SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૧૪૭] છ અઠ્ઠાઈ પર્વો ૩૧ દિવસ અમારી પ્રવર્તન અને બંદીવાનને છોડી મૂકવાનું માગી લીધું. સૂરિરાજના ગુણથી મનમાં ચમત્કાર પામેલા બાદશાહે “મારા તરફથી તેમાં ચાર દિવસ અધિક થાઓ” એમ કહી પોતાના તાબાના સર્વ દેશમાં શ્રાવણ માસની કૃષ્ણ દશમીથી આરંભીને ભાદ્રપદની શુક્લ છઠ્ઠ સુઘી બાર દિવસ અમારી પ્રવર્તાવવાને સુવર્ણ રત્નમય, પોતાના નામની મહોરછાપવાળા છ ફરમાન સત્વર ગુરુને અર્પણ કર્યા. તેમાં એક ગુજરાત દેશનું, બીજું માલવ દેશનું, ત્રીજું અજમેર પ્રાંતનું, ચોથું દિલ્લી તથા ફત્તેહપુરનું, પાંચમું લાહોર તથા મુલતાનનું અને છઠું પાંચે દેશ સંબંધી સાધારણ ગુરુની પાસે રાખવાનું–એમ છ ફરમાન કરી આપ્યાં અને તે દેશમાં તેણે અમારી પડહ વગડાવ્યો. પછી શ્રીગુરુ પાસેથી ઊઠી અનેક ગાઉના પ્રમાણવાળા ડાબર નામના સરોવરને કિનારે જઈને સાધુઓની સમક્ષ દેશાંતરના લોકોએ ભેટ કરેલાં વિવિઘ જાતિનાં સંખ્યાબંઘ પક્ષીઓને છોડી મૂક્યાં, તેમ જ કારાગૃહમાં પૂરેલા ઘણા લોકોનાં બંઘન પણ તોડાવી નાંખ્યાં (છોડી મૂક્યા). પછી શ્રી હીરવિજયસૂરિએ બાદશાહની પ્રાર્થનાથી જંબુદ્વીપપ્રજ્ઞપ્તિની ટીકાના કરનારા, સ્વશાસ્ત્ર અને પરશાસ્ત્રના જાણ અને પશ્ચિમ દિશાના લોકપાળ વરુણનું વરદાન મેળવનાર ઉપાધ્યાયજી શ્રી શાંતિચંદ્રજીને ઘર્મ સંભળાવવા માટે ત્યાં રાખ્યા અને પોતે વિહાર કર્યો. શ્રી શાંતિચંદ્રગણિએ સ્વોપજ્ઞ એવા કૃપારસકોશ નામના શાસ્ત્રરૂપ જળથી સિંચન કરેલી દયારૂપ વેલ બાદશાહના હૃદયમાં વૃદ્ધિ પામી. એકદા કોઈ વ્યવહારીએ બાદશાહની આગળ આમળાનાં ફળ જેવડાં બે મુક્તાફળ ભેટ ઘર્યો. તેનું સન્માન કરીને રાજાએ પોતાના કોશાધ્યક્ષ અને ચામર વીંઝનાર એવા બારહજારી નામના મનસબદારને તે બે મુક્તાફળ મૂકવા આપ્યાં. હજારીએ ઘેર આવીને તે મુક્તાફળ પોતાની સ્ત્રીને આપ્યાં. તે વખતે તે સ્ત્રી સ્નાન કરવા બેસતી હતી, તેથી તેણે વસ્ત્રને છેડે બાંધીને સ્નાન કર્યું. પછી તે બાદશાહનાં છે એમ જાણી તેણે પોતાના ઇષ્ટ સ્થલમાં તેને સાચવીને મૂક્યાં. ત્યાર પછી કેટલાક દિવસે દૈવયોગે તે સ્ત્રી વ્યાધિગ્રસ્ત થઈને મૃત્યુ પામી. અન્યદા બાદશાહે હજારી પાસે તે મોતી માગ્યાં એટલે તેણે કહ્યું કે–સ્વામી! મારે ઘેરથી લઈ આવું. રાજાએ આજ્ઞા આપી એટલે તેણે ઘેર આવી સર્વ ઠેકાણે શોઘ કરી, પણ કોઈ ઠેકાણેથી તે મળ્યાં નહીં. એટલે તે અત્યંત ચિંતાતુર થઈ બાદશાહ પાસે જવા ચાલ્યો. તે અતિ નિસ્તેજપણે ચાલ્યો જતો હતો તેવામાં તેના પુણ્યના ઉદયથી માર્ગમાં શાંતિચંદ્ર ઉપાધ્યાય મળ્યા. તેઓએ તેને ચિંતાનું કારણ પૂછ્યું, એટલે જેણે જીવવાની પણ આશા મૂકી દીધી છે એવા તેણે જે હકીકત બની હતી તે ગુરુ પાસે જણાવી. વાચકે કહ્યું કે- તું પાછો ઘેર જા અને પ્રથમ જે ઠેકાણે જેને તેં આપ્યાં હતાં તેની પાસેથી તે માગી લે, તને મળશે.” હજારી આશ્ચર્ય પામી તત્કાળ ઘેર ગયો. ત્યાં સ્નાન કરવાની તૈયારી કરતી પોતાની સ્ત્રીને તેણે જોઈ. એટલે તેની પાસેથી તેણે બે મુક્તાફળ માગ્યાં. તેણે પોતાના વસ્ત્રના છેડાની ગાંઠેથી છોડીને તે આપ્યાં. હજારી આશ્ચર્ય પામી બાદશાહની પાસે આવ્યો અને મુક્તાફળ બાદશાહની આગળ મૂકી પોતે ચામર વીંઝવા લાગ્યો, પણ તેં અત્યંત આશ્ચર્યમાં મગ્ન થયેલો હોવાથી જડ જેવો બની ગયો હતો. બાદશાહે તેની તેવી સ્થિતિ જોઈને પૂછ્યું કે–“આજે તું ચિત્રમાં આલેખ્યો હોય તેવો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002172
Book TitleUpdeshprasad Part 3
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy