SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૦ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૩ [સ્તંભ ૧૪ નવમા તીર્થંકર પોટિલ નામે સુનંદા શ્રાવિકાનો જીવ થશે તે શાંતિનાથ પ્રભુની સમાન થશે. દશમા શતકીર્તિ નામે તીર્થકર થશે. તે શતક શ્રાવકનો જીવ અને ઘર્મનાથ પ્રભુની સમાન થશે. આ શતક પુષ્કલી એવા બીજા નામથી ભગવતીજીમાં કહેલ શ્રાવકનો જીવ સમજવો. અગિયારમા સુવ્રત નામે તીર્થંકર દશારસિંહ જે કૃષ્ણ તેની માતા દેવકીનો જીવ થશે. તે અનંતનાથની તુલ્ય થશે. બારમા અમમ નામે ભગવંત નવમા વાસુદેવ કૃષ્ણનો જીવ થશે. તે તેરમા વિમલનાથ પ્રભુની સમાન થશે. સમવાયાંગસૂત્રમાં કહેલું છે કે કૃષ્ણ ભાવી ચોવીશીમાં તેરમા તીર્થંકર થશે. તત્ત્વ બહુશ્રુત જાણે. તેરમા નિષ્કષાય નામે તીર્થકર સત્યકી વિદ્યાઘરનો જીવ થશે. તે સુજ્યેષ્ઠા સાધ્વીનો પુત્ર અને જે લોકમાં અગિયારમા રુદ્ર (સદાશિવ) એવા નામથી પ્રસિદ્ધ થયેલો છે તેનો જીવ જાણવો. સમવાયાંગ સૂત્રમાં તે બારમા જિન થશે એમ કહેલું છે. તત્ત્વ બહુશ્રુત જાણે. તે પ્રભુ વાસુપૂજ્ય સ્વામી સમાન થશે. ચૌદમા તીર્થંકર નિષ્પલાક નામે બળદેવનો જીવ થશે. પણ આ બળદેવ કૃષ્ણના બંઘુ બળભદ્ર સમજવા નહીં, કારણ કે તે બલદેવ માટે શ્રી હેમચંદ્રસૂરિએ શ્રી નેમિચરિત્રમાં કહ્યું છે કે બલભદ્રનો જીવ કૃષ્ણના તીર્થમાં સિદ્ધિ પામશે, તેથી આ બળદેવ બીજા સમજવા. તે તીર્થકર શ્રેયાંસ પ્રભુની સમાન થશે. પંદરમા તીર્થકર નિર્મમ નામે સુલતાનો જીવ થશે. આ સુલસા શ્રાવિકા તે સમજવી કે જેના પ્રત્યે શ્રી વિરપ્રભુએ અંબડને મુખે થર્મલાભ કહેવરાવ્યો હતો. તે પ્રભુ શીતલનાથની સમાન થશે. સોળમા ચિત્રગુપ્ત નામે તીર્થકર બલભદ્રની માતા રોહિણીનો જીવ થશે. તે સુવિધિનાથજીની સમાન થશે. સત્તરમા સમાધિ નામે તીર્થંકર થશે. તે રેવતી શ્રાવિકાનો જીવ જાણવો; જે રેવતીએ બિજોરાપાક વહોરાવીને ગોશાલે મૂકેલી તેજોલેશ્યાથી શ્રી વિરપ્રભુના દેહમાં થયેલ વ્યાધિને શમાવ્યો હતો. તે તીર્થંકર ચંદ્રપ્રભુની સમાન થશે. અઢારમા સંવર નામે તીર્થકર શતાલી શ્રાવકનો જીવ થશે, જે સુપાર્શ્વપ્રભુની તુલ્ય થશે. ઓગણીસમા યશોધર નામે તીર્થકર દ્વિપાયનનો જીવ થશે. તે પદ્મપ્રભુની સમાન થશે. આ દ્વિપાયન લોકમાં વેદવ્યાસ એવા નામે પ્રસિદ્ધ છે તે સમજવા. વશમા વિજય નામે પરમેષ્ઠી કર્ણરાજાનો જીવ થશે. તે સુમતિનાથની સમાન થશે. કેટલાક આ કર્ણને પાંડવકૌરવનો ભાઈ કહે છે અને કેટલાક તેને ચંપાનગરીના પતિ વાસુપૂજ્યના વંશનો કહે છે. તત્ત્વ કેવળી જાણે. એકવીસમા મલ્લ નામે તીર્થકર નારદનો જીવ થશે. તે અભિનંદન પ્રભુની સમાન થશે. કેટલાક આ નારદને ભગવતીસૂત્રમાં વર્ણવેલ નિગ્રંથ કહે છે અને કેટલાક રામલક્ષ્મણના સમયમાં થયેલા નારદ કહે છે. બાવીશમા દેવ નામે તીર્થંકર અંબાનો જીવ થશે. તે સંભવનાથની સમાન થશે. ઔપપાતિક સૂત્રમાં જે અંબડને વર્ણવ્યો છે તે તો મહાવિદેહમાં સિદ્ધિ પામશે એમ કહેલું છે, તેથી આ અંબડ સુલસાની પરીક્ષા કરનાર જણાતો નથી. તત્ત્વ કેવળી જાણે. ત્રેવીસમા અનંતવીર્ય નામે તીર્થંકર અમરનો જીવ થશે; તે અજિતનાથની સમાન થશે. ચોવીશમા ભદ્રંકર નામે તીર્થકર બુદ્ધનો જીવ થશે. તે શ્રી ઋષભપ્રભુની સમાન થશે. ૧ આમાં પૂર્વભવના જીવોનાં નામો શ્રી ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્રના ૧૦મા પર્વમાં કહેલાં નામોથી ઘણા જુદાં છે, તેથી તેનો ખુલાસો બહુશ્રુતથી જાણી લેવો. શ્રી લોકપ્રકાશમાં જુદાં જુદાં નામો વગેરે આધાર સાથે બતાવેલાં છે. જુઓ સર્ગ ૩૪ મો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002172
Book TitleUpdeshprasad Part 3
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy