SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૧૪૧] ઘર્મધ્યાનથી સામાયિક-પ્રાપ્તિ ૧૩ વિશેષાર્થ–સામાયિક જ્ઞાન, દર્શન અને ચારિત્રાદિ સર્વ ગુણોનું સ્થાન છે. કોની જેમ? તે કહે છે. સર્વ વસ્તુ–જેમ કે ઘડો, વસ્ત્ર, કાષ્ઠ વગેરેનું આધારસ્થાન આકાશ છે તેમ. જેમ સર્વ આઘેય વસ્તુ આકાશના આઘાર વડે સ્થિતિ કરે છે અને આકાશ વિના તે રહી શક્તી નથી તેમ જ્ઞાનદર્શનાદિ ગુણો સામાયિકને આઘારે રહેલા છે, તેઓ સામાયિક વિના રહી શક્તા નથી. તેવું સામાયિક શી રીતે પ્રાપ્ત થાય? તે કહે છે. અશુભ કર્મના ઘાતથી તે પ્રાપ્ત થાય છે એમ શ્રી જૈન સિદ્ધાંતમાં કહેલું છે. સામાયિકને ઘાત કરનારા જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને મિથ્યાત્વમોહનીય કર્મના સર્વઘાતી સ્પર્ધક ઉઘાડા થયે સતે, દેશઘાતી સ્પર્ધક અનંતા ઊઘડવાથી અનંત ગુણની વૃદ્ધિ વડે સમયે સમયે વિશુદ્ધમાન થતાં થતાં શુભ શુભતર પરિણામવાલો પ્રાણી ભાવથી સામાયિક સૂત્ર કરેમિ ભંતેનો પ્રથમાક્ષર કકાર પ્રાપ્ત કરે છે. એવી રીતે અનંત ગુણની વૃદ્ધિ વડે સમયે સમયે વિશુદ્ધમાન થતાં રેકારાદિ અક્ષરોની પંક્તિને પામે છે. એવી રીતે ભાવથી સામાયિકનો લાભ ભવ્ય પ્રાણીને થાય છે. એમ કરતાં કરતાં “કરેમિ ભંતે સામાઇય' ઇત્યાદિ સમસ્ત સૂત્રને મેળવે છે. તે વિષે કહ્યું છે કે-“સામાયિકનો ઘાત કરનારી સર્વઘાતી ને દેશઘાતી કર્મપ્રકૃતિનું ઉદ્ઘાટન થયે સતે અનંતગુણની વૃદ્ધિ વડે વિશુદ્ધ એવા પ્રાણીને સામાયિકનો લાભ થાય છે.” આ સ્થાને ઘણું કહેવાનું છે તે સર્વ શ્રી વિશેષાવશ્યકથી જાણી લેવું. વળી સામાયિક શુભ ધ્યાનથી પ્રાપ્ત થાય છે. શુભ ધ્યાન તે ઘર્મધ્યાન અને શુક્લધ્યાન. તેમાં સામાયિકમાં ઘર્મધ્યાનનો વિશેષ પ્રચાર છે. તે ધર્મધ્યાન ચાર પ્રકારનું છે. (૧) પહેલું આજ્ઞાવિચય તે શ્રી વીતરાગ પ્રભુના વચનને યથાર્થપણે સહવા, કારણ કે શ્રી વીતરાગ પ્રભુના વચન, નિશ્ચય અને વ્યવહાર, નિત્ય અને અનિત્ય એવા સ્યાદ્વાદ પ્રકારથી સર્વોત્તમ અને અમૂલ્ય છે. તે વિષે ધ્યાનશતકની વૃત્તિમાં કહ્યું છે કે कल्पद्रुमः कल्पितमात्रदायी, चिंतामणिश्चिंतितमेव दत्ते । जिनेंद्रधर्मातिशयं विचिंत्य, द्वयं हि लोके लघुतामुपैति ॥४॥ કલ્પવૃક્ષ માત્ર કલ્પિત વસ્તુને આપે છે, ચિંતામણિ માત્ર ચિંતવેલી વસ્તુને જ આપે છે, પરંતુ શ્રી જિનેંદ્ર ઘર્મનો અતિશય ચિંતવતાં તે બન્ને-કલ્પવૃક્ષ અને ચિંતામણિ–તેની આગળ લઘુતાને પામે છે.” વળી કહ્યું છે કે स्वरूपपररूपाभ्यां, सदसद्पशालिषु ।। __यः स्थिरप्रत्ययो ध्यानं, तदाज्ञाविचयाह्वयं ॥१॥ “સ્વરૂપ અને પરરૂપ વડે સત્ અસત્ રૂપવાળા વસ્તુ ઘર્મમાં જે સ્થિર પ્રતીતિવાળું ધ્યાન તે આજ્ઞાવિચય નામે પહેલું ઘર્મધ્યાન કહેવાય છે.” (૨) ઘર્મધ્યાનનો બીજો ભેદ અપાયરિચય નામે છે, તે આ પ્રમાણે–આ જીવે સંસારમાં પરિભ્રમણ કરતાં ઘણા અપાયો (ક) પ્રાપ્ત કર્યા છે. હે ચેતન! આત્માને સ્વાધીન એવા મુક્તિમાર્ગને છોડી દઈને તે જ તારા આત્માને હજારો અપાયમાં પાડ્યો છે. પણ આ આત્મા તત્ત્વતઃ અજ્ઞાનાદિકથી રહિત છે. વળી તે અનંતજ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્યવાળો છે એટલે અનંત ચતુષ્ટયે યુક્ત છે; તેમ જ અનાદિ, અનંત, અક્ષર, અનક્ષર, અમલ, અરૂપી, અકર્મ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002172
Book TitleUpdeshprasad Part 3
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy