SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૩ [સ્તંભ ૧૦ સાથ્વીને કહ્યું કે- હે ગુણીજી! મારો અપરાધ ક્ષમા કરો.” ચંદનબાલાએ કહ્યું કે– મૃગાવતી! તારા જેવી કુલીનને આમ કરવું ઘટે નહીં.” મૃગાવતી બોલી કે હવે ફરી વાર આવું કરીશ નહીં.” એમ કહી તે ચંદનબાળાના પગમાં પડ્યા. ચંદનબાળાને તો પાછી નિદ્રા આવી ગઈ, પરંતુ શુદ્ધ અંતઃકરણ વડે વારંવાર ખમાવવાથી મૃગાવતીને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. તેવામાં ચંદનબાળા પાસે સર્પ આવતો હતો, એટલે મૃગાવતીએ ચંદનબાળાનો હાથ ઊંચો કર્યો, તેથી તેઓ જાગી ગયા. હાથ ઊંચો કરવાનું કારણ પૂછતાં તેમણે સર્પનો વૃત્તાંત જણાવ્યો. ચંદનબાળાએ પૂછ્યું કે–આવા અંઘકારમાં તમે સર્પને શી રીતે જાણ્યો?” તેમણે કહ્યું કે-“આપના પસાયે.” એમ વિશેષ પૂછતાં તેને કેવળજ્ઞાન થયેલું જાણી મૃગાવતી સાથ્વીને ખમાવતાં ચંદનબાળાને પણ કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. તેથી એવી રીતે પરસ્પર ખમાવીને મિથ્યા દુષ્કત આપવું. વળી ચંડપ્રદ્યોત રાજા પ્રત્યે જેમ ઉદયન રાજાએ ક્ષમાપન કર્યું હતું તેમ પર્યુષણ પર્વમાં અવશ્ય પરસ્પર ક્ષમાપન કરવું. બે જણમાં એક જણ ખમાવે અને બીજો ન ખમાવે તો તેમાં જે ખમાવે તે આરાધક, બીજો નહીં; તેથી પોતે તો ઉપશમવું જ જોઈએ. કોઈ ઠેકાણે બન્ને જણ આરાધક થાય છે અને કોઈ ઠેકાણે વૃથા મિચ્છા મિ દુક્કડં દેવાથી એક્ક આરાઘક થતા નથી. તે વિષે કુંભકાર અને ક્ષુલ્લક મુનિનું દ્રષ્ટાંત છે. “કોઈ લઘુશિષ્ય કાંકરા મારવા વડે કુંભારનાં વાસણો કાણાં કરતો હતો. કુંભકારે તેને વાર્યો એટલે તેણે મિથ્યા દુષ્કત આપ્યું; પણ તેનાથી ન નિવર્તતાં પાછો તેવી જ રીતે ભાંડ કાણાં કરવા લાગ્યો. પછી કુંભકારે કાંકરાવતી તેના કાન ચોળ્યા. ત્યારે લકે કહ્યું કે “હું પીડાઉ ' એટલે કુંભારે પણ વૃથા મિથ્યા દુષ્કત આપ્યું.” આવા પરસ્પરના મિચ્છા મિ દુક્કડ તે વૃથા સમજવા. હવે ચોથા સાઘન તરીકે પર્યુષણ પર્વમાં અષ્ટમ તપ અવશ્ય કરવું. પાક્ષિક તપમાં એક ઉપવાસ, ચોમાસી તપમાં છઠ્ઠ અને વાર્ષિક પર્વમાં અઠ્ઠમ કરવો, એમ જિનેશ્વર ભગવંતે કહેલું છે. જે અષ્ટમ તપ કરવાને અસમર્થ હોય તેમણે તે તપની પૂર્તિ કરવા માટે છ આંબેલ કરવા, જે છ આંબેલ કરવાને અશક્ત હોય તેણે નવ નીવિ કરવી, અથવા તેને બદલે બાર એકાસણાં કરવાં, અથવા ચોવીશ બેસણાં કરવાં, અથવા છ હજાર સ્વાધ્યાય કરવો, અથવા સાઠ નવકારવાળી (બાઘા પારાની) ગણવી. આ રીતિથી પણ તપની પૂર્તિ કરવી. જો તેમ ન કરે તો જિનેશ્વર ભગવંતની આજ્ઞાનું ઉલ્લંઘન કરવાનો દોષ લાગે. આ પ્રસંગે નોકારસી પ્રમુખ તપનું ફળ દર્શાવે છે–નારકીનો જીવ એક સો વર્ષ સુધી અકામનિર્જરા વડે જેટલાં કર્મ ખપાવે તેટલાં પાપકર્મ એક નોકારસીના પચખાણથી ખપે છે, પોરસીના પચખાણથી એક હજાર વર્ષનાં પાપ દૂર થાય છે, સાદ્ધપોરસીના પચખાણથી દશ હજાર વર્ષનાં પાપ ટળે છે, પુરિમાદ્ધથી (પુરિમટ્ટથી) એક લાખ વર્ષનાં પાપકર્મ નાશ પામે છે, અચિત્ત જલયુક્ત એકાસણાથી દશ લાખ વર્ષનાં પાપ જાય છે, નીવિના તપથી કોટી વર્ષનાં પાપ જાય છે, એકલઠાણાથી દશ કોટી વર્ષનાં પાપ ટળે છે. એકદત્તીથી (દાતાએ એક વાર અન્ન આપ્યું હોય તેટલું જ ખાવાથી) સો કોટી વર્ષનાં પાપ જાય છે, આંબેલના તપથી એક હજાર કોટી વર્ષનાં પાપ જાય છે, ઉપવાસના તપથી દશ હજાર કોટી વર્ષનાં પાપ જાય છે, છઠ્ઠ તપ કરવાથી એક લાખ કોટી Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org
SR No.002172
Book TitleUpdeshprasad Part 3
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy