SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૩ [સ્તંભ ૧૦ लक्खदुग सहस्स पणचत्त, चउसया अठ्ठ चेव पलियाई । किंचुणा चउभागा, सुराउ बंधो इगुसासो॥१॥ બે લાખ, પિસ્તાળીસ હજાર, ચાર સો અને આઠ પલ્યોપમ અને એક પલ્યોપમના નવ ભાગ કરીએ તેવા ચાર ભાગ જેટલું એક શ્વાસોશ્વાસમાં દેવગતિનું આયુષ્ય બાંધે. આખા નવકારના આઠ શ્વાસોશ્વાસમાં ઓગણીશ લાખ, ત્રેસઠ હજાર, બસો ને સડસઠ પલ્યોપમનું દેવતાનું આયુષ્ય બાંઘે; અને એક લોગસ્સના પચીશ શ્વાસોશ્વાસમાં એકસઠ લાખ, પાંત્રીસ હજાર, બસો અને દશ પલ્યોપમનું દેવગતિનું આયુષ્ય બાંધે. આયુષ્ય બાંઘવાનો ક્રમ એવો છે કે–જે દેવલોકમાં દેવતાઓનું આયુષ્ય એટલા પલ્યોપમનું હોય, તે દેવલોકમાં તે ઉત્પન્ન થાય. પર્યુષણ પર્વમાં પાંચમા સાધન તરીકે ચૈત્યપરિપાટી કરવી અને ચૈત્યપૂજા વગેરેથી શાસનની ઉન્નતિ કરવી. તે વિષે શાસ્ત્રોમાં એક કથા જાણીતી છે વજસ્વામીની કથા–એકદા વજસ્વામી મોટો દુકાળ પડવાથી આખા સંઘને પટ ઉપર બેસારી સુભિક્ષાપુરીમાં લઈ ગયા હતા. ત્યાંનો રાજા બૌદ્ધ હતો. તેણે જિનચૈત્યમાં પૂજા માટે પુષ્પ આપવાની અટકાયત કરી હતી. તેવામાં પર્યુષણ પર્વ આવ્યા એટલે શ્રાવકોએ પુષ્પને માટે ગુરુને વિનંતિ કરી. ગુરુ આકાશગામિની વિદ્યા વડે માહેશ્વરીનગરીએ જઈ, પોતાના પિતાના મિત્ર કોઈ માળીને પુષ્પ તૈયાર કરવાની આજ્ઞા કરીને પોતે હેમવંત પર્વત ઉપર શ્રીદેવીના ભુવનમાં ગયા. ત્યાં શ્રીદેવીએ એક મહાપ આપ્યું છે અને હુતાશન વનમાંથી વિશ લાખ પુષ્પો લઈ, (પૂર્વભવના મિત્ર) જંભક દેવતાએ વિફર્વેલા વિમાનમાં બેસી, મહોત્સવ સહિત સુભિક્ષાપુરીએ આવી, શ્રી જૈનશાસનની પ્રભાવના કરી. તે જોઈ બૌદ્ધરાજા આશ્ચર્ય પામ્યો અને તે પણ શ્રાવક થયો. અઠ્ઠાઈ પર્વમાં અમારી પ્રવર્તન કરવું. જેમ શ્રી કુમારપાળ અને સંપ્રતિ રાજા વગેરેએ કર્યું હતું તેમ. આઘુનિક કાળે (ગ્રંથકર્તાના સમયે) પણ શ્રી હીર ગુરુના ઉપદેશથી અકબર બાદશાહે પોતાના બઘા દેશમાં છ માસ સુધી અમારી પ્રવર્તાવી હતી. તેની કથા સંક્ષેપમાં આ પ્રમાણે છે શ્રી હીરવિજયસૂરિનો પ્રબંધ એક વખતે અકબર બાદશાહે પોતાના પ્રઘાનો વગેરેની પાસેથી શ્રી હીરસૂરિનું વર્ણન સાંભળી પોતાના નામનું ફરમાન મોકલીને બહુમાન સાથે સૂરિને દિલ્લી બોલાવ્યા. સંવત્ ૧૬૩૯ ના વર્ષમાં જ્યેષ્ઠ માસની કૃષ્ણ ત્રયોદશીએ સૂરિરાજ મોટા માન સાથે ગંઘાર નગરથી ત્યાં આવ્યા. બાદશાહને મળ્યા એટલે તેમણે આદરથી બોલાવ્યા. પછી યોગ્ય અવસરે સૂરિએ એવો ઘર્મોપદેશ આપ્યો કે જેથી પૂર્વે આગ્રાથી અજમેર સુધીના રસ્તામાં પ્રત્યેક કોશે કૂવા સહિત મીનારા કરી, તે પ્રત્યેક મીનારે પોતાનું શિકાર કરવાનું કળાકૌશલ્ય પ્રગટ કરવાને માટે હરિણના સેંકડો શગડાં જેણે આરોપણ કરેલાં તેવો હિંસક બાદશાહ પણ દયાળુ થઈ ગયો. અન્યદા બાદશાહે સૂરિવર્યને કહ્યું: “મહારાજ! દર્શનની ઉત્કંઠાથી મેં આપને દૂર દેશથી અહીં બોલાવ્યા છે, પરંતુ આપ તો મારું કાંઈ પણ લેતા નથી તો મારી પાસેથી જે કાંઈ આપને યોગ્ય લાગે તે માગી લો.' સૂરિએ વિચાર કરીને તેના આખા દેશમાં પર્યુષણ પર્વની અઠ્ઠાઈના આઠે ૧ પાંચ સાધનો પૈકી આ સાધન પહેલું કહ્યું છે તેનું વિવરણ હવે કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002172
Book TitleUpdeshprasad Part 3
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy