SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૨૦૯]. ભાવિ જિનેશ્વર ભગવંતનું વર્ણન ૨૦૯ ઉત્સર્પિણીનો બીજો આરો શ્રાવણ વદિ એકમે બેસશે. ત્યારથી અનુક્રમે સાત સાત દિવસ સુધી પાંચ જાતિના મેઘ વરસશે. તેમાં પ્રથમ પુષ્પરાવર્ત નામે મેઘ પૃથ્વીના સર્વ તાપને દૂર કરશે. બીજો ક્ષીરોદ મેઘ સર્વ ઔષધિનાં બીજને ઉપજાવશે. ત્રીજો વૃતોદમેઘ સર્વ ઘાન્યાદિમાં સ્નેહ–રસ ઉત્પન્ન કરશે. ચોથો શુદ્ધોદક મેઘ સર્વ ઔષધિને પરિપક્વ કરશે. પાંચમો રસોદકમેઘ પૃથ્વી ઉપર ઇક્ષ વગેરેમાં રસ ઉપજાવશે. એવી રીતે પાંચ મેઘ પાંત્રીસ દિવસ સુધી વૃષ્ટિ કરશે, તેથી વૃક્ષ, લતા, ઔષધિ, ઘાન્ય વગેરે સર્વ પોતાની મેળે ઉત્પન્ન થશે. તે જોઈને બિલમાં જઈને વસેલા સર્વ જીવો બહાર નીકળશે. અનુક્રમે બીજા આરાના અંતભાગે મધ્યદેશની પૃથ્વીમાં સાત કુલકર થશે. તેઓમાં પહેલા કુલકર વિમળવાહન જાતિસ્મરણથી રાજ્ય વગેરેની સ્થિતિને સ્થાપિત કરશે. તે પછી ત્રીજા આરાના નેવ્યાશી પખવાડિયા ગયા પછી શતદ્વાર નગરમાં સાતમા કુલકર સમુચિ નામે રાજાની ભદ્રા રાણીની કુક્ષિમાં શ્રેણિક રાજાનો જીવ પહેલી નરકમાંથી ચ્યવનને શ્રી વીરપ્રભુના ચ્યવનને દિવસે અને તે જ વેળાએ અવતરશે અને શ્રી વીરપ્રભુના જન્મદિવસે જ તેનો જન્મ થશે. તે શ્રી પદ્મનાભ જિન મહાવીર જેવા પહેલા તીર્થંકર થશે. શ્રી વીરપ્રભુ અને પદ્મનાભ પ્રભુનો અંતર શ્રી પ્રવચનસારોદ્ધારમાં આ પ્રમાણે કહેલ છે. “ચોરાશી હજાર, સાત વર્ષ અને પાંચ માસનું શ્રી વીર પ્રભુના નિર્વાણ અને પદ્મનાભ પ્રભુના ચ્યવન વચ્ચેનું અંતર જાણવું.” તેમનું નિર્વાણ કલ્યાણક દિવાળીને દિવસે થશે. બીજા તીર્થકર સુરદેવ નામે થશે. તેમના શરીરનો વર્ણ, આયુષ્ય, લાંછન, દેહની ઊંચાઈ અને પંચકલ્યાણકના દિવસ વગેરે પાર્શ્વનાથ પ્રભુની પ્રમાણે થશે. શ્રી વીરસ્વામીના કાકા સુપાર્શ્વનો જીવ બીજા તીર્થકર થશે. ત્રીજા સુપાર્શ્વ નામે તીર્થકર શરીરકાંતિ વગેરેથી બાવીશમા જિન શ્રી નેમિનાથના જેવા થશે. તે પાટલીપુત્રના રાજા ઉદાયનનો જીવ જાણવો. તે શ્રેણિકરાજાના પૌત્ર અને કોશિકરાજાના પુત્ર જેનો પૌષઘગૃહમાં વિનયરત્ન નામના અભવ્ય સાથુથી ઘાત થયો હતો તેનો જીવ ત્રીજા તીર્થકર થશે. ચોથા સ્વયંપ્રભ નામે તીર્થકર એકવીશમા શ્રી નમિનાથ જિનના જેવા થશે. તે પોટિલમુનિનો જીવ જાણવો. પાંચમા સર્વાનુભૂતિ નામે તીર્થકર કે જે દ્રઢાયુ શ્રાવકનો જીવ છે તે વશમાં મુનિસુવ્રત પ્રભુની સમાન થશે. છઠ્ઠા તીર્થંકર દેવસુત નામે થશે, તે કાર્તિક શેઠનો જીવ જાણવો. તેમાં વિશેષ જાણવાનું એટલું છે કે હમણા જે કાર્તિક શ્રેષ્ઠીનો જીવ બે સાગરોપમને આઉખે સૌઘર્મેદ્રપણું અનુભવે છે તેનો જીવ એ નહીં. એ સરખા આંતરામાં કોઈ બીજા કાર્તિક શેઠ થયેલા છે તેનો જીવ સમજવો. તે દેવસુત જિન મલ્લિનાથની જેવા થશે પણ સ્ત્રીવેદવાળા થશે નહીં. સાતમા ઉદય નામે તીર્થકર શંખ શ્રાવકનો જીવ થશે, પણ તે ભગવતીમાં વર્ણવેલો શંખ શ્રાવક નહીં, આ કોઈ બીજો જીવ છે. તે તીર્થંકર અઢારમા અરનાથ પ્રભુની જેવા થશે. અહીં વિશેષ એટલું છે કે તેમના ચક્રવર્તીપણાનો નિશ્ચય જાણવો નહીં. આઠમા પેઢાલ નામે તીર્થંકર થશે. તે આનંદ નામના શ્રાવકનો જીવ છે. અહીં વિશેષ એટલું જાણવાનું છે કે સાતમા અંગમાં કહેલ આનંદ શ્રાવક તે આ નહીં. તે તો મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધિને પામનાર છે. એથી કુંથુનાથ પ્રભુના જેવા આ તીર્થકર તે કોઈ બીજા આનંદનો જીવ જાણવો. ૧ વચ્ચે પાંચ કુલકર સુઘર્મ, સંગમ, સુપાર્શ્વ, દત્ત અને સુમુખ એ નામના થશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002172
Book TitleUpdeshprasad Part 3
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy