SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૧૪૬] દેશાવકાશિક વ્રતના પાંચ અતિચાર છેલ્લા ત્રણ અતિચાર માયાવીપણાથી અતિચારપણાને પામે છે. આ દશમું વ્રત નિરતિચારપણે પાળવા વિષે રાજાના ભંડારી ઘનદની કથા છે. તે શ્રાદ્ધપ્રતિક્રમણ સૂત્રની અર્થદીપિકા નામની વૃત્તિમાં આપેલી છે ત્યાંથી જાણી લેવી. તેમ જ બીજી પવનંજયની કથા છે તે શ્રાદ્ધદિનકૃત્યવૃત્તિમાંથી જાણી લેવી. જે પ્રાણી આ વ્રત ગ્રહણ કરતા નથી અને સર્વ ઠેકાણે જવાનું મોકળું રાખે છે તે મોટું દુઃખ પામે છે. જે ગુરુના વચનથી દેશાવકાશિક વ્રતને અંગીકાર કરે છે તે પુણ્યને પ્રાપ્ત કરી લોહજંઘની જેમ વિપત્તિને તરી જાય છે. અને જે અશ્વ, વૃષભ, ઊંટ વગેરેના ઘણીઓ તે પ્રાણીઓને હમેશાં અપરિમિત ગતિવડે ચલાવે છે તેઓ પોતાનું હિત કરી શકતા નથી. લોહજંઘની કથા આ પ્રમાણે લોહજંઘની કથા એક વખતે ઉજ્જયિની (અવંતિ) નગરીમાં ચંડપ્રદ્યોત રાજાએ એવો પડહ વગડાવ્યો કે–“જે અભયકુમાર મંત્રીને બાંધીને લાવે તેને હું જે માગે તે આપું.” પડહ કોઈ વેશ્યાએ સ્વીકાર્યો અને પછી તે શ્રાવિકાનો કપટવેષ લઈ રાજગૃહી નગરીમાં આવી. ત્યાં અભયકુમારને પોતાને સ્થાને લાવી, ભોળવી તેને ચંદ્રહાસ મદિરા પાઈ દીઘી અને તેના કેફમાં તે મૂર્ણિત થયો એટલે તેને અવંતિએ લાવી ચંડપ્રદ્યોત પાસે હાજર કર્યો. રાજાએ તેને કારાગૃહમાં રખાવ્યો. પછી જ્યારે ચંડપ્રદ્યોતે તેને લાવવાનો વૃત્તાંત વેશ્યાના મુખથી સાંભળ્યો ત્યારે તેના પર નાખુશ થઈને બોલ્યો: ‘તું ઘર્મના છળથી એને પકડી લાવી તે સારું ન કર્યું.” રાજા ચંડપ્રદ્યોત પાસે અગ્નિભી રથ, શિવાદેવી નામે પરિણી સ્ત્રી, અનિલગ નામે હસ્તી અને લોહજંઘ નામે દૂત-એ ચાર રત્નો હતાં. તેમાં જે લોહજંઘ દૂત હતો તે પ્રતિદિન પચીશ યોજન જતો અને અનેક દેશોના રાજાઓના ગુહ્ય સમાચાર લાવીને પ્રગટ કરતો હતો. આથી સર્વ સામંત રાજાઓ ઉદ્વેગ પામ્યા અને તેને મારવાને માટે એકદા વિષમિશ્રિત પાથેય (ભાતું) આપ્યું. લોહજંઘ તે પાથેય લઈ અવંતિ તરફ પાછો વળ્યો. માર્ગમાં ભોજન કરવા બેઠો એટલે અપશુકનોએ તેને વારંવાર અટકાવ્યો, તેથી ખાઘા વિના અવંતિએ આવી તે વૃત્તાંત તેણે પ્રદ્યોત રાજાને જણાવ્યો. રાજાએ અભયકુમારને પૂછ્યું એટલે અભયકુમાર બોલ્યો-“આ પાથેયની ગંઘ ઉપરથી એવો નિશ્ચય થાય છે કે–તેમાં દ્રષ્ટિવિષ સર્પ ઉત્પન્ન થયેલો છે. વિષ જાણવાનો પ્રકાર આ પ્રમાણે છે–વિષવાળું અન્ન જોઈને ચકોરપક્ષીનાં નેત્ર વિરામ પામે, કોકિલ ઉન્મત્ત થઈ મરી જાય અને ક્રૌંચપક્ષી તત્કાલ મદ પામે, તથા નોળિયાના રોમ વિકસ્વર થઈ જાય અને મયૂર ખુશી થાય; કારણ કે નોળિયા તથા મોરની દ્રષ્ટિએ પડવાથી વિષ તત્કાળ મંદ થઈ જાય છે. વળી વિષવાળું અન્ન જોઈ માર્જર ઉદ્વેગ પામે, વાનર વિષ્ટા કરવા માંડે, હંસની ગતિ અલિત થઈ જાય, કૂકડો રુદન કરે, ભમરો ઝેરી અન્ન સૂંઘીને વઘારે ગુંજારવ કરે, અને એના તથા પોપટ આક્રોશ કરવા માંડે.” આ પ્રમાણે સાંભળી ચંડપ્રદ્યોત રાજાએ તે પાથેય પલ્લવિત વનમાં મુકાવ્યું. ત્યાં તેમાંથી દૃષ્ટિવિષ સર્પ નીકળ્યો. તેની વિષમય દ્રષ્ટિથી આખું વન સુકાઈ ગયું. આ પ્રમાણે અનેક પ્રસંગમાં અભયકુમારની બુદ્ધિથી રાજાએ પ્રસન્ન થઈ વર આપ્યા. તે બધા વર એકઠા માગવા વડે અભયકુમાર પુનઃ ત્યાંથી મુક્ત થયો. ચાલતી વખતે અભયકુમારે વિનયથી કહ્યું–“તમને ઘર્મના છળ વિના, ઘોળા દિવસે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002172
Book TitleUpdeshprasad Part 3
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy