SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૨ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૩ [સ્તંભ ૧૪ માસની અમાવાસ્યાને દિવસે` છઠ્ઠ તપ કરી પ્રભુ પર્યંકાસને બેઠા. રાત્રિના છેલ્લા પહોરે સ્વાતિનક્ષત્રનો યોગ થતાં ઇંદ્રે પ્રભુને કહ્યું–“ભગવન્! તમે એક ક્ષણવાર આયુષ્ય વધારો અને તમારા જન્મનક્ષત્ર પર સંક્રમણ થતા ભસ્મરાશિગ્રહને જુઓ, કે જેની બે હજાર વર્ષની સ્થિતિ છે તે અધુના જ બેસશે; તેથી આપના પછી તીર્થની ઉન્નતિ થશે નહીં, પણ જો તમારી દૃષ્ટિ તેની ઉપર પડશે તો તેના પ્રભાવથી તે ભસ્મરાશિગ્રહનો ઉદય નિષ્ફળ થશે.'' પ્રભુ બોલ્યા “હે ઇંદ્ર! આયુષ્યકર્મનાં પુદ્ગલો જે પૂર્વભવે બાંધેલાં હોય છે તેમાં ન્યૂનાધિકપણું કરવાને જિનેશ્વર પણ સમર્થ નથી. વળી અભાવી કાંઈ પણ થતું નથી અને ભાવી ભાવનો નાશ થતો નથી.’’ અંતસમયે પ્રભુએ પંચાવન અઘ્યયન શુભ ફળવિપાકનાં કહ્યાં અને પંચાવન અધ્યયન અશુભ ફળવિપાકનાં કહ્યાં. તેમ જ ગણઘર, સાધુ કે શ્રાવકે પૂછ્યા વગર માત્ર લોકની અનુકંપા માટે છત્રીશ અધ્યયન કહ્યાં. પછી શ્રી વીરપ્રભુ યોગનિરોધ કરી, શૈલેશીકરણ આચરી સિદ્ધિસૌધને પ્રાપ્ત થયા. તે સમયે અતિસૂક્ષ્મ ઉદ્ઘરી ન શકાય તેવા કુંથુવા ઘણા ઉત્પન્ન થવાથી હવે સંયમ પાળવું મુશ્કેલ પડશે એમ ઘારી ઘણા સાધુઓએ અનશન ગ્રહણ કર્યું. પ્રભુના નિર્વાણકાળે સર્વ સંઘ નેત્રમાં અશ્રુ લાવી આ પ્રમાણે વિલાપ કરવા લાગ્યો—“હે જગબંધુ! હે કૃપાસિંધુ! તમે દયાળુ તરીકે વિખ્યાત છો, તે છતાં અમને મહાદુ:ખ આપીને તમે મહાનંદને કેમ પ્રાપ્ત થયા? હે નાથ ! તમે શરીર છોડતાં મહા અધમ એવા નારકીઓ પણ કિંચિત્ હર્ષને પામ્યા છે તો અમને ખેદ કેમ કરાવો છો? વળી હે ત્રણ વિશ્વના આધાર! હે કૃપાનિધિ! અમારી એક વિજ્ઞપ્તિ સાંભળો. તમને અહીંથી જતાં શ્રી સંઘનો તમારા પરનો અત્યંત રાગ અને વિવિધ પ્રકારનો અનુભાવ તમને વિઘ્રકારી કેમ ન થયો? હે સ્વામી! હવે અમે ‘વીર! વીર!’ એમ કહીને કોની પાસે પૃચ્છા કરીશું અને અમારા સંશયો ટાળીશું કે જેથી તમે અમને મુગ્ધોને આશ્વાસન આપીને મોક્ષે ચાલ્યા ગયા? હે નાથ! અધુના આ પૃથ્વી પર તમારા જેવો સંઘની નિઃસ્પૃહપણે સારવાર કરનારો કોઈ નથી. હવે ભાવનેત્રને આપનાર અને જીવોના નાયક એવા તમારા અમોઘ નામને કોણ ઘારણ કરશે? હે પૂજ્ય! તમે અમારા ત્રાતા છો તો લોકોના ચિત્તની ગતિને જાણતાં છતાં અમારી ઉપેક્ષા કેમ કરો છો? હવે મૂર્તિમાન જ્ઞાન વડે સંસારનું સ્વરૂપ અમે કેવી રીતે જાણીશું?’’ આ પ્રમાણે લોકો વિલાપ કરતા હતા તે અવસરે કાશી અને કોશલ દેશના ચેટક રાજાની આજ્ઞામાં વર્તનારા અને નવ મલ્લકીજાતિના તથા નવ લચ્છકીજાતિના કુલ અઢાર રાજાઓ કોઈ કાર્યપ્રસંગે ત્યાં એકઠા થયા હતા. તેઓ અમાવાસ્યાને દિવસે પૌષધ સહિત ઉપવાસ કરી જિનવાણી સાંભળતા હતા. રાત્રિને સમયે શ્રી વીરજિનનું નિર્વાણકલ્યાણક થતાં તે રાજાઓએ પાછલી રાત્રિએ શ્રી વીરપ્રભુરૂપ ભાવઉદ્યોત અસ્ત થઈ જવાથી વ્યાપી ગયેલા બન્ને પ્રકારના અંધકારને સહન ન કરી શકવાથી દ્રવ્યઉદ્યોત કરનારા દીવા કર્યા. તેમજ જતા આવતા દેવદેવીઓથી તે રાત્રિ જ્યોતિર્મય થઈ ગઈ. તે સમયે દેવતાના ગણ અંધકારને હરનારાં પ્રકાશિત રત્ન હાથમાં લઈ ત્યાં આવવા લાગ્યા અને પ્રભુ પ્રત્યે કહેવા લાગ્યા કે ‘હે પ્રભુ! અમે આપની આરતી ઉતારીએ છીએ.’ એથી સર્વ સ્થલે મે આરાન્ડ્સ (અમારી આરતી) એવો શબ્દ લોકોમાં પ્રસરી ગયો. એટલે લોકો પણ હાથમાં દીપાવળી લઈ ‘આ અમારી આરતી' એમ કહેતા ત્યાં આવ્યા. આ પ્રમાણે પરસ્પર સર્વ ૧ ગુજરાતી મિતિ પ્રમાણે આસો વદી અમાવાસ્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002172
Book TitleUpdeshprasad Part 3
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy