SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૩ [સ્તંભ ૧૦ અબંઘ, અનુદીરક, અયોગી, અભેદ્ય, અછેદ્ય, અકષાય, અદેહાત્મક, અતીંદ્રિય, અનાસ્ત્રવ, લોકાલોકજ્ઞાયક, સર્વ પ્રદેશે કર્મ પરમાણુઓથી વ્યતિરિક્ત, શુદ્ધચિદાનંદ, ચિન્મય, ચિમૂર્તિ અને ચિતિંડ છે. ઇત્યાદિ અનેક ગુણે યુક્ત એવા આત્માને પણ હે ચેતન! મોહાંઘકાર વડે પરવશ ચેતનવાળો કરીને તે કયા કયા અપાય નથી પમાડ્યા? આ પ્રમાણે આત્માની અને બીજાની અપાયપરંપરાને ચિંતવતા સતા યોગી પુરુષો અપાયવિજય નામના ઘર્મધ્યાનને પ્રાપ્ત કરે છે. (૩) હવે વિપાકવિચય નામે ઘર્મધ્યાનનો ત્રીજો ભેદ કહે છે. અનંતજ્ઞાનાદિ ગુણે યુક્ત એવો જીવ પણ વિપાક એટલે કરેલાં કર્મનાં શુભાશુભ ફળને દ્રવ્ય ક્ષેત્રાદિક સામગ્રી વડે અનુભવે છે. તેમાં દ્રવ્યથી સ્ત્રી, પુષ્પ વગેરેના સુખનો જે સુંદર ઉપભોગ તે શુભ વિપાક જાણવો; અને સર્પ, શસ્ત્ર, અગ્નિ અને વિષ વગેરેથી થતાં અનિષ્ટ ફળને અશુભ વિપાક જાણવો. ક્ષેત્રથી મહેલમાં વસવાથી શુભ વિપાક અને સ્મશાનમાં વસવાથી અશુભ વિપાક જાણવો. કાળથી શીત વગેરેમાં રતિ થવાથી શુભ અને અરતિ થવાથી અશુભ વિપાક જાણવો. ભાવથી મનની પ્રસન્નતાથી શુભ અને રૌદ્ર પરિણામ વગેરેથી અશુભ વિપાક જાણવો. ભવથી દેવતામાં અને ભોગભૂમિમાં શુભ અને નરકાદિ ભૂમિમાં અશુભ વિપાક જાણવો. એવી રીતે દ્રવ્યાદિ સામગ્રીના યોગથી પ્રાણીઓને પૂર્વે બાંધેલાં કર્મ પોતપોતાનું ફળ આપે છે, તેથી સુખ દુઃખને પામીને જીવે હર્ષ કે ખેદ ઘરવો નહીં. આ પ્રમાણે સર્વ કર્મની પ્રકૃતિઓના વિપાકને વિચારવા, તે વિપાકવિચય નામે ત્રીજું ઘર્મધ્યાન કહેવાય છે. (૪) હવે સંસ્થાનવિજય નામે ચોથું ઘર્મધ્યાન કહે છે–ચૌદ રાજલોકના આકારનું ચિંતવન કરવું. જેમાં ઊર્ધ્વ, અઘો અને તિછલોકના સ્વરૂપનું ચિંતવન થાય છે. તેનું વિશેષ સ્વરૂપ લોકભાવનાથી જાણી લેવું. એ સર્વ લોકસ્થાનમાં આ જીવે જન્માદિકથી નહીં સ્પર્શ કરેલું એવું એકે સ્થાન નથી. ઇત્યાદિ ચિંતવન કરવું તે સંસ્થાનવિચય નામે ચોથું ઘર્મધ્યાન કહેવાય છે. આ ઘર્મધ્યાન ચોથા ગુણસ્થાનથી માંડીને સાતમા ગુણસ્થાન સુધી જાણવું. ચંદ્રાવતંસ રાજાની જેમ કષ્ટ પ્રાપ્ત થતાં પણ જે પુરુષ આ ઘર્મધ્યાનને નથી મૂકતો, તેને જ સામાયિક પ્રાપ્ત થાય છે. ચંદ્રાવત: રાજાની કથા વિશાલાપુરીમાં ચંદ્રાવતંસ નામે રાજા હતો. તે પરમ ઘર્મનિષ્ઠ થઈ રાજ્ય કરતો હતો. એક વખતે તે ચતુર્દશીને દિવસે પોતાના મહેલમાં કાયોત્સર્ગ કરીને રહ્યો હતો. તેણે મનમાં એવો અભિગ્રહ કર્યો હતો કે જ્યાં સુધી આ દીવો બળે ત્યાં સુધી મારે કાયોત્સર્ગ પારવો નહીં. રાજાની ભક્તિવંત એક દાસી સ્વામીને ઊભેલા જોઈ અંઘારું ન થવા માટે વારંવાર દીવામાં તેલ નાખવા લાગી જેથી દીવો બુઝાયો નહીં. રાત્રિના ચારે પહોર રાજાએ કાયોત્સર્ગમાં રહી ઘર્મધ્યાન ધ્યાયું. તે ઘર્મધ્યાનનું સ્વરૂપ આ પ્રમાણે– सूत्रार्थसाधनमहाव्रतधारणैश्च, बंधप्रमोक्षगमनागमहेतुचिंता । पंचेंद्रियव्यपगमश्च दयालुता च, ध्यानं तु धर्ममिति तत्प्रवदंति तज्ज्ञा॥ “મહાવ્રતના ઘારણ કરવા વડે સૂત્રાર્થસાઘન સંબંધી વિચાર, કર્મના બંઘ અને મોક્ષનું ચિંતવન તથા ગતિ-આગતિના કારણોનું ચિંતવન, પંચેંદ્રિયપણાના વિનાશનો વિચાર અને પ્રાણીમાત્ર ઉપર દયાની વિચારણા તેને ધ્યાનના જાણવાવાળા મહાત્માઓ ઘર્મધ્યાન કહે છે.” For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.002172
Book TitleUpdeshprasad Part 3
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy