SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ - 7 ૧૦ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૩ સ્તિંભ ૧૦ તમને તે કામ કરતાં એકલા દેખીને મારી નાંખે તો પછી શું કરો?” મહણસિંહે કહ્યું કે“જહાંપનાહ! ઘર્મ કરતાં જો મૃત્યુ થાય તો સ્વર્ગ જ મળે. તે માટે મેં આજે તે સ્થળે જ પ્રતિક્રમણ કર્યું.” મહણસિંહનું આ વચન સાંભળી બાદશાહ ઘણો ખુશી થયો અને એવો હુકમ કર્યો કે અરણ્યમાં, પર્વતમાં કે જ્યાં આ મહણસિંહ પ્રતિક્રમણ કરવા બેસે ત્યાં એક હજાર સુભટોના સૈન્ય તેની રક્ષા કરતા રહેવું.” એક વખત બાદશાહે દિલ્લી આવ્યા પછી કાંઈક દોષ ઊભો કરીને મહણસિંહના હાથપગમાં બેડી નાંખીને તેને કારાગૃહમાં નાખ્યો. ત્યાં તેને આખા દિવસની લાંઘણ થઈ તોપણ સાયંકાલે પ્રતિક્રમણ કરવા માટે રક્ષકોને બે સોનૈયા આપી બે ઘડી સુધી હાથમાંથી બેડી કઢાવી અને તેણે પ્રતિક્રમણ કર્યું. એવી રીતે એક માસ સુધીમાં સાઠ સોનૈયા ખર્ચીને તેણે હમેશાં પ્રતિક્રમણ કર્યું. આ વૃત્તાંત જાણી દિલ્હીપતિ તેના દ્રઢ નિયમથી ખુશી થયો અને તેને બંદીખાનામાંથી મુક્ત કરી સિરપાવ આપીને પૂર્વથી વિશેષ માન સાથે પોતાની પાસે રાખ્યો. “એવી રીતે મહણસિંહ ઘર્મ ઉપરની દ્રઢતાથી દિલ્હીપતિનો કોષાધ્યક્ષ થયો અને પિરોજશાહ બાદશાહની પાસે ઘણી પ્રશંસા પામ્યો, એ સર્વ તે જ નવમા સામાયિક વ્રતનું ફળ જાણવું.” વ્યાખ્યાન ૧૪૦ સામાયિકના ભેદ सामायिकं स्यात्त्रैविध्यं, सम्यक्त्वं च श्रुतं तथा । चारित्रं तृतीयं तच्च, गृहिकमनगारिकम् ॥१॥ ભાવાર્થ–“સામાયિક ત્રણ પ્રકારનું છે. સમક્તિ સામાયિક, શ્રત સામાયિક અને ચારિત્ર સામાયિક. તેમાં ત્રીજું ચારિત્રસામાયિક બે પ્રકારનું છે : એક ગૃહિક એટલે શ્રાવકનું અને બીજું અનગારિક એટલે સાધુનું.” વિશેષાર્થ-પહેલું સમક્તિસામાયિક ઉપશમાદિક ભેદથી પાંચ પ્રકારનું છે. બીજું કૃત સામાયિક તે દ્વાદશાંગીરૂપ છે. ત્રીજું ચારિત્ર સામાયિક બે પ્રકારનું છે. તેમાં પહેલું ગૃહિક એટલે દેશવિરતિ સામાયિક દ્વાદશવ્રતના આરાઘનરૂપ છે અને બીજું જે અનગારિક સામાયિક તે સર્વસાવદ્યવર્જન તથા પંચમહાવ્રતરૂપ છે. તે સર્વવિરતિ ચારિત્ર સામાયિક સર્વદ્રવ્યવિષય સંબંધી છે. તે વિષે કહયું છે કે पढमंमि सव्वजीवा, बीए चरमे य सव्वदव्वाइं । सेसा महव्वया खलु, तदिक्कदेसेण दव्वाणं ॥१॥ પહેલા વ્રતમાં સર્વ જીવ આવે છે, બીજા અને પાંચમા વ્રતમાં સર્વ () દ્રવ્ય આવે છે અને બાકીના એટલે ત્રીજા અને ચોથા વ્રતમાં તે દ્રવ્યનો એક દેશ આવે છે.” તેનો વિસ્તરાર્થ એવો છે કે–પહેલા મહાવ્રતમાં સર્વ સૂક્ષ્મ બાદર જીવનું પાલન કરવાનું હોવાથી તેમાં એક જીવદ્રવ્ય આવે છે. બીજા અને પાંચમા વ્રતમાં સર્વ દ્રવ્ય આવે છે તે આ પ્રમાણે–“આ પંચાસ્તિકાયાત્મક લોક કોણે જોયો છે? તે તો ખોટી વાત છે' એવાં વચન બોલવાના ત્યાગથી બીજા મહાવ્રતમાં છયે દ્રવ્યનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002172
Book TitleUpdeshprasad Part 3
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy