SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૧૪૦] સામાયિકના ભેદ ૧૧ સંબંઘ આવે છે. અને પાંચમા વ્રતમાં અતિ મૂચ્છ વડે એવું ચિંતવે કે હું સર્વલોકનો સ્વામી થાઉં તો ઠીક' એમ સર્વ દ્રવ્યવિષયક જે મૂર્છા તેના ત્યાગરૂપ પાંચમું પરિગ્રહવિરમણવ્રત હોવાથી તેમાં છયે દ્રવ્યનો સમાવેશ થાય છે. બાકીના બે મહાવ્રત દ્રવ્યના એક દેશભૂત છે. એટલે કે કાંઈ પણ દ્રવ્ય વગર આપ્યું રાખવું કે લેવું તે પુદ્ગલ દ્રવ્યનો એક દેશ થયો. તે અદત્તાદાનના વિરમણરૂપ ત્રીજું વ્રત છે. કોઈ સ્ત્રીનું રૂપ જોઈને તેનો તથા તેની સાથે રહેલા દ્રવ્ય સંબંઘી મોહનો ત્યાગ કરવો તે અબ્રહ્મવિરતિરૂપ ચોથું મહાવ્રત છે. તેમાં પણ દ્રવ્યનો એક દેશ આવે છે. અને આહારદ્રવ્યવિષયક છઠ્ઠ રાત્રિભોજન ત્યાગરૂપ વ્રત છે, તેમાં પણ દ્રવ્યનો એક દેશ જ છે. એવી રીતે ચારિત્રસામાયિક સર્વ દ્રવ્યવિષયી છે. તેમ શ્રુતસામાયિક પણ જ્ઞાનરૂપ હોવાથી સર્વ દ્રવ્યવિષયી છે. એવી રીતે સમકિત સામાયિક પણ સર્વ દ્રવ્યની શ્રદ્ધામય હોવાથી સર્વદ્રવ્યવિષયી થાય છે. એ સામાયિકને એક જીવ આ સંસારમાં પર્યટન કરતો સતી સંખ્યાત અસંખ્યાત વાર પ્રાપ્ત કરે છે. કહ્યું છે કે सम्मत्तदेसविरया, पलीयस्स असंखभागमित्ताओ । अठ्ठभवाउ चरित्ते, अणंतकालं सुअं समए॥ દેશવિરતિ અને સમકિત ક્ષેત્રપલ્યોપમના અસંખ્યાતમા ભાગમાં જેટલા આકાશપ્રદેશ હોય છે તેટલા ભવમાં લાભે છે. સર્વવિરતિ સંયમ આઠ ભવમાં લાભે છે અને અક્ષરાત્મક મૃત તો અનંતકાલ પર્યત પામે છે.” ભાવાર્થ એવો છે કે–સમકિત સામાયિક અને દેશવિરતિ સામાયિક એ બન્ને ક્ષેત્રપલ્યોપમના અસંખ્યાતમા ભાગમાં જેટલા આકાશપ્રદેશ હોય છે તેટલા પ્રમાણવાળા ભવમાં એક જીવ ઉત્કૃષ્ટથી પ્રાપ્ત કરે અને જઘન્યથી એક ભવમાં પ્રાપ્ત કરે. ચારિત્ર (સર્વવિરતિ) સામાયિક તો ઉત્કૃષ્ટ આઠ ભવમાં પ્રાપ્ત કરે, ત્યાર પછી સિદ્ધિને પામે અને જઘન્યથી મરુદેવા માતાની જેમ એક ભવમાં જ પ્રાપ્ત કરીને સિદ્ધિને પામે. સામાન્યથી શ્રુતસામાયિક અનંત ભવમાં પ્રાપ્ત થાય અને જઘન્યથી મરુદેવાની જેમ એક જ ભવમાં થાય. સ્વલ્પ શ્રતસામાયિકનો લાભ તો અભવ્યને પણ થાય છે અને તે રૈવેયક દેવતાના સ્થાન સુધી જાય છે. અંતરદ્વારમાં કહ્યું છે કે-કોઈ એક જીવ અક્ષરજ્ઞાન પ્રાપ્ત કરી પતિત થઈને પાછો અનંતકાલ પછી પ્રાપ્ત કરે તે ઉત્કૃષ્ટ અંતર જાણવું. સમકિતાદિ સામાયિકમાં જઘન્ય અંતર અંતર્મુહૂર્તનું જાણવું અને ઉત્કૃષ્ટ દેશે ઊણું અદ્ધ પગલપરાવર્તનું જે અંતર છે તે બહુ આશાતના કરનારા જીવન માટે સમજવું. કહ્યું છે કેતીર્થકર, પ્રવચન, સંઘ, શ્રુતજ્ઞાન, આચાર્ય, ગણધર અને લબ્ધિવાળા મહદ્ધિક મુનિની બહુ વાર આશાતના કરનાર જીવ અનંતસંસારી થાય છે, પરંતુ ત્યાર પછી પણ સમકિત સામાયિકના મહિમાથી પ્રાણી જરૂર સિદ્ધિપદને પામે છે. આ સંબંધમાં ચાર ચોરની કથા છે તે આ પ્રમાણે ચાર ચોરની કથા ક્ષિતિપ્રતિક્તિ નગરનો રહેવાસી કોઈ શ્રાવક પોતાનો નિર્વાહ કરવાને માટે ભીલ લોકોની પાળ (પલ્લી) માં આવીને વસ્યો હતો. પુણ્યયોગે ત્યાં રહેતા સતા તે કોટી ઘનનો સ્વામી થઈ ગયો. એક વખતે તે ભીલ લોકોના કુળના ચાર વૃદ્ધ પુરુષો તે શ્રાવકની સમૃદ્ધિ જોઈને વિચાર કરવા લાગ્યા કે–આ વણિકે આપણને લોભમાં નાખી છેતરીને ઘણું દ્રવ્ય એકઠું કર્યું છે, માટે રાત્રે તેના ઘરમાં ખાતર પાડી તેનું સર્વ દ્રવ્ય પાછું લઈ લઈએ, નહીં તો તે કપટી વણિક હવે બધું દ્રવ્ય લઈને પોતાના નગરમાં ચાલ્યો જશે. કહ્યું છે કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002172
Book TitleUpdeshprasad Part 3
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy