SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૩ [સ્તંભ ૧૦ તમારા નગરમાંથી ‘હું ચંડપ્રદ્યોતન છું’ એવો પોકાર કરતાં લઈ જઉં તો જ હું અભયકુમાર ખરો.” આ પ્રમાણે કહી અભયકુમાર પોતાના નગ૨માં આવ્યો. કેટલાક દિવસ પછી બે વેશ્યાઓની પુત્રીઓને લઈ વણિકને વેષે તે પાછો ઉજ્જયિનીમાં આવ્યો અને રાજા ચંડપ્રદ્યોતના મહેલની સમીપે એક દુકાન ભાડે લીધી. રાજા તે વેશ્યાની પુત્રીઓને જોઈને વિલ થઈ ગયો. તેણે પોતાના આસ જનની મારફત તેના સંગની ઇચ્છા દર્શાવી. તે બન્ને સ્ત્રીઓએ જવાબમાં કહ્યું–‘અમારો વૃદ્ધ બંધુ તેના લઘુ બંધુના શરીરમાં ભૂત વળગેલું છે, તેથી તેના સુખને માટે કોઈ માંત્રિકને ઘેર જાય છે તે વખતે જો રાજા ગુપ્ત રીતે આવે તો અમારો સંગ થાય.’’ આ બાજુ અભયકુમારે પોતાના એક માણસને ગાંડો બનાવ્યો હતો અને તેનું પ્રદ્યોત એવું નામ પાડ્યું હતું. તે ગાંડો માણસ ‘હું રાજા પ્રદ્યોત છું' એમ કહેતો આમ-તેમ ભમતો હતો. અભયકુમાર લોકોની આગળ ‘આ ગાંડાને શી રીતે રાખવો?' એમ કહી તેને પકડવા દોડતો અને તેને માંત્રિકને ઘેર લઈ જવાને બહાને એક માંચા ઉપર બેસારી હમેશાં બજાર વચ્ચેથી લઈ જતો. તે વખતે ચૌટામાં ‘હું પ્રદ્યોત રાજા છું, મને આ બાંધીને લઈ જાય છે, માટે છોડાવો.' એમ તે ગાંડો ઊંચે સ્વરે બોલ્યા કરતો. લોકો તેને ગાંડો જાણીને તેની ઉપેક્ષા કરતા. હવે સંકેત પ્રમાણે પ્રદ્યોત રાજા એકલો ગુપ્ત રીતે અભયકુમારને ઘેર વેશ્યાની પુત્રીઓ પાસે આવ્યો. પછવાડેથી અભયકુમારે આવી પોતાના માણસો પાસે કામાંઘ હસ્તીની જેમ તેને પલંગ સાથે દૃઢ બંધાવ્યો અને થોળે દિવસે ‘હું પ્રદ્યોત રાજા છું, મને છોડાવો' એમ પોકારતા તેને લોકોની સમક્ષ રાજગૃહી નગરીમાં લઈ ગયો. ત્યાં મગધપતિએ તેને છોડી સન્માન કરીને હર્ષથી પાછો વિદાય કર્યો. પછી ઉજ્જયિનીના રાજાએ પોતાના રાજ્યમાં આવી લોહજંઘ દૂતને એવી શિખામણ આપી કે—તારે સ્વેચ્છાથી સર્વ દિશામાં ગમન કરવું નહીં કે જેથી શત્રુ તરફથી તને દુઃખ થાય. લોહબંધે તે પ્રમાણે સ્વીકાર્યું જેથી તે દુઃખ પામ્યો નહીં. આ કથાનો ઉપનય એવો છે કે—જેમ તે લોહજંઘે દિશામાં ગમન કરવામાં સંક્ષેપ કર્યો તો તે શત્રુ તરફથી વાદિક દુઃખને પામ્યો નહીં, તેમ શ્રાવક પણ એ વ્રત લેવાથી હિંસાદિ પાપકર્મે કરેલા ઉપદ્રવને પામતો નથી. “આ દશમા દેશાવકાશિક વ્રતને આચરવાથી પૂર્વે ઉપાર્જન કરેલાં ઘણાં પાપકર્મોનો પણ સંક્ષેપ થાય છે અને અનુક્રમે તે પુરુષ થોડા કાળમાં સૌભાગ્યલક્ષ્મી (મોક્ષલક્ષ્મી)ને ભજે છે.’' વ્યાખ્યાન ૧૪૭ છ અઠ્ઠાઈ પો સામાયિક પ્રમુખ શિક્ષાવ્રતને ધારણ કરનાર ભવ્યજીવોએ ષટ્ અષ્ટાહ્નિકા (છ અઠ્ઠાઈ) પર્વ અવશ્ય સેવવા જોઈએ, તે વિષે કહે છે— अष्टाह्निकाः षडेवोक्ताः, स्याद्वादाभयदोत्तमैः । તત્ત્વનું સમાર્થ, બાસેવ્યાઃ પરમાર્હનૈઃ ।।શા ભાવાર્થ-સ્યાદ્વાદ મતને કહેનારા અને અભયને આપનારા ઉત્તમ પુરુષોએ છ અઠ્ઠાઈઓ કહેલી છે, તેનું સ્વરૂપ બરાબર જાણીને પરમ શ્રાવકોએ તે સેવવા યોગ્ય છે.’’ વિશેષાર્થ-અઠ્ઠાઈ છ કહેવાય છે, તેનું સ્વરૂપ આ પ્રમાણે છે—એક અઠ્ઠાઈ ચૈત્ર માસમાં For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.002172
Book TitleUpdeshprasad Part 3
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy