SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૮ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૩ [સ્તંભ ૧૪ થશે. હવે શ્રાવિકાની સંખ્યા કહે છે—પચીશ લાખ, બાણુ હજાર પાંચસો બત્રીશ ક્રોડ ઉપર બાર એટલી શ્રાવિકા થશે. આ પ્રમાણે દુષમા આરામાં ચતુર્વિધ સંઘનું પ્રમાણ કહેલું છે. અહીં કેટલાક કહે છે કે આ પ્રમાણ જંબુદ્વીપના ભરતક્ષેત્ર સંબંધી જાણવું. કેટલાક કહે છે કે આ પ્રમાણ શ્રી વીરપ્રભુએ પ્રતિબોધ પમાડેલા ચતુર્વિધ સંઘ સહિત જાણવું. વળી કેટલાક કહે છે કે તે પાંચે ભરતક્ષેત્ર સંબંધી એકઠું પ્રમાણ જાણવું. તેનો ખુલાસો દુષમ આરાના યંત્રપટથી તથા બહુશ્રુતના મુખથી જાણી લેવો. હવે પાંચમા આરાને અંતે ઉત્પન્ન થનારા ચતુર્વિધ સંઘના નામ કાલસિત્તરીને અનુસારે લખવામાં આવે છે‘સ્વર્ગથી ચ્યવીને થયેલા દુપ્પસહસૂરિ નામે સાધુ, ફલ્ગુશ્રી નામે સાધ્વી, નાગિલ શ્રેષ્ઠી નામે શ્રાવક અને સત્યશ્રી નામે શ્રાવિકા એ ચરમ સંઘ જાણવો.’’ સંબોધસત્તરીમાં કહ્યું છે કે એક સાધુ, એક સાધ્વી, એક શ્રાવક અને એક શ્રાવિકા આજ્ઞાયુક્ત હોય તો તેને સંઘ જાણવો અને શેષ આજ્ઞારહિતને અસ્થિનો સંઘ જાણવો.’' તે કાળે મુનિ દશવૈકાલિક, જિતકલ્પ, આવશ્યક, અનુયોગદ્વાર અને નંદી એટલા સૂત્રના પાઠી થશે. તેમને ઇંદ્ર નમસ્કાર કરશે. આ સાધુઓ ઉત્કૃષ્ટ પણે છઠ્ઠ તપના કરનારા થશે. દુપ્પસહસૂરિ બે હાથના દેહવાળા, બાર વર્ષ સુધી ગૃહસ્થપણે રહી, ચાર વર્ષ સુધી વ્રતધારી થઈ, ચાર વર્ષ આચાર્યપદ ધારણ કરી, અંતે અષ્ટમ તપ વડે કાળધર્મ પામી, એક સાગરોપમના આયુષ્યવાળા દેવપણાને પામી ત્યાંથી ચ્યવી આ ભરતક્ષેત્રમાં જ સિદ્ધિપદને પામશે. પાંચમા આરાના પ્રાંતસમયે પૂર્વાહ્નકાળે શ્રુત, સૂરિ, સંધ અને ધર્મ વિચ્છેદ પામશે. રાજા વિમલવાહન, મંત્રી સુધર્મા અને ન્યાયધર્મ મધ્યાહ્ને નાશ પામશે અને અગ્નિ સાયંકાલે નાશ પામશે. શ્રી વીરસ્વામીથી કેટલા કાળ સુધી પાંચમા આરામાં શ્રી જૈનધર્મની પ્રવૃત્તિ રહેશે તે કહે છે–વીશ હજાર ને નવસો વર્ષ, ત્રણ માસ, પાંચ દિવસ, પાંચ પહોર, એક ઘડી, બે પળ અને અડતાળીશ અક્ષર એટલો કાળ જિનધર્મની પ્રવૃત્તિ રહેશે. ‘આ પ્રમાણે સોળ સ્વપ્રપ્રબંધથી અને વૈકલ્કી રાજાની કથાથી કાળનું સર્વ સ્વરૂપ જાણીને પ્રાજ્ઞ પુરુષો શ્રી યુગપ્રધાન મુનીશ્વરોની તથા શ્રી જિનેશ્વર ભગવંતની આજ્ઞાનું વિરાધન કરતા નથી.’ વ્યાખ્યાન ૨૦૦ ભાવિ જિનેશ્વર ભગવંતનું વર્ણન भाविनां पद्मनाभादि - जिनानां प्राग्भवास्तथा । नामानि स्तूयंतेऽस्माभिः प्राप्य पूर्वोक्तशास्त्रतः ॥१॥ ભાવાર્થ-‘ભવિષ્યમાં થનારા પદ્મનાભ વગેરે તીર્થંકરોનાં પૂર્વ ભવ અને નામ પૂર્વોક્ત શાસ્ત્રથી જાણીને અહીં સ્તવવામાં આવે છે.’’ ભાવિજિનના પૂર્વભવ વગેરેનું સ્વરૂપ આ પ્રમાણે છે– ૧ આમાં જણાવેલી સંખ્યા દિવાળીલ્પ સાથે બરાબર મળતી નથી. વળી આ ભાષાંતર જેના ઉપરથી થાય છે તે પ્રત પણ અશુદ્ધ ને તેમાં સંખ્યા અસ્તવ્યસ્ત હોવાથી આ સંખ્યા ઉપર આધાર રાખી શકાય તેમ નથી. ૨ હાડકાંનો સમૂહ, ૩ કલ્કીનું વૃત્તાંત સંવતના સંબંધમાં મેળ ખાતું નથી, તેથી તેનો ખુલાસો બહુશ્રુતથી જાણી લેવો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002172
Book TitleUpdeshprasad Part 3
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy