SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૧૪૭] છ અઠ્ઠાઈ પર્વો ૨૯ વર્ષનાં પાપ પ્રલય થાય છે, અને અષ્ટમ તપથી દશ લાખ કોટી વર્ષનાં પાપ જાય છે. ત્યારથી આગળ એક એક ઉપવાસનો વઘારો કરી અનુક્રમે તેના ફળમાં દશગણો અંક વઘારવો. અષ્ટમ તપ કરવાથી નાગકેતુ તે જ ભવમાં પ્રત્યક્ષ ફળ પામ્યો હતો. તે સર્વ તપ શલ્ય રહિત કરવું. શલ્યવાળું તપ દુષ્કર કર્યું હોય તો પણ નિરર્થક જાણવું. તે ઉપર એક કથા છે તે આ પ્રમાણે લક્ષ્મણા સાધ્વીની કથા-આજથી એંશીમી ચોવીશીમાં એક રાજાને ઘણા પુત્રો થયા પછી પુત્રીની ઇચ્છાથી સેંકડો માનતા કરવા વડે એક લક્ષ્મણા નામે પુત્રી થઈ, તે રાજાને બહુ વહાલી હતી. જ્યારે તે વરવા યોગ્ય થઈ ત્યારે રાજાએ સ્વયંવર કર્યો. તેમાં તે ઇચ્છિત વરને વરી, પરંતુ વિવાહવિધિ કરતાં ચોરીમાં જ તેનો સ્વામી મૃત્યુ પામ્યો. ત્યારથી તે સુશીલ સતીઓમાં શ્રેષ્ઠ ગણાતી સતી શ્રાવકઘર્મને સારી રીતે પાળવા લાગી. અન્યદા તે ચોવીશીના છેલ્લા તીર્થંકર પાસે તેણે દીક્ષા લીધી. એકદા તે લક્ષ્મણા સાધ્વી ચકવાચકવીનો સંયોગ જોઈ કામાતુર થઈ સતી વિચારવા લાગી, “અરિહંત પ્રભુએ શું જોઈને આ કર્મની મુનિને આજ્ઞા દીધી નહીં હોય? અથવા ભગવંત પોતે અવેદી છે તેથી તે વેદઘારીનું દુઃખ ક્યાંથી જાણે?” આવું ચિંતવતાં ક્ષણવારે પાછો તેનો પશ્ચાત્તાપ થયો. તેણે વિચાર્યું, “મેં માઠું ચિંતવન કર્યું, હવે હું કેવી રીતે તેની આલોયણા લઈશ? કેમ કે આ વાત મારાથી કહેવાશે નહીં તો શલ્ય રહી જશે અને શલ્ય રહેશે તો તેની શુદ્ધિ થશે નહીં.” આમ વિચારીને તે આલોયણા લેવા માટે ગુરુ પાસે જવા ઉજમાળ થઈ. જેવી ચાલવા લાગી તેવામાં અણચિંતવ્યો તેના પગમાં કાંટો વાગ્યો; તેથી તે અપશુકનથી ક્ષોભ પામી. પછી તેણે બીજાનું નામ દઈને ગુરુને પૂછ્યું કે–જે આવું દુધ્ધન ચિંતવે તેને શું પ્રાયશ્ચિત્ત આવે?” ગુરુએ પૂછવાનું કારણ જણાવવાનું કહેતાં તે કહી શકી નહીં, પરંતુ ગુરુ પાસેથી તેનું પ્રાયશ્ચિત્ત જાણીને પચાસ વર્ષ સુધી તીવ્ર તપ કર્યું. તે આ પ્રમાણે–“છ, અઠ્ઠમ, ચાર ઉપવાસ અને પાંચ ઉપવાસ કરી પારણે નહિ કરે એમ દશ વર્ષ સુઘી તપ કર્યું, બે વર્ષ સુધી માત્ર નિર્લેપ ચણાનો આહાર લીઘો, બે વર્ષ બ્રૂજેલા ચણાનો આહાર લીઘો, સોળ વર્ષ માસખમણ કર્યા અને વીશ વર્ષ આંબેલ તપ કર્યું. એ પ્રમાણે લક્ષ્મણા સાધ્વીએ પચાસ વર્ષ તપ કર્યું.” આવી રીતે આકરું તપ કર્યું તો પણ દંભ રાખવાથી તેની શુદ્ધિ ન થઈ અને તે આર્તધ્યાનથી મૃત્યુ પામી. ત્યાર પછી દાસી પ્રમુખના અસંખ્ય ભવમાં મહાદુઃખ ભોગવી શ્રી પદ્મનાભ પ્રભુના તીર્થમાં સિદ્ધિપદને પામશે. તે વિષે કહ્યું છે કે-“પરાક્રમ વડે ઘોર એવું તીવ્ર તપ એક સહસ્ત્ર દિવ્ય* વર્ષ સુધી આચરે, પણ જો તે સશલ્ય હોય તો તે નિષ્ફળ જાય છે.” વાર્ષિક પ્રતિક્રમણમાં એક હજાર અને આઠ શ્વાસોચ્છવાસ પ્રમાણ કાયોત્સર્ગ જાણવો. પ્રત્યેક ચતુર્વિશતિ સ્તવે “ચંદેસુ નિમ્મલયરા” સુઘી પચીશ શ્વાસોચ્છવાસ ગણવા. એવા ચાળીશ લોગસ્સ એક નવકારે અધિક ગણવાથી ૧૦૦૮ શ્વાસોચ્છવાસ થાય છે. અહીં પદસમાન શ્વાસોચ્છવાસ સમજવો. ચાતુર્માસિક પ્રતિક્રમણમાં પાંચસો શ્વાસોચ્છવાસનો એટલે ૨૦ લોગસ્સનો અને પાક્ષિક પ્રતિક્રમણમાં ત્રણસો શ્વાસોચ્છવાસનો એટલે ૧૨ લોગસ્સનો કાઉસગ્ગ જાણવો. હવે કાયોત્સર્ગમાં એક શ્વાસોચ્છવાસમાં દેવતાનું કેટલું આયુષ્ય બાંધે તે કહે છે– ૧ આવતી ચોવીશીના પ્રથમ તીર્થંકર. ૨ દેવતાઈ હજારો વર્ષ એટલે કે ઘણા વર્ષો સુઘી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002172
Book TitleUpdeshprasad Part 3
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy