SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૪ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૩ [સ્તંભ ૧૪ શકેંદ્ર પ્રથમ શ્રી વીરપ્રભુનો મોક્ષમહિમા કર્યો અને પછી પ્રાતઃકાળે શ્રી ગૌતમગણઘરનો કેવળજ્ઞાનઉત્સવ કર્યો. તે સમયે એક હજાર ને આઠ પત્રવાળા સુવર્ણના કમળ ઉપર પદ્માસને બેસી સ્ફરણાયમાન લબ્ધિથી વિભૂષિત એવા શ્રી ગૌતમસ્વામીએ ઘર્મદેશના આપી. શ્રી ગૌતમસ્વામીએ કહેલા સૂરિમંત્રના આરાઘક સૂરિઓ અદ્યાપિ પણ એ દિવસે શ્રી ગૌતમસ્વામીની ભક્તિ કરે છે. શ્રી વીરપ્રભુથી રહિત એવી પૃથ્વીને જોઈ મોહરૂપી મહા ચોર સર્વ સ્થળે ઘર્મરૂપી દ્રવ્યને લૂંટવા લાગ્યો; તે જોઈને કેવલજ્ઞાનને પ્રાપ્ત થયેલા શ્રી ગૌતમગણઘરે તે ચોર પ્રત્યે કહ્યું કે “અરે મોહ! તું એમ જાણે છે કે શ્રી વિરપ્રભુ મોક્ષે ગયા એટલે હું ઘર્મને લૂંટી લઈશ? પણ તેમના સ્થાપેલા ઘર્મરાજ્ય ઉપર હું બેઠો છું તે તું જાણતો નથી? અરે પાપી! તું હમણા મૃત્યુને વાંછતો જણાય છે, હવે ક્યાં જાય છે? કેટલેક દૂર જઈશ? હમણા જ લોકો તને શોધવાનું મિષ કરી હાથમાં દીપક લઈ પોતાના ઘરમાંથી સુપડા વડે તારા જેવા ચોરને ત્રાસ આપી કાઢી મૂકે છે.” ભાવાર્થ એવો છે કે દિવાળીપર્વમાં લોકો મોહ તથા અવિરતિરૂપ અળસને જ કાઢે છે અને ગૌતમસ્વામીને થયેલા જ્ઞાનરૂપી મહાલક્ષ્મીને પોતાના મંદિરમાં સ્થાપે છે. આ દિવાળીપર્વના દિવસોમાં એક ઉપવાસ કરવાથી સહસ્ત્રગણું પુણ્ય થાય છે અને જો અઠ્ઠમ તપ કરે તો કોટિગણું પુણ્ય થાય છે; કારણ કે દિવાળી પર્વના દિવસોમાં સર્વ લોકો પંચેંદ્રિય સુખના વિશેષ અભિલાષી થાય છે. મોટા કર્મબંઘનાં કારણો રચે છે અને ભોગોત્સુક થાય છે; તેવા દિવસોમાં ઇંદ્રિયોના ભોગનો ત્યાગ કરી પરમાર્થ જાણનારને અને સેવનારને મહાલાભ થાય એ ઉઘાડી વાત છે. આ પર્વમાં ચતુર્દશી ને અમાવાસ્યા એ બે દિવસનો સોળ પ્રહરનો પૌષઘ કરવો અથવા બે ઉપવાસ કરી ચંદન, અક્ષત વગેરેથી અને કોટિપુષ્પથી શ્રીવીરપ્રમુખ જિનેશ્વરોની તથા પિસ્તાળીસ આગમની પૂજા કરવી અને “શ્રીવીરસ્વામીસર્વજ્ઞાય નમઃ” એ મંત્રનો જાપ કરવો. અમાવાસ્યાની રાત્રે છેલ્લે અર્થે પહોરે “શ્રીવીરપારંગતાય નમ:' એ મંત્રનો જાપ કરવો અને પડવાની સવારે “શ્રીગૌતમસ્વામીવજ્ઞાનાય નમ:' એ મંત્રનો જાપ કરવો. એક હજાર પાંખડીવાળા સુવર્ણના કમળ ઉપર પધાસને બેઠેલા, ભગવંતે દીક્ષા દીઘેલા પચાસ હજાર સાધુસાધ્વી તથા પોતે દીક્ષા દીધેલાં સંખ્યાબંધ મુનિઓની પર્ષદાએ યુક્ત એવા ગૌતમસ્વામીનું ચિત્તમાં સ્મરણ કરવું તથા પ્રભુની આગળ અને ગૌતમસ્વામી આગળ પચાસ હજાર અખંડ અક્ષત વડે સ્વસ્તિક કરી, અખંડ દીવો પ્રગટાવી ગૌતમસ્વામીનું ધ્યાન કરવું, તેથી મહાફળ થાય છે.” આ પ્રમાણે શ્રી આર્યસુહસ્તિસૂરિએ સંપ્રતિ રાજાની આગળ ઉપદેશ આપ્યો, તે સાંભળી સંપ્રતિ રાજા પણ દિવાળીપર્વના આરાઘનમાં તત્પર થયો. “જે પર્વમાં શ્રી વર્ધ્વમાનસ્વામી મોક્ષને પ્રાપ્ત થયા અને શ્રી ગૌતમસ્વામી કેવલજ્ઞાનની લક્ષ્મીને પ્રાપ્ત થયા, તથા જે દિવસે રાજાઓએ દીપમાળા રચી તેવા દિવાળીપર્વ સમાન બીજું કોઈ પર્વ આ પૃથ્વી ઉપર નથી.” || ચતુર્દશ જીભ સમાપ્ત .. ઇતિ તૃતીય ખંડ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002172
Book TitleUpdeshprasad Part 3
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy