SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૩ [સ્તંભ ૧૦ મંત્રીએ તે સુભટોને જીવતા છોડી મૂક્યા. રાજાએ કહ્યું–મંત્રીરાજ! આજે પુણ્યનું ફળ મેં પ્રત્યક્ષ જોયું.” પછી પુણ્યની પ્રશંસા કરી રાજાએ ગૃહસ્થઘર્મ અંગીકાર કર્યો. પ્રાંતે મંત્રી અને રાજા બન્ને પુણ્ય ઉપાર્જન કરી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈ સિદ્ધિપદને પામ્યા. સુમિત્ર મંત્રી દશમા વ્રતમાં ઉદ્યમવંત થઈ આ લોકમાં ઘર્મનું પૂર્ણ ફળ પામ્યો અને રાજા તેને જોઈ નાસ્તિકપણું છોડી પ્રતિબોઘ પામીને શુદ્ધ ઘર્મને પ્રાપ્ત થયો.” વ્યાખ્યાન ૧૪૬. દેશાવકાશિક વ્રતના પાંચ અતિચાર હવે દેશાવકાશિક વ્રતમાં ત્યાગ કરવા યોગ્ય પાંચ અતિચાર કહે છે प्रेष्यप्रयोगानयनं, पुद्गलक्षेपणं तथा । शब्दरूपानुपातौ च, व्रते देशावकाशिके ॥१॥ ભાવાર્થ-“ચાકરને મોકલવો, અંદર કાંઈ અણાવવું, પુદગલ ફેંકવાં (કાંકરાદિ નાંખવા), શબ્દ કરવો અને રૂપ બતાવવું એ પાંચ દેશાવકાશિક વ્રતના અતિચાર છે.” વિશેષાર્થ-દિવ્રતમાં જે કાંઈ વિશેષ તે દેશાવકાશિક વ્રત કહેવાય છે. તે વિશેષપણું એવી રીતે છે કે–દિવ્રત ચાવજીવિત, વર્ષ અને ચાતુર્માસના પરિમાણવાળું હોય છે, અને આ દેશાવકાશિક વ્રત એક દિવસ, રાત્રિ, પહોર અને મુહૂર્ત (બે ઘડી) વગેરેના પરિમાણવાળું હોય છે. તે વ્રતમાં પાંચ અતિચાર લાગે છે તે આ પ્રમાણે (૧) પ્રેષ્ય એટલે આદેશ પ્રમાણે કરનારા નોકરનો પ્રયોગ કરવો એટલે ઘારેલ ક્ષેત્રની બહાર કોઈ પ્રયોજનને માટે સેવક વગેરેને મોકલવા, (પોતાની જાતે જવાથી તો વ્રતનો ભંગ થાય) તે પહેલો પ્રખ્યપ્રયોગ નામે અતિચાર. (૨) આનયન એટલે કોઈ સચેતનાદિ વસ્તુ નિયમિત ક્ષેત્રની બહાર હોય તેને સેવક વગેરેને મોકલી મંગાવવી તે આનયનપ્રયોગ નામે બીજો અતિચાર. (૩) પુદ્ ગલ એટલે પાષાણ કાષ્ઠ વગેરેના કકડાને નિયમિત કરેલા સ્થાનથી બહાર નાખી પોતાનું કાર્ય જણાવવું તે પુદ્ગલ પ્રક્ષેપ નામે ત્રીજો અતિચાર. (૪) નિયમિત ક્ષેત્રની બહાર રહેલાને પોતાનું કાર્ય જણાવવા માટે વ્રતભંગના ભયથી સાક્ષાત્ જઈ બોલાવાય નહીં તેથી ઊંચે સ્વરે ખાંસી, ખોંખારા વગેરેથી પોતાના આત્માને જણાવવો એટલે પોતાની હાજરીની જાણ કરવી–એ શબ્દાનુપાત નામે ચોથો અતિચાર. (૫) એવી જ રીતે પોતાના રૂપને દર્શાવે અથવા નિઃશ્રેણી, અટારી, મેડી કે અગાશી ઉપર ચડી પરનું રૂપ જુએ તે રૂપાનુપાત નામે પાંચમો અતિચાર. આ વ્રત નિયમિત ભૂમિની બહાર ગમનાગમન વડે જીવનો વઘ ન થાય એવી બુદ્ધિથી ગ્રહણ કરાય છે. તે જીવવઘ પોતે કર્યો અથવા બીજા પાસે કરાવ્યો તેના ફળમાં કાંઈ વિશેષ નથી, પણ ઊલટો પોતે જાય તો તેમાં ઈર્યાપથિકીની શુદ્ધિ વગેરે ગુણ હોય અને સેવકોને મોકલવાથી તો તેનું નિપુણપણું ન હોવાથી, નિઃશુકપણું હોવાથી તેમજ ઈર્યાસમિતિનો અભાવ હોવાથી વિશેષ દોષ રહેલા છે માટે આનયન પ્રયોગ વગેરે અતિચાર લગાડવા કલ્પતા નથી. અહીં પહેલા બે અતિચાર “મારા વતનો ભંગ ન થાઓ” એમ વ્રતને જાળવવાની સાપેક્ષવૃત્તિએ અનાભોગ વગેરેથી પ્રવર્તેલા છે અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002172
Book TitleUpdeshprasad Part 3
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy