SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૨૧૦] દીપોત્સવી પર્વનું વર્ણન ૨૧૩ સ્થળે દીવા થવા લાગ્યા. સૌએ દ્રવ્યઉદ્યોત કરનાર દીપશ્રેણી કરવાથી દીપોત્સવી નામનું પર્વ ત્યારથી લોકમાં પ્રવર્ત્યે. ભસ્મરાશિગ્રહ ભગવંતના જન્મનક્ષત્રે સંક્રમ્યો ત્યારથી મિથ્યાત્વી દેવતાઓ વગેરે વીરભગવંતના શાસન પ્રત્યે દુષ્ટતા કરવા લાગ્યા. તેમના કરેલા દુષ્ટ ફળને હણવા માટે મેરાયાં થવા લાગ્યાં એટલે ‘શ્રી વીરપ્રભુના સંઘની આર્તિ–પીડા દૂર થાઓ.' એવી ધારણાને લઈને રૂઢિથી એ પર્વમાં મેરાયાં॰ કરવાનું પણ પ્રવર્ત્યે. હવે દેવશર્મા બ્રાહ્મણને પ્રતિબોધ આપીને પ્રભાતે ગૌતમગણઘર શ્રી વીરપ્રભુને વાંદવા તેમની પાસે આવવા ચાલ્યા. ત્યાં માર્ગમાં નિરુત્સાહી અને નિરાનંદી એવા ઘણા દેવ, મનુષ્યો તથા ના૨ીઓને જોઈ ગૌતમસ્વામીએ પૂછ્યું કે ‘અત્યારે તમે સૌ આમ આનંદ રહિત કેમ થઈ ગયા છો?' ત્યારે દેવતાઓએ કહ્યું–‘શ્રી વીરપ્રભુ મુક્તિ પામ્યા, તેથી અમે દિલગીર થયેલા છીએ.’ તે સાંભળી જેમનાં નેત્ર સ્તંભિત થઈ ગયાં છે એવા ગૌતમગણધર મનમાં ચિંતવવા લાગ્યા—‘અહો! જગચ્ચક્ષુ શ્રી વીરપ્રભુ ચાલ્યા ગયા! હવે મારા જેવા ભિક્ષુઓને ઇક્ષુરસ જેવી મીઠી વાણીથી કોણ પ્રતિબોધ આપશે? હે નાથ! આવા સમયે તમારા વડે જ જીવનારા આશ્રિતને દૂર કરવો તે યોગ્ય નહોતું. ઠે સ્વામી! તમે મને અંતરાળે મૂકીને મોક્ષે ચાલ્યા ગયા! મને પાસે રાખ્યો હોત તો શું હું તમારા વસ્ત્રનો છેડો પકડીને બાળચેષ્ટા કરત? હે પ્રભુ! તમે મોહાદિ મહાયોદ્ધાઓથી ભય પામ્યા નહીં અને આ અલ્પ શિશુથી કેમ ભય પામ્યા? અથવા શું મારા આવવાથી મારી અવગાહના વડે મોક્ષસ્થાન સાંકડું થઈ જાત? તે સ્થાનકે તો અનંતગુણપર્યાયવાળા સ્વસ્વધર્મયુક્ત અનંત જીવો પરસ્પર બાધાસંઘટ્ટ વગર રહેલા છે અને આગામી કાળે રહેવાના છે. આવી સિદ્ધની સ્થિતિનું વર્ણન તો તમે જ કરેલું છે. હે પ્રભુ! તમે સહસા વિયોગ કેમ કર્યો? હે વીતરાગ! તમારા દર્શન વિના હું બઘી યોનિઓમાં અનંતીવાર ભમ્યો છું; એમ ભમતાં ભમતાં મહા ભાગ્યયોગે તમારું દર્શન પ્રાપ્ત થયેલું છે, તો હવે મારે વિયોગ થવો ન જોઈએ. હે વીતરાગ! જે સમયે તમને વંદના કરવાનો મહોત્સવ મને પ્રાપ્ત થયો તે દિવસ સફળ હતો અને તે ક્ષણ સર્વ કામનાને પૂરનારી હતી. હે સ્વામી! આ બાળકને મિષ્ટ વચનથી લોભાવી તમારે ચાલ્યું જવું તે યોગ્ય નહોતું. હવે ‘હે ગોયમ!’ એવા મધુર વચન વડે તમારા આગમનું રહસ્ય કોણ બતાવશે? હે જિનનાથ! મને દર્શન આપો! હવે વિલંબ કરો છો તે તમને શોભતું નથી. હે ભગવન્! પોતાનો આગ્રહ છોડી દો, નહીં તો પછી તા૨ક એવી તમારી વિખ્યાતિ શી રીતે ઘટશે? હે પ્રભુ! હવે હું કોના ચરણકમળને વાંદીશ? મેં તો મારું જીવિત તમારામાં જ સ્થાપન કરેલું છે. વળી હે સ્વામી! તમે મને યુક્તિથી અને વિવિધ પ્રકારના નિશ્ચયથી તમારો જ કરેલો છે; માટે હે દેવ! મારી રક્ષા કરો.'' આ પ્રમાણે પ્રશસ્ત રાગથી જેમનું ચિત્ત રંજિત થયેલું છે અને જે ક્ષયોપશમભાવે રત્નત્રયીને ધારણ કરે છે એવા ગૌતમગણઘર કાંઈક ઉપાલંભ આપ્યા પછી વીતરાગ એ શબ્દના અર્થને ચિંતવતા ક્ષપકશ્રેણીમાં આરૂઢ થઈ કેવલજ્ઞાનને પ્રાપ્ત થયા. પૂર્વે કેવલજ્ઞાન માટે અનેક ઉપાય કર્યાં હતા, પણ આવો ભાવ આવ્યો નહોતો. અનંતાનંત કાળ ભમતાં જ્યાં અને જ્યારે કેવળજ્ઞાન થવાનું હોય તે જ ક્ષેત્રે અને તે જ કાળે તેવો ભાવ ઉત્પન્ન થાય છે, તેથી આ વખતે તેમને કેવળજ્ઞાન થયું. ૧ મે આરાઇયંનો અપભ્રંશ મેરાયા સમજવો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002172
Book TitleUpdeshprasad Part 3
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy