન્નેએ જ ત્યાં જવું. તેમ જ તે દિવસે નગરની બહાર કે અંદર કોઈએ બિલકુલ હિંસા કરવી નહીં.” ગુરુનાં આવાં વચન સાંભળી બાદશાહે પડદની ઘોષણાથી સર્વ સ્થાને હિંસા કરવાનો પ્રતિષેઘ કર્યો અને પ્રાતઃકાળે તેઓ બન્ને એકલા કિલ્લા પાસે જવા ચાલ્યા. તે જોઈ કેટલાક નિંદક પ્લેચ્છો કહેવા લાગ્યા કે–આ કાફર હિંદુ અકબરને શત્રના હાથમાં સોંપી દેશે.” અહીં વાચકેંદ્ર ગુરુએ કિલ્લા પાસે આવી એક ફંક મારવા વડે બઘી ખાઈ રજથી પૂરી દીધી, બીજી ફેકે શત્રુના સૈન્યને ખંભિત કરી દીધું અને ત્રીજી ફંકે ઘાણીની જેમ દરવાજા ફૂટીને ઊઘડી ગયા. અકબર બાદશાહે આશ્ચર્ય પામીને તે નગરમાં પોતાની અખંડ આજ્ઞા પ્રવર્તાવી. પછી ગુરુ પાસે આવીને કહ્યું કે–“હે પૂજ્ય! મને કાંઈક પણ કાર્ય બતાવવાનો અનુગ્રહ કરો.” તે વખતે સૂરિએ બાદશાહના રાજભંડારમાં પ્રતિવર્ષ જજીઆવેરાના કરનું ચૌદ કોટી દ્રવ્ય આવતું હતું તે માફ કરવાની માગણી કરી અને કહ્યું કે-“તમે હમેશાં સવાશેર ચકલાની જીભ ખાઓ છો, તે હવેથી ખાવી બંધ કરો અને શત્રુંજયગિરિ પર જનારા મનુષ્ય દીઠ એક સોનૈયાનો કર લેવાય છે તે માફ કરો, તેમ જ છ માસ સુધી અમારી પ્રવર્તાવો. તે છ માસ આ પ્રમાણે–આપનો જન્મ માસ, પર્યુષણ પર્વના બાર દિવસ, બધા રવિવાર, ૧૨ સંક્રાંતિઓની ૧૨ તિથિઓ, નવરોજનો (રાજા) મહિનો, ઇદના દિવસો, મોહરમના દિવસો અને સોફિઆનના દિવસો.” બાદશાહે એ ચારે વાત કબૂલ કરી અને તેના ફરમાનો મહોરછાપ સાથે તરત કરાવીને વાચકેંદ્રને અર્પણ કર્યાં. વાચકેંદ્ર ગુરુમહારાજ શ્રી હીરવિજયસૂરિને તેનું ભેટશું કર્યું. એવી રીતે સૌભાગ્યલક્ષ્મી વગેરેના સુખની ઇચ્છાવાળા ભાવિક પુરુષોએ અઠ્ઠાઈ પર્વોમાં ઘર્મની વૃદ્ધિને માટે વિવિઘ પ્રકારે શાસનની ઉન્નતિ કરવી.” વ્યાખ્યાન ૧૪૮ અગિયાર વાર્ષિક ધર્મકૃત્યો અઠ્ઠાઈ પર્વના આરાઘકોએ વાર્ષિક કૃત્યો પણ અવશ્ય કરવા જોઈએ તે વિષે કહે છે संघार्चादिसुकृत्यानि, प्रतिवर्ष विवेकिना । यथाविधि विधेयानि, एकादशमितानि च ॥१॥ ભાવાર્થ-“વિવેકી શ્રાવકે પ્રત્યેક વર્ષે સંઘપૂજા વગેરે અગિયાર પ્રકારનાં સુત્ય વિઘિયુક્ત જરૂર કરવા.” વિશેષાર્થ–તે અગિયાર કર્યો પૂર્વસૂરિઓએ કહેલી ગાથાઓ અનુસાર દર્શાવીએ છીએ“૧ સંઘપૂજા, ૨ સાધર્મિક ભક્તિ, ૩ યાત્રાત્રિક, ૪ જિનમંદિરમાં સ્નાત્રોત્સવ, ૫ દેવદ્રવ્યની વૃદ્ધિ, ૬ મહાપૂજા, ૭ રાત્રિજાગરણ, ૮ સિદ્ધાંતપૂજા, ૯ ઉદ્યાપન (ઉજમણું), ૧૦ તીર્થપ્રભાવના અને ૧૧ શોધિ (પાપની વિશુદ્ધિ, પ્રાયશ્ચિત્ત) આ અગિયાર વાર્ષિક કૃત્ય છે.” (ભાગ ૩-૩) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002172
Book TitleUpdeshprasad Part 3
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy