SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ - - - વ્યાખ્યાન ૨૧૦] દીપોત્સવી પર્વનું વર્ણન ૨૧૧ એ સર્વ તીર્થકરોનાં દેહનું અને આયુષ્યનું પ્રમાણ, કલ્યાણક તિથિઓ, લાંછન, વર્ણ અને અંતર વગેરે પશ્ચાનુપૂર્વીથી વર્તમાન તીર્થકરોની સમાન જાણવું. વ્યાખ્યાન ૨૧૦ દીપોત્સવી પર્વનું વર્ણન विश्वे दीपालिकापर्व, विख्यातं केन हेतुना । पृष्टः संप्रतिभूपेनार्यसुहस्ती गुरुर्जगौ ॥४॥ ભાવાર્થ-સંપ્રતિ રાજાએ આર્યસહસ્તસૂરિને પૂછ્યું કે લોકમાં દિવાળીનું પર્વ કયા હેતુથી પ્રચલિત થયેલું છે?” ત્યારે ગુરુએ તેને આ પ્રમાણે કહ્યું ઉજ્જયિની નગરીમાં મોટા સંઘથી પરિવૃત થયેલા આર્યસહસ્તી ગુરુને આવેલા જાણી સંપ્રતિ રાજા તેમની પાસે ગયા અને ગુરુને નમીને પૂછ્યું કે “હે પૂજ્ય! તમે મને ઓળખો છો? ગુરુ બોલ્યા- હે સંપ્રતિ રાજા! તને કોણ ન ઓળખે? તું તો આ દેશનો સ્વામી છે.” રાજા બોલ્યો- હે સ્વામી! એવા અલ્પ હેતુથી ઓળખવા માટે હું પૂછતો નથી; મને આપ કોઈ વિશેષ પ્રકારે ઓળખો છો? એમ પૂછું છું.” પછી દશ પૂર્વધારી ગુરુ શ્રુતજ્ઞાનના બળથી તેના પૂર્વભવનું સ્વરૂપ જાણી બોલ્યા- હે રાજા! તું પૂર્વભવે અમારો શિષ્ય હતો. માત્ર એક દિવસની દીક્ષાના મહિમાથી તું અહીં રાજા થયો છે.” ગુરુનાં આવાં વચનને સત્ય માની તે બોલ્યો-“હે સ્વામી! તમારા પ્રભાવથી આ રાજ્ય મને મળ્યું છે, તો હવે આ રાજ્ય તમે ગ્રહણ કરો અને તે ગ્રહણ કરીને મારી ઉપર અનુગ્રહ કરી મને અનૃણી કરો.” એમ કહી પગમાં પડી વારંવાર વિજ્ઞપ્તિ કરવા લાગ્યો. એટલે ગુરુ બોલ્યા-”હે રાજા! સંયમરૂપ સામ્રાજ્યના જેવું આ રાજ્ય નથી, તેથી અમારે તેનો ખપ નથી. વળી તેં ઘર્મના યોગે આ રાજ્ય પ્રાપ્ત કર્યું છે, તો હવે ઘર્મમાં ઉજમાલ થા.” આ પ્રમાણે ગુરુએ કહ્યું, એટલે રાજા ઘર્મમાં સાવધાન થયો. અન્યદા તેને સંશય ઉત્પન્ન થવાથી તેણે ગુરુને પૂછ્યું–“હે પૂજ્ય! જૈનઆગમમાં છ અણહિક પર્વ તો કહેલાં છે, તથાપિ લોકમાં તથા જિનમાર્ગમાં દિવાળીનું પર્વ જે વિખ્યાત છે તે શા કારણથી થયું? કેમ કે તે દિવસે તો લોકો વિવિધ વસ્ત્ર પહેરે છે અને પશુ, ઘર, હાટની શ્રેણી તથા વૃક્ષ વગેરે શણગારે છે.” ગુરુ બોલ્યા- “હે રાજા! સાંભળ. શ્રી વીરપ્રભુ દશમા દેવલોકમાંથી ચવ્યા. તેમનું ચ્યવન કલ્યાણક આષાઢ માસની શુક્લ છઠ્ઠીએ થયું. ચૈત્ર માસની શુક્લ ત્રયોદશીએ મધ્યરાત્રે તેમનું જન્મકલ્યાણક થયું. ત્રીશ વર્ષ ગૃહવાસે રહી છઠ્ઠનું તપ કરી માગશર વદ દશમીએ તેમણે સંયમ ગ્રહણ કર્યું. તે સમયે તેમને મનપર્યવજ્ઞાન ઉત્પન્ન થયું. તે પછી દુસ્તપ તપસ્યા કરતાં વૈશાખ માસની શુક્લ દશમીએ ઘાતકર્મનો અભાવ થતાં કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. કાંઈક ન્યૂન ત્રીશ વર્ષ સુધી કેવલજ્ઞાનના પર્યાયે રહ્યા. પ્રાંતે શ્રી વિરપ્રભુએ પોતાનું આયુષ્ય અલ્પ જાણી અપાપા નગરીમાં આવી હસ્તીપાલ રાજાની સભામાં છેલ્લું ચાતુર્માસ કર્યું. તે અવસરે અનેક ભવ્યજીવોના સંશયને નિવારી ભાવભાવનું સ્વરૂપ કહી સોળ પ્રહર સુધી લોકની અનુકંપાએ તેમણે છેલ્લી દેશના આપી. પોતાના નિર્વાણ સમયે પ્રભુએ તેમના મુખ્ય ગણઘર ગૌતમસ્વામીને દેવશર્મા બ્રાહ્મણને પ્રતિબોઘ આપવા અને પોતાના ઉપરના પ્રેમબંધનો વિચ્છેદ કરવા મોકલ્યા. કાર્તિક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002172
Book TitleUpdeshprasad Part 3
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy