SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૩ [સ્તંભ ૧૦ पासा वेश्या अग्नि जळ, ठग ठक्कुर सोनार । ए दश न होय आपणा, मंकड वणिक बिलाड ॥१॥ પાસા, વેશ્યા, અગ્નિ, જલ, ઘૂર્ત, ઠાકોર, સોની, મર્કટ, વણિક અને માર્કાર–એ દશ આપણા થતા નથી.” આવો વિચાર કરી તે ખાતર પાડવાને તત્પર થયા. પેલો ગૃહસ્થ શ્રાવક પ્રતિદિન સાત આઠ સામાયિક કરતો હતો. તે દિવસે મધ્યરાત્રિ વીત્યા પછી તે પોતાની સ્ત્રી સાથે સામાયિક લઈને બેઠો હતો. તેવામાં પેલા ચોર ખાતર પાડવા આવ્યા. ખાતર પાડીને અંદર જોયું તો ગૃહપતિ જાગતો હતો, તે જોઈ તેઓ વિચારમાં પડ્યા કે તેની જાગૃતાવસ્થામાં ચોરી શી રીતે થશે? માટે હમણા રાહ જોઈએ. અહીં પેલા શ્રાવકે તેમને જોઈને વિચાર્યું કે-“દ્રવ્ય તો ઘણા ભવમાં મળશે, આ ભવમાં પણ દ્રવ્ય ઘણી વાર આવ્યું અને ગયું, પણ જો જ્ઞાનાદિ ભાવદ્રવ્યને ક્રોધાદિ ચોર હરી લેશે તો પછી શું કરીશ? માટે એ ભાવદ્રવ્ય બચાવવું તે જ શ્રેષ્ઠ છે; કેમકે જો ભાવઘન હોય તો બીજું સર્વ સુલભ છે.” આ પ્રમાણે વિચારીને તે શ્રાવક ઉપરાઉપરી સામાયિક કરવા લાગ્યો અને તેમાં વારંવાર નવકાર મંત્ર વગેરે ભણવા લાગ્યો. તે સાંભળી ચારે ચોરને ઉહાપોહ કરતાં જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. તેથી પૂર્વે અસંખ્ય ભવ ઉપર જે ઘર્માનુષ્ઠાન કરેલું અને જે ભણેલું તે સર્વ સાંભરી આવ્યું. આથી તે ચારે વિચાર કરવા લાગ્યા કે-“પરધનની ઇચ્છા કરનારા એવા આપણને ધિક્કાર છે! ચોરી કરવાથી બાહ્ય પૌગલિક દ્રવ્ય આવે છે પણ ભાવાત્મક આત્મઘન–જ્ઞાનાદિક તો ચાલ્યું જાય છે, તે આ જીવ જોતો નથી. અહો! આ શ્રાવકને ઘન્ય છે કે જે આપણને જોતાં છતાં પણ પોતાનું લક્ષ છોડતો નથી." આ પ્રમાણે તેની પ્રશંસા કરતાં તેમણે સમકિત પ્રાપ્ત કર્યું અને ચોરી વગેરેનું પ્રત્યાખ્યાન કર્યું, તેથી તેમને દેશવિરતિપણું પ્રાપ્ત થયું. પછી વૈરાગ્યની વૃદ્ધિ થવાથી ખદ્ગ તથા ગણેશીઓ વગેરે મૂકી દઈ નવ પ્રકારના ભાવલોચના પરિણામી થયા, તેથી સર્વવિરતિ સામાયિક પ્રાપ્ત કર્યું. પછી અનુક્રમે શુકુલધ્યાન અને ક્ષપકશ્રેણી પામીને સયોગીકેવલી નામે તેરમા ગુણઠાણાને તેઓ પ્રાપ્ત થયા અર્થાત્ કેવલજ્ઞાન પામ્યા. - સૂર્યનો ઉદય થયો એટલે તેઓએ દ્રવ્યલોચ કર્યો અને સમીપ રહેલા દેવતાઓએ મુનિવેષ આપ્યો તે ગ્રહણ કર્યો. પેલો ગૃહસ્થ શ્રાવક તે સર્વદર્શી ચારે મુનિને નમીને વારંવાર તેમની સ્તુતિ કરવા લાગ્યો. ત્યારે મુનિઓએ બીજે વિહાર કર્યો, અને અનુક્રમે તેઓ મુક્તિને પ્રાપ્ત થયા. એવી રીતે એક ગૃહસ્થના સામાયિક ચિતને જોઈને ચાર ચોર મુમુક્ષ થયા સતા સામાયિકના ભાવને પ્રાપ્ત થયા અને છેવટે જ્ઞાનદ્રવ્યની પોટલી બાંઘી અવ્યયપુર (મુક્તિપુર)માં પહોંચી ગયા.” વ્યાખ્યાન ૧૪૧ ધર્મધ્યાનથી સામાયિક-પ્રાપ્તિ સામાયિક સર્વ ગુણનું પાત્ર છે અને તે અશુભ કર્મની હાનિથી પ્રાપ્ત થાય છે તે કહે છે. तदेव सर्वगुणस्थानं, पदार्थानां नभ इव । दुष्टकर्मविघातेन, सुध्यानतस्तथा भवेत् ॥१॥ ભાવાર્થ-“સર્વ પદાર્થોનું સ્થાન જેમ આકાશ છે તેમ સર્વ ગુણોનું સ્થાન સામાયિક છે. તે દુષ્ટ કર્મના ઘાતથી અને શુભ ધ્યાનથી પ્રાપ્ત થાય છે.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002172
Book TitleUpdeshprasad Part 3
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy